EPFO મેમ્બર્સ માટે EDLI સ્કીમ ખૂબ જ ફાયદાકારક છે, જાણો તેની વિશેષતા
આ યોજના 1976 માં શરૂ કરવામાં આવી હતી અને તેનો ઉદ્દેશ્ય કર્મચારીના મૃત્યુ પછી તેના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. EDLI હેઠળ વીમાની રકમ છેલ્લા 12 મહિનાના પગાર પર આધારિત છે.
Employees’ Provident Fund Organisation – EPFO તેના સભ્યોના લાભ માટે ઘણી યોજનાઓના લાભ આપે છે. આ પૈકી એક EDLI સ્કીમ ઘણી મહત્વની માનવામાં આવે છે. જો કે ઘણા લોકો આ યોજનાના ફાયદા વિશે જાણતા નથી. જેના કારણે તેઓ આ યોજનાનો લાભ લઈ શકતા નથી. આ યોજના કોઈપણ મુશ્કેલીઓના કિસ્સામાં તેના સભ્યોના પરિવારોને નાણાકીય સુરક્ષા આપે છે. થોડી માહિતી જાણીને તમે તમારા પરિવારના સભ્યોનું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો, અહીં અહેવાલમાં અમે તમને EDLI સ્કીમ સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માહિતી જણાવી રહ્યા છીએ…
આ યોજના 1976 માં શરૂ કરવામાં આવી હતી અને તેનો ઉદ્દેશ્ય કર્મચારીના મૃત્યુ પછી તેના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. EDLI હેઠળ વીમાની રકમ છેલ્લા 12 મહિનાના પગાર પર આધારિત છે. આ 12 મહિનાનો પગારનો 35 ગણો હોય છે. ઉદાહરણ તરીકે જો કોઈનો પગાર 10 હજાર રૂપિયા છે તો તેના પરિવારને 3,50,000 રૂપિયા આપવામાં આવશે.
EDLI યોજનાની વિશેષતાઓ
- EDLI સ્કીમ એટલે કે એમ્પ્લોયી ડિપોઝિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ સ્કીમ એ EPFO ની સ્કીમ છે, જે તેના સભ્યોને વિના મૂલ્યે વીમા સુવિધા પૂરી પાડે છે. કર્મચારીના આકસ્મિક મૃત્યુ પર તેના પરિવારના સભ્યોને આ પૈસા મળે છે.
- EPFOના સક્રિય સભ્યના નોમિનીને સેવાના સમયગાળા દરમિયાન સભ્યના મૃત્યુ પર 7 લાખ રૂપિયા સુધીની એકમ રકમ ચૂકવવામાં આવે છે.
- EPFO સભ્યો EDLI સ્કીમમાં આપમેળે ઉમેરવામાં આવે છે. જો કે, EPFO સભ્યના સગાંઓને આ યોજનાનો લાભ ત્યારે જ મળી શકે છે જ્યાં સુધી તે EPFનો સક્રિય સભ્ય હોય છે.
- EDLI ની સેવાઓનો લાભ લેવા માટે સેવા અવધિની કોઈ ન્યૂનતમ મર્યાદા નથી.
- EDLI હેઠળ વીમાની રકમ 7 લાખ રૂપિયાની મર્યાદા સાથે છેલ્લા 12 મહિનાના સરેરાશ મૂળ પગારના 35 ગણી છે.
- આ યોજના હેઠળ બોનસની પણ જોગવાઈ છે.
PF એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની ઝંઝટનો અંત આવશે
સેન્ટ્રલાઈઝ્ડ સિસ્ટમના અમલીકરણ સાથે EPFO સબસ્ક્રાઈબર્સને ઘણા લાભો મળશે. જેમાં કોઈ ડુપ્લિકેશન નહીં થાય, તેમ જ એક સભ્યના એક કરતા વધુ PF ખાતા મર્જર થયા પછી એક જ ખાતું બની જશે. જો કોઈ વ્યક્તિ નોકરી બદલે છે તો PF એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની ઝંઝટ પણ ખતમ થઈ જશે.