AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એલોન મસ્ક રહે છે રેન્ટ પર, દુનિયાના સૌથી અમીર વ્યક્તિ પાસે નથી હવે પોતાનું ઘર, જાણો કારણ

Elon Musk છેલ્લા ઘણા સમયથી પોતાના તમામ ઘરોને એક-એક કરી વેચી રહ્યા છે. 2 ડિસેમ્બરે તેઓએ પોતાનું છેલ્લુ ઘર પણ વેચી દીધું છે. ઘર વેચવા પાછળનું કારણ રસપ્રદ છે.

એલોન મસ્ક રહે છે રેન્ટ પર, દુનિયાના સૌથી અમીર વ્યક્તિ પાસે નથી હવે પોતાનું ઘર, જાણો કારણ
Elon Musk (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 10:23 AM
Share

આપણે પોતાનું ઘર એટલે કે ઘરનું ઘર બનાવા પાછળ પૂરી જીંદગી ખર્ચી નાખી છીએ ત્યારે દુનિયાના સૌથી અમીર વ્યકિત જે ધારે તો અનેકો ઘર લઈ શકે તેમ છે છતાં તેણે પોતાનું ઘર વેચી નાખ્યું વાત છે Tesla અને SpaceX CEO Elon Musk ની જેઓએ પોતાનું છેલ્લુ ઘર પણ વેચી દીધું છે. મસ્ક દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે. ત્યારે કહીં શકાય કે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ પાસે પોતાનું એક પણ ઘર નથી. એવું શા માટે છે એ અમે તમને જણાવીશું.

જણાવી દઈએ કે, એલોન મસ્ક સતત કહેતા આવ્યા છે કે, તેઓ પોતાના ઘર સહિત પોતાની વસ્તુઓ વેચવા માગે છે. Elon Musk એ સેન ફ્રાન્સિસ્કોમાં પોતાનું ઘર 30 મિલિયન ડોલર્સમાં વેચી દીધું છે. આ પહેલા પણ તેઓએ પોતાના ઘર (Own House) અન્ય ઘર વેચ્યા છે. આ તેમનું છેલ્લુ ઘર હતું.

બિઝનેસ ઈન્સાઈડરે પોતાના એક અહેવાલમાં કહ્યું કે સૈન ફ્રાન્સિસ્કો (San Francisco) બે અરિયામાં એલોન મસ્કની 47 એકરની પ્રોપર્ટી હતી. એક વેબસાઈટ અનુસાર તેને 2 ડિસેમ્બરે 30 મિલિયન ડોલર્સમાં વેચી દીધું છે. ઉલ્લેખનીય છે કે, સૈન ફ્રાન્સિસ્કો સ્થિત આ ઘરને એલોન મસ્કે 2017 માં 23 મિલિયન ડોલર્સમાં ખરીદ્યુ હતું. ત્યાર બાદ તેઓએ પોતાના બધા ઘરોને વેચવાનું શરૂ કર્યું. જોકે સૈન ફ્રાન્સિસ્કો વાળુ આ ઘર સૌથી છેલ્લે વેચ્યું છે.

જોકે, એલોન મસ્ક ઘણા સમયથી કહી રહ્યા હતા કે તેઓ ઘરને વેચી રહ્યા છે એટલા માટે સૈન ફ્રાન્સિસ્કો વાળુ આ ઘર ન વેચવા પર તેમને ટ્વીટર પર ઘણી વખત ટ્રોલ પણ કરવામાં આવ્યા છે. આ ઘરને વેચ્યા બાદ હવે એલોન મસ્ક પાસે કોઈ ઘર નથી હોય. હાલ એલોન મસ્ક રેન્ટ પર રહે છે. ત્યારે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ રેન્ટ પર રહે છે જેથી તેઓ પાસે હાલ પુરતુ તો પોતાનું કોઈ ઘર નથી.

એલોન મસ્ક શા માટે વેચી રહ્યા છે પોતાની પ્રોપર્ટી ?

એલોન મસ્ક દુનિયાના સૌથી મોટા અમીર વ્યક્તિ છે. ત્યારે તેઓને પોતાના ઘરને વેચવાની શું જરૂર છે ? આ સવાલ તમારા મનમાં થયો હશે ત્યારે તેને જવાબ છે કે, હકીકતમાં એલોન મસ્કએ કહ્યું હતું કે, 2050 સુધી તેઓ 10 લાખ લોકોને મંગળ પર મોકલવા માગે છે.

ત્યાં કોલોની વસાવા માટે પોતાની તમામ પ્રોપર્ટી વેચીવા માગે છે તેવું તેમનું માનવું છે. મે માં એલોન મસ્કે કહ્યું હતું કે, તેઓ પોતાની તમામ પ્રોપર્ટીને વેચીને મંગળ પર કોલોની વસાવશે અને આગળ જતાં તેઓ પાતાની પાસે કોઈ પણ ઘર રાખવા ઈચ્છતા નથી.

આ પણ વાંચો: Viral Video: ફજેતીનું બીજુ નામ એટલે પાકિસ્તાન, બોલો ! રેલવે ડ્રાઈવરે દહીં ખરીદવા માટે રોકી ટ્રેન, લોકોએ કહ્યું ‘ક્યારે સુધરશે પાકિસ્તાન’!

આ પણ વાંચો: તો શું આર્મી ચીફ જનરલ નરવણે આગામી CDS હશે? PM મોદીની CCS બેઠકમાં CDSના નામ પર ચર્ચા : સૂત્રો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">