Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનું રેકોર્ડ ઉંચાઈએથી 4000 રૂપિયા સસ્તું થયું, ફેડ રેટમાં વધારા બાદ શું ખરીદવું જોઈએ Gold?

કોમોડિટી માર્કેટના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, યુએસ ફેડ(US Fed Rate)ના વ્યાજ દરમાં તાજેતરમાં 0.25 ટકાનો વધારો અને ફુગાવા(Inflation)ના દબાણને ઓછું કરવા માટે 2022 દરમિયાન વ્યાજદરમાં વધારો થવાનો સંકેત મળ્યો છે.

સોનું રેકોર્ડ ઉંચાઈએથી 4000 રૂપિયા સસ્તું થયું, ફેડ રેટમાં વધારા બાદ શું ખરીદવું જોઈએ Gold?
Symbolic ImageImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 12:00 PM

સોનાના ભાવ (Gold Price)માં રેકોર્ડ ઉંચાઈએથી મોટો ઘટાડો નોંધાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, સોનાની કિંમત 55,558 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઊંચી સપાટીથી લગભગ 4000 રૂપિયા ઘટી ગઈ છે. શુક્રવારે, MCX પર સોનાની કિંમત 51,475ના સ્તર પર બંધ થઈ, જે ગુરુવારના બંધ ભાવ કરતાં 0.33 ટકા નીચી છે. સોનાનો હાજર ભાવ પણ 1.10 ટકા ઘટીને 1921 ડોલર પ્રતિ ઔંસના સ્તરે બંધ રહ્યો હતો. કોમોડિટી માર્કેટના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર યુએસ ફેડ(US Fed Rate)ના વ્યાજ દરમાં તાજેતરમાં 0.25 ટકાનો વધારો અને ફુગાવા (Inflation)ના દબાણને ઓછું કરવા માટે 2022 દરમિયાન વ્યાજદરમાં વધારો થવાનો સંકેત મળ્યો છે. જેના કારણે કિંમતી ધાતુના ભાવમાં ઘટાડો થયો છે.

જોકે નિષ્ણાતોના મતે રશિયા પર ચાલી રહેલા આર્થિક પ્રતિબંધોને કારણે સપ્લાય ચેઈનની સમસ્યા વધશે અને મોંઘવારી પણ વધશે. તેથી સોનાના ખરીદદારોને ‘બાય ઓન ડીપ્સ’ પર ખરીદવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે MCX પર સોનાની કિંમત 48,800 રૂપિયાનો સપોર્ટ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે સોનાના ભાવમાં ટૂંકા ગાળામાં થોડું દબાણ જોવા મળી શકે છે, પરંતુ મધ્યમથી લાંબા ગાળામાં તેનો અંદાજ હકારાત્મક જોવા મળી રહ્યો છે.

લાઈવ મિન્ટે રેલિગેર બ્રોકિંગ લિમિટેડના વાઈસ પ્રેસિડેન્ટ- કોમોડિટી એન્ડ કરન્સી રિસર્ચ સુગંધા સચદેવાએ જણાવ્યું કે રશિયા-યુક્રેન કટોકટી નરમ પડવાને કારણે સોનાના ભાવે તાજેતરના મોટા ભાગના લાભો ગુમાવ્યા છે, જેથી કિંમતી ધાતુના સુરક્ષિત આશ્રયની અપીલ ઓછી થઈ ગઈ છે.

આજનું રાશિફળ તારીખ : 25-04-2025
Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ

આ ઉપરાંત ફેડેે ત્રણ વર્ષમાં પ્રથમ વખત વ્યાજ દરોમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. ફુગાવાના દબાણને ઘટાડવા માટે 2022 દરમિયાન વ્યાજદરમાં ઘટાડો કરવાની ફેડની આક્રમક નીતિએ સોના પર દબાણ કર્યું છે. ઊંચા વ્યાજ દરો સોના માટે નકારાત્મક છે કારણ કે તે બિન-વ્યાજ ધરાવતું સોનું રાખવાના અવસર ખર્ચમાં વધારો કરે છે.

વ્યાજદરમાં વધારા અંગે યુએસ ફેડના કડક વલણ છતાં ફુગાવાનું દબાણ ચાલુ રહેવાની અપેક્ષા રાખતા રેલિગેર બ્રોકિંગના સુગંધા સચદેવાએ જણાવ્યું હતું કે “બજારો એ હકીકતને અવગણી શકે નહીં કે રશિયા પર ચાલુ આર્થિક પ્રતિબંધો સપ્લાય ચેઈન અવરોધો વધારશે અને વધતી કિંમતોના દબાવનું કારણ બનશે.” વધતા ફુગાવાને રોકવા માટે કેન્દ્રીય બેંક વ્યાજદરમાં ખૂબ જ તીવ્ર વધારો કરી શકે છે, જે આર્થિક વૃદ્ધિના અંદાજને વધુ નબળો પાડી શકે છે અને સોનામાં રોકાણની અપીલમાં વધારો કરી શકે છે.

આ પણ વાંચો: ખરાબ ક્રેડિટ સ્કોરની સાઈડ ઈફેક્ટ શું છે? જાણો 5 મોટા ગેરફાયદા

આ પણ વાંચો: Tech News: અમેરિકાએ સાયબર હુમલાની ચેતવણી આપી, આ વસ્તુઓ કરી શકે છે નુકસાન

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">