Gold Hallmarking : આજથી હોલમાર્કિંગના બીજા તબક્કાનો પ્રારંભ થયો, 288 જિલ્લામાં ઉપલબ્ધ થશે શુદ્ધ સોનાના ઘરેણાં

ગોલ્ડ હોલમાર્કિંગનો નવો નિયમ ગ્રાહકોને લાગુ પડશે નહીં. આ માત્ર જ્વેલર્સ માટે છે. જ્વેલર્સ હવે ગ્રાહકને હોલમાર્ક વિના સોનાના દાગીના વેચી શકશે નહીં, પરંતુ ગ્રાહક હજી પણ તેના જૂના દાગીનાને હોલમાર્ક વિના જ્વેલરને વેચી શકે છે

Gold Hallmarking :  આજથી હોલમાર્કિંગના બીજા તબક્કાનો પ્રારંભ થયો, 288 જિલ્લામાં ઉપલબ્ધ થશે શુદ્ધ સોનાના ઘરેણાં
Gold Hallmarking
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2022 | 10:52 AM

ફરજિયાત ગોલ્ડ હોલમાર્કિંગ(Gold Hallmarking)નો બીજો તબક્કો આજે બુધવાર 1 જૂન 2022થી અમલમાં આવ્યો છે. દેશના 32 નવા જિલ્લાઓમાં આજથી ગોલ્ડ હોલમાર્કિંગનો બીજો તબક્કો અમલમાં આવ્યો છે. આમાં ત્રણ નવા કેરેટ 20, 23 અને 23 ઉમેરવામાં આવ્યા છે. હવે જે પણ સોનાના દાગીના બને છે તેનું હોલમાર્કિંગ જરૂરી બનશે.  16 જૂન 2021 સુધી હોલમાર્કિંગનો નિયમ સ્વૈચ્છિક હતો. આ પછી સરકારે સોનાના ફરજિયાત હોલમાર્કિંગને તબક્કાવાર લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો. યુનિક આઇડેન્ટિફિકેશન સાથે હોલમાર્કિંગ 3 લાખથી વધુ સોનાના દાગીનાને હોલમાર્ક કરવામાં આવી રહ્યા છે.

હોલમાર્કિંગના ત્રીજા તબક્કાની તૈયારી પણ શરૂ કરાઈ

બીજા તબક્કાના અમલ બાદ હવે સરકાર ત્રીજા તબક્કાની પણ તૈયારીઓ શરૂ કરી રહી છે. BIS એ હોલમાર્કિંગના ત્રીજા તબક્કા અંગે સૂચના જારી કરી છે. BISએ દેશમાં હોલમાર્કિંગના અમલ અંગે અભિપ્રાય માંગ્યો છે. જૂન 2023 સુધીમાં ફરજિયાત હોલમાર્કિંગ પર અભિપ્રાય માંગવામાં આવ્યો છે. સરકારે કુંદન, પોલ્કી જ્વેલરીના હોલમાર્કિંગ અંગે સૂચનો માંગ્યા છે.

ગ્રાહકોને અસર નહીં થાય

ગોલ્ડ હોલમાર્કિંગનો નવો નિયમ ગ્રાહકોને લાગુ પડશે નહીં. આ માત્ર જ્વેલર્સ માટે છે. જ્વેલર્સ હવે ગ્રાહકને હોલમાર્ક વિના સોનાના દાગીના વેચી શકશે નહીં, પરંતુ ગ્રાહક હજી પણ તેના જૂના દાગીનાને હોલમાર્ક વિના જ્વેલરને વેચી શકે છે એટલે કે, તેણે ઘરમાં રાખેલી તેની નિશાન વગરની જ્વેલરીને હોલમાર્ક કરાવવાનું ટેન્શન લેવાની જરૂર નથી.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

200 રૂપિયામાં સોનાની શુદ્ધતા તપાસો

સોનાના દાગીનાની શુદ્ધતા ચકાસવા માટે ફી તરીકે 200 રૂપિયા ચૂકવવા પડશે. 5 કે તેથી વધુ જ્વેલરી માટે, ફી 45 રૂપિયા પ્રતિ યુનિટ હશે. તમને જણાવી દઈએ કે દરરોજ ત્રણ લાખ સોનાની વસ્તુઓને HUID દ્વારા પ્રમાણિત કરવામાં આવી રહી છે.

જ્યારે તમે હોલમાર્કવાળા સોનાના દાગીના ખરીદો છો, ત્યારે BIS કેર એપના વેરીફાઈ HUID ફીચર્સનો ઉપયોગ કરીને તેની શુદ્ધતા તપાસો. BIS માન્ય AHC ની યાદી www.bis.gov.in પર ઉપલબ્ધ છે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD : 50510.00    -345.00 (-0.68%) –  10:47 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 52210
Rajkot 52230
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 51710
Mumbai 51820
Delhi 51820
Kolkata 51820
(Source : goodreturns)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
Dubai 47212
USA 46199
Australia 46219
China 46235
(Source : goldpriceindia)

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">