KV Subramanian Resign: જાણો શું હોય છે ચીફ ઈકોનોમીક એડવાઈઝરનું કામ

ચીફ ઈકોનોમિક એડવાઈઝર ડીપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક અફેર્સ હેઠળ આવનારા ઈકોનોમિક ડીવીઝનના પ્રમુખ હોય છે. વર્તમાન સીઈએ કે.વી. સુબ્રમણ્યમે ત્રણ વર્ષ બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

KV Subramanian Resign: જાણો શું હોય છે ચીફ ઈકોનોમીક એડવાઈઝરનું કામ
Chief Economic Adviser KV Subramanian
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 11:25 PM

દેશના મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમ (KV Subramanian)નો ત્રણ વર્ષનો કાર્યકાળ સમાપ્ત થયો છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે તેઓ હવે શિક્ષણની દુનિયામાં પાછા ફરવા માંગે છે. તેમણે કહ્યું કે તેમને તેમના કાર્યકાળ દરમિયાન સરકાર તરફથી ઘણો ટેકો મળ્યો. સાથે તેમણે એમ પણ કહ્યું કે મારી વ્યાવસાયિક કારકિર્દીનો લગભગ ત્રણ દાયકાનો સમય થયો છે. આ દરમિયાન તેમનો પીએમ મોદી જેવા સક્ષમ નેતાનો સામનો થયો નથી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

હવે તમારા મનમાં આ પ્રશ્ન ઉભો થઈ રહ્યો હશે કે નાણાં મંત્રાલયમાં ઘણા અધિકારીઓ હોવા છતાં મુખ્ય આર્થિક સલાહકારની નિમણૂક શા માટે થાય છે અને તેમનું કામ શું હોય છે. મુખ્ય આર્થિક સલાહકાર સરકારને નાણાં, વાણિજ્ય, વેપાર, અર્થતંત્ર જેવા મુદ્દાઓ પર અભિપ્રાયો આપે છે. તેનું રિપોર્ટિંગ નાણા મંત્રાલયમાં કરવામાં આવે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક અફેર્સ (DEA) હેઠળ આર્થિક વિભાગની જવાબદારી સીઈએ પાસે જ હોય છે.

આર્થિક વિભાગ DEA હેઠળ આવે છે

ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક અફેર્સ (DEA) હેઠળ આવનારો આર્થિક વિભાગ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક પ્રવાહોની દેખરેખ રાખે છે અને સરકારને તેના વિશે માહિતી આપે છે. તે સરકારને બદલાતી પરિસ્થિતિ વિશે માહિતગાર કરે છે અને આવા લોકો દ્વારા આપવામાં આવેલા સૂચનોના આધારે સરકાર તેની નીતિ તૈયાર કરે છે.

આર્થિક વિભાગના પ્રમુખ હોય છે મુખ્ય આર્થિક સલાહકાર

આર્થિક વિભાગનું નેતૃત્વ મુખ્ય આર્થિક સલાહકાર કરે છે અને તેમનું કામ ભાવ નિયંત્રણ, કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદન વલણો, નાણાકીય અને ધિરાણ નીતિ, પબ્લીક ફાઈનાન્સ, ફિક્સલ પોલીસી, કર સુધારણા, વિદેશ વેપાર અને જરૂરી નિયમો, વિશ્વ બેંક-આઈએમએફ અને એશિયન ડેવલોપમેન્ટ બેન્ક,  બેન્ક, G-20માં ભારતની ભાગીદારી, તેમજ સરકારને બજેટ બનાવવામાં મદદ કરવાનું છે. આ ઉપરાંત તે દેશના અર્થતંત્ર અને નાણાકીય મોરચે પણ ઘણું મહત્વનું કામ કરે છે.

તેમણે 7 ડિસેમ્બર 2018ના રોજ મુખ્ય આર્થિક સલાહકારનું પદ સંભાળ્યું

આઈઆઈટી કાનપુર અને આઈઆઈએમ કલકત્તાના ભૂતપૂર્વ વિદ્યાર્થી સુબ્રમણ્યમ ડિસેમ્બર 2018માં સીઈએ તરીકેની નિમણૂક પહેલા ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસમાં પ્રોફેસર હતા. તેમના પુર્વગામી અરવિંદ સુબ્રમણ્યમે “વ્યક્તિગત કારણો”નો હવાલો આપીને રાજીનામું આપ્યા બાદ સીઈએનું પદ થોડા મહિના માટે ખાલી રહ્યું હતું. કે.વી. સુબ્રમણ્યમે તેમના પુર્વગામી અરવિંદ સુબ્રમણ્યમના પદ છોડ્યાના લગભગ પાંચ મહિના બાદ 7 ડિસેમ્બર 2018ના રોજ મુખ્ય આર્થિક સલાહકાર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

ઉત્તરાધિકારીની હજુ જાહેરાત કરવામાં આવી નથી

પીએમ સાથેના તેમના અનુભવો અંગે સીઈએ જણાવ્યું હતું કે મારા વ્યાવસાયિક જીવનના લગભગ ત્રણ દાયકાઓમાં મને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રેરણાદાયી નેતા હજુ સુધી મળ્યા નથી. આર્થિક નીતિની તેમની જન્મજાત સમજ સામાન્ય નાગરિકોના જીવનને ઉન્નત બનાવવા માટેના ઉપયોગને એક દ્રઢ નિશ્ચય સાથે જોડે છે. કે.વી. સુબ્રમણ્યમના રાજીનામા બાદ કેન્દ્ર સરકારે હજુ સુધી તેમના અનુગામીના નામની જાહેરાત કરી નથી.

આ પણ વાંચો :  Mumbai: ક્રુઝ ડ્રગ પાર્ટી બાદ DRIએ પોર્ટ પર પાડી રેડ, મગફળીના તેલના કન્સાઈનમેન્ટમાં છુપાવેલુ 125 કરોડની કિંમતનું હેરોઈન મળી આવ્યું

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">