AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Investment in Gold : 2000 રૂપિયાની નોટબંધી બાદ રૂપિયા સોનામાં કન્વર્ટ કરવા પડાપડી, માંગમાં વધારા સાથે સોનુ 60400 નજીક પહોંચ્યું

નોટબંધી બાદથી એવું માનવામાં આવે છે કે લોકો તેમની 2000ની નોટો રિડીમ કરવા માટે સોનું ખરીદી રહ્યા છે. જેના કારણે સોનાની કિંમતમાં ઘણો ઉછાળો જોવા મળ્યો છે. તે જ સમયે, સુવર્ણકારોએ પણ સોનું ખરીદવા પર 5-10 ટકા પ્રીમિયમ વસૂલવાનું શરૂ કર્યું છે.

Investment in Gold : 2000 રૂપિયાની નોટબંધી બાદ રૂપિયા સોનામાં કન્વર્ટ કરવા પડાપડી, માંગમાં વધારા સાથે સોનુ 60400 નજીક પહોંચ્યું
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2023 | 8:43 AM
Share

Investment in Gold : સરકારે રૂપિયા  2000ની ગુલાબી નોટોને ચલણમાંથી બહાર કરી દીધી છે. આવી સ્થિતિમાં જે લોકો પાસે રૂપિયા 2000ની ચલણી નોટ છે તેઓ 23 મેથી બેંકમાં જઈને બદલી કરાવી શકે છે. પરંતુ જ્યારે 2000ની નોટ ચલણમાંથી બહાર થઈ રહી છે ત્યારે આ મોટી રકમની ચલણી નોટો જે જેમની તિજોરી કે પર્સમાં હોય તો તેના નિકાલને લઈ ચિંતિત પણ છે. લોકો આ નોટનો નિકાલ કરવા માટે અલગ-અલગ યુક્તિઓ અપનાવી રહ્યા છે. સૂત્રો અનુસાર જ્યારથી નોટોનું ચલણ બંધ થયું છે ત્યારથી સોના-ચાંદીની ખરીદી કરનારાઓની માંગમાં ઉછાળો આવ્યો છે.

એક નજર સોનાના લેટેસ્ટ ભાવ  ઉપર
MCX GOLD :     60390.00 +667.00 / 1.12%  (Updated at May 19, 23:29)
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 62870
Rajkot 628903
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે (Updated at May 22, 08:29)
Chennai 61940
Mumbai 61420
Delhi 61570
Kolkata 61420

નોટબંધીને કારણે લોકોને લાગે છે કે સમય મળે ત્યાં સુધી તેઓ સોનામાં પૈસા રોકીને તેમની 2000ની નોટ ની લેશે. વાસ્તવમાં, RBIએ નોટોના સર્ક્યુલેશન પર પ્રતિબંધ મૂક્યો છે. આ હોવા છતાં તે હજી પણ કાનૂની ટેન્ડર છે અને લોકો તેનો ઉપયોગ સામાન ખરીદવા માટે કરી શકે છે.

આ પણ વાચો : Global Market : ભારતીય શેરબજારમાં સાપ્તાહિક કારોબારની શરૂઆત કેવી રહેશે? ચાલુ સપ્તાહે આ પરિબળો કરશે અસર

સોનામાં રોકાણ  વધશે

નોટબંધી બાદથી એવું માનવામાં આવે છે કે લોકો તેમની 2000ની નોટો રિડીમ કરવા માટે સોનું ખરીદી રહ્યા છે. જેના કારણે સોનાની કિંમતમાં ઘણો ઉછાળો જોવા મળ્યો છે. તે જ સમયે, સુવર્ણકારોએ પણ સોનું ખરીદવા પર 5-10 ટકા પ્રીમિયમ વસૂલવાનું શરૂ કર્યું છે. જે લોકો 2000ની નોટથી સોનું ખરીદી રહ્યા છે, તેઓ સોનારની ખરીદી પર 5-10 ટકા વધારાનો ચાર્જ વસૂલ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : દેશના સામાન્ય માણસને સરકાર તરફથી રાહત, છેલ્લાં ઇંધણના ભાવ વધારાને 1 વર્ષ પૂર્ણ થયું

વિદેશી બજારોમાં સોના-ચાંદીમાં ઘટાડો

19 મેં ના રોજ વિદેશી બજારોમાં સોનું ઘટીને 1,967 ડોલર પ્રતિ ઔંસ જ્યારે ચાંદી વધીને 23.88 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી. શુક્રવારે એશિયાઈ વેપારમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
g clip-path="url(#clip0_868_265)">