AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારની કમાણી અને ખર્ચનો હીસાબ રાખે છે આ સંસ્થા, આના ડંડાથી નથી બચી શક્તી કોઈ પણ કંપની

CAG ઓડિટમાં દેવું, ડિપોઝિટ, રેમિટન્સ, ટ્રેડિંગ અને મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલા વ્યવહારોની વિશાળ શ્રેણી આવરી લેવામાં આવે છે. પ્રોફીટ- લોસ એકાઉન્ટ અને રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ તરફથી આપવામાં આવેલા ઓર્ડરની બેલેન્સ શીટ ચકાસી શકે છે.

સરકારની કમાણી અને ખર્ચનો હીસાબ રાખે છે આ સંસ્થા, આના ડંડાથી નથી બચી શક્તી કોઈ પણ કંપની
Cag role and audit rights know works of cag general of india
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 6:43 AM
Share

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) ના કાર્યાલયમાં પ્રથમ ઓડિટ દિવસે સંબોધન કર્યું. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે CAG ઓફિસમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ પણ હાજર હતા. સંસ્થા તરીકે CAGની ઐતિહાસિક શરૂઆતને ચિહ્નિત કરવા ઓડિટ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આપણે કેગના કામ અને અધિકારો વિશે જાણીશું. ભારતીય એકાઉન્ટ્સ એન્ડ ઓડિટ વિભાગ (IA&AD) એ ભારતના સૌથી જૂના વિભાગોમાંનું એક છે. આ અંતર્ગત દેશનું CAG આવે છે.

આ વિભાગની રચના 1860માં કરવામાં આવી હતી અને ત્યારબાદ એડમન્ડ ડ્રમન્ડને 16 નવેમ્બર 1935ના રોજ દેશના પ્રથમ CAG બનાવવામાં આવ્યા હતા. 1919 માં, આ વિભાગને વૈધાનિક નોંધણી આપવામાં આવી હતી. બાદમાં 1935માં આ વિભાગની કામગીરી અને સત્તામાં સુધારો કરવામાં આવ્યો હતો. 1950માં જ્યારે ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે ‘ઓડિટર જનરલ’નું નામ બદલીને ‘ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ’ કરવામાં આવ્યું.

કેગ શું છે

ભારતના ઓડિટર જનરલ (CAG) એ સંસદ અથવા રાજ્ય વિધાનસભાઓથી સ્વતંત્ર બંધારણીય કાર્યકારી છે. CAG ભારત સરકાર અને રાજ્ય સરકારોના વિભાગો અને મંત્રાલયોનું ઓડિટ કરે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો હેઠળ કામ કરતા વિભાગો, સ્વાયત્ત સંસ્થાઓ અને સંસ્થાઓ અને સરકાર પાસેથી ભંડોળ મેળવતા વિભાગોનું ઓડિટ કરવાનું કામ કેગ પાસે છે. એવું કહી શકાય કે કેગ જાહેર ક્ષેત્ર અને તેના સંબંધિત વિભાગોના ખર્ચનું ઓડિટ કરે છે. અન્ય કોઈ એજન્સીને કેગના કામમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી.

CAG તેનો અહેવાલ જાહેર કરે છે જે કેન્દ્રીય સ્તરે રાષ્ટ્રપતિ અને પ્રાદેશિક સ્તરે રાજ્યપાલને મોકલવામાં આવે છે. ભારતમાં CAGનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે અથવા CAGના પદ પર બેઠેલા અધિકારીની ઉંમર 65 વર્ષ હોય છે. કેગને સંસદની જાહેર હિસાબ સમિતિની ‘આંખ અને કાન’ પણ કહેવામાં આવે છે. એકવાર CAG ની નિમણૂક થઈ ગયા પછી, તેના પગાર અને સેવાની શરતોમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી. CAGને હટાવવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ છે અને તે ચીફ જસ્ટિસને હટાવવા માટેની તિરસ્કારની કાર્યવાહી સમાન છે.

કેગ આ વિભાગોનું ઓડિટ કરે છે

  1. ભારતીય રેલ્વે, સંરક્ષણ અને પોસ્ટ્સ અને ટેલિકોમ સહિત તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગોનો ખર્ચ
  2. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા નિયંત્રિત લગભગ 1500 સરકારી ઓદ્યોગીક કામ જેમ કે, સરકારી કંપનીઓ અને કોર્પોરેશનો
  3. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા નિયંત્રિત અને માલિકીની લગભગ 400 બિન-વ્યવસાયિક સ્વાયત્ત સંસ્થાઓ
  4. કેન્દ્રિય ભંડોળ ધરાવતી સંસ્થાઓ જેમ કે સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતી રાજ સંસ્થાઓ જે વિકાસ કાર્યક્રમોનો અમલ કરે છે

CAG ઓડિટમાં શું હોય છે

CAG ઓડિટમાં દેવું, ડિપોઝિટ, રેમિટન્સ, ટ્રેડિંગ અને મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલા વ્યવહારોની વિશાળ શ્રેણી આવરી લેવામાં આવે છે. પ્રોફીટ- લોસ એકાઉન્ટ અને રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ તરફથી આપવામાં આવેલા ઓર્ડરની બેલેન્સ શીટ ચકાસી શકે છે. રસીદો અને સ્ટોક એકાઉન્ટનું ઓડિટ પણ કરી શકે છે. કંપની એક્ટ હેઠળ CAG સરકારી કંપનીઓના બુક એકાઉન્ટનું ઓડિટ કરી શકે છે. તાજેતરમાં, સીએજીએ સિયાલદાહ અને હાવડાથી ઉપડતી અથવા આવતી કેટલીક ટ્રેનોનું ઓડિટ કર્યું હતું અને આ માટે ઓડિટર્સની એક ટીમ બનાવી હતી. સુપ્રીમ કોર્ટે તેના એક સીમાચિહ્નરૂપ આદેશમાં કહ્યું હતું કે CAG જનરલ ખાનગી કંપનીઓનું પણ ઓડિટ કરી શકે છે જે સરકાર સાથે રેવન્યુ-શેર ડીલ કરે છે.

આ પણ વાંચો :  MUMBAI : ઉદ્ધવ ઠાકરે સરકાર પર દેવેન્દ્ર ફડણવીસના આકરા પ્રહાર, કહ્યું “મહારાષ્ટ્રમાં હીંસા ઇરાદાપૂર્વકનો પ્રયોગ”

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">