AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hindenburg ના રીપોર્ટના કારણે અદાણી ગ્રુપના શેરોમાં આવ્યું તોફાન, જાણો સમગ્ર મામલો

તમને જણાવી દઈએ કે Hindenburg ના સ્થાપક નાથન એન્ડરસન છે. તેમણે ઇન્ટરનેશનલ બિઝનેસમાં ડિગ્રી સાથે કનેક્ટિકટ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે.

Hindenburg ના રીપોર્ટના કારણે અદાણી ગ્રુપના શેરોમાં આવ્યું તોફાન, જાણો સમગ્ર મામલો
Gautam Adani
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2023 | 7:02 PM
Share

ગૌતમ અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના શેર ખરાબ રીતે તૂટ્યા હતા. જેના કારણે રોકાણકારોને પણ મોટું નુકસાન થયું હતું. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરોમાં આ તોફાન આવ્યું છે. Hindenburg રિસર્ચ રિપોર્ટમાં અદાણી જૂથ પર અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જો કે, પાછળથી આ તમામ આરોપોને જૂથ દ્વારા સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યા હતા. પરંતુ પ્રશ્ન એ છે કે હિંડનબર્ગ સંશોધન શું છે?

Hindenburg સંશોધન શું છે: તે ફોરેન્સિક નાણાકીય સંશોધન પેઢી છે. 2017 માં, નાથન એન્ડરસને Hindenburg રિસર્ચની સ્થાપના કરી. પેઢી ઇક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્ઝનું વિશ્લેષણ કરે છે. Hindenburg રિસર્ચ વેબસાઇટ અનુસાર, તે “માનવસર્જિત આપત્તિઓ” માટે મોકો જોઇ રહી છે. આનો અર્થ એ થયો કે આ પેઢીમાં ગેરરીતિઓ, ગેરવહીવટ અને અન્ય ગળબડી જોવા મળી છે.

તેનું નામ કેવી રીતે પડ્યું: તેનું નામ 1937માં Hindenburg એરશીપની દુર્ઘટના બાદ રાખવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે 1937માં હિંડનબર્ગ એરલાઈન્સનું એક વિમાન લગભગ 100 લોકોને લઈને જઈ રહ્યું હતું, જે અમેરિકાના ન્યુ જર્સીના માન્ચેસ્ટર શહેરમાં દુર્ઘટનાનો શિકાર બન્યું હતું, જેમાં ઘણા લોકોના મોત થયા હતા.

સ્થાપક: નાથન એન્ડરસન હિન્ડેનબર્ગના સ્થાપક છે. તેમણે ઇન્ટરનેશનલ બિઝનેસમાં ડિગ્રી સાથે કનેક્ટિકટ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. એન્ડરસને તેની કારકિર્દીની શરૂઆત ડેટા કંપની ફેક્ટસેટ રિસર્ચ સિસ્ટમ્સ ઇન્ક સાથે કરી હતી. અહીં તે ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ સાથે કામ કરતો હતો. નાથન એન્ડરસને ઈઝરાયેલમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે પણ કામ કર્યું છે.

રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર આરોપોઃ તમને જણાવી દઈએ કે રિસર્ચ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર સ્ટોકની હેરાફેરી અને છેતરપિંડી જેવા અનેક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. જો કે, જૂથે આ આરોપને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે. તેણે કહ્યું કે આ તેના શેરના વેચાણને નુકસાન પહોંચાડવાના ખોટા ઈરાદા સિવાય બીજું કંઈ નથી.

અદાણી એન્ટરપ્રાઇઝના રૂ. 20,000 કરોડના એફપીઓ માટેની અરજીઓ શરૂ થયાના થોડા સમય પહેલા જ આ અહેવાલ આવ્યો છે. કંપનીનો FPO 27 જાન્યુઆરીએ ખુલશે અને 31 જાન્યુઆરીએ બંધ થશે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">