AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશમાં ક્યારે-ક્યાં અને કોણ સ્થાપિત કરશે 22 હજાર ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન, પેટ્રોલિયમ મંત્રીએ આપી સંપૂર્ણ માહિતી

Electric Vehicle Charging Station Latest News: પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે દેશમાં 22 હજાર ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ ચાર્જિંગ સ્ટેશન દેશની સરકારી કંપની HPCL, BPCL અને IOC દ્વારા લગાવવામાં આવશે.

દેશમાં ક્યારે-ક્યાં અને કોણ સ્થાપિત કરશે 22 હજાર ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન, પેટ્રોલિયમ મંત્રીએ આપી સંપૂર્ણ માહિતી
Electric Vehicle (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 9:01 PM
Share

પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી (Harshdeep Singh Puri)નું કહેવું છે કે દેશની સરકારી પેટ્રોલિયમ કંપનીઓ HPC, BPCL અને IOC દેશમાં 22 હજાર ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન સ્થાપશે. તેમણે કહ્યું કે BPCL દેશમાં 7000 EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરશે. તે જ સમયે HPCL 5000 અને IOC કુલ 10,000 EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરશે. તમને જણાવી દઈએ કે રોડની સાથે માર્કેટમાં ચાર્જિંગ પોઈન્ટ લગાવવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. પેટ્રોલ પંપોને પણ તેમના કેમ્પસમાં ઈ-વ્હીકલ ચાર્જિંગ સુવિધાઓ સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી છે.

સરકાર 2030 સુધીમાં ખાનગી કાર માટે 30 ટકા, કોમર્શિયલ વાહનો માટે 70 ટકા, બસો માટે 40 ટકા અને ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર માટે 80 ટકાના વેચાણની આશા રાખી રહી છે. આ વાહનોના ચાર્જિંગ માટે સૌર અને બાયોમાસ જેવા વિકલ્પો પર કામ કરવામાં આવી રહ્યું છે. ભારત 145 ગીગાવોટ (GW) સાથે વિશ્વમાં ચોથા નંબરની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી ક્ષમતા ધરાવે છે. સોલાર પીવી સેલ, ઘરો, મોલ્સ, પાર્કિંગ લોટ અને ઓફિસોમાં પેનલ સિસ્ટમ દ્વારા સ્થાનિક ઈવી ચાર્જીંગ ઈવીએસને વધુ સસ્તું બનાવશે.

સરકારે મોટી જાહેરાત કરી છે

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે (Ministry of Petroleum & Natural Gas) ગયા મહિને ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. પેટ્રોલ પંપના માલિકોને પેટ્રોલ અને ડીઝલનું વેચાણ શરૂ કરતા પહેલા જ EV ચાર્જિંગ સ્ટેશન (EV Charging Stations) અને CNG આઉટલેટ્સ (CNG Outlet) સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે.

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે 8 નવેમ્બર, 2019ના રોજના તેના આદેશની સ્પષ્ટતામાં જણાવ્યું છે કે નવી સંસ્થાઓ દ્વારા પેટ્રોલ પંપ સ્થાપવા માટેના ધોરણો હળવા કરવામાં આવ્યા છે. આ ઓર્ડરમાં પેટ્રોલ પંપ માટે સીએનજી, એલએનજી અથવા પેટ્રોલ અને ડીઝલ જેવા નવા વૈકલ્પિક ઈંધણના છૂટક વેચાણ સાથે ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ પોઈન્ટ સ્થાપિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

ભારતમાં હાલમાં જે ઈલેક્ટ્રિક કાર વેચાઈ રહી છે, તેમના માટે ભારત ડીસી અને ભારત એસી ચાર્જર સક્ષમ છે. એટલે કે આવા ચાર્જિંગ સ્ટેશન 70 હજારથી લઈને 2.5 લાખ રૂપિયાના ખર્ચે બનાવી શકાય છે. જો તમારે ભવિષ્યમાં વધુ કમાણી કરવી હોય અને બસ, ટ્રક જેવા ભારે વાહનોને ચાર્જ કરવા હોય તો CCS અથવા કેડેમો ચાર્જર લગાવવા પડશે.

ભારતમાં 50 kWથી વધુની બેટરીના ઈલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન હજી શરૂ થયું નથી. એટલા માટે અત્યારે હેવી ચાર્જિંગ સ્ટેશનની જરૂર નથી. વીજ જોડાણ મેળવવા અને ટ્રાન્સફર કરવા માટે કુલ 7 લાખનો ખર્ચ થશે. આ સિવાય ચાર્જિંગ સ્ટેશનનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે 3 લાખનો ખર્ચ થઈ શકે છે.

આ પણ વાંચો :  દુનિયામાં હજારો રૂપિયા પ્રતિ કિલો વેચાય છે માથાના વાળ, ભારતમાં પણ વાળનો કરોડોનો બિઝનેસ થાય છે

Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
g clip-path="url(#clip0_868_265)">