AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમારી પાસે પણ છે જૂના ઘરેણા ? તો તમારે આ વિગત જાણવી જરૂરી છે,સરકારે જૂના દાગીના વેચવા માટે બનાવ્યા નવા નિયમ

Old Gold Jewellary:હવે મહિલાઓ પોતાના જૂના સોનાના દાગીના દેશના જ્વેલર્સને વેચી શકશે નહીં. સરકારે સોનાના હોલમાર્કિંગ, સોનાની ખરીદી અને વેચાણ માટે નિયમો જાહેર કર્યા છે. ભારત સરકારે તાજેતરમાં જ સોનાના આભૂષણો અને અન્ય સોનાના ઉત્પાદનોના વેચાણ અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.

શું તમારી પાસે પણ છે જૂના ઘરેણા ? તો તમારે આ વિગત જાણવી જરૂરી છે,સરકારે જૂના દાગીના વેચવા માટે બનાવ્યા નવા નિયમ
Hallmark is necessary to sell old jewelry, government made rules
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2023 | 12:42 PM
Share

Old Gold Jewellary: હવે મહિલાઓ પોતાના જૂના સોનાના દાગીના દેશના જ્વેલર્સને વેચી શકશે નહીં. સરકારે સોનાના હોલમાર્કિંગ, સોનાની ખરીદી અને વેચાણ માટે નિયમો જાહેર કર્યા છે. ભારત સરકારે તાજેતરમાં જ સોનાના આભૂષણો અને અન્ય સોનાના ઉત્પાદનોના વેચાણ અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. નવા નિયમો જણાવે છે કે 1 એપ્રિલ, 2023 થી, તમામ સોનાના ઘરેણા અને સોનાની વસ્તુઓમાં હોલમાર્ક્ડ યુનિક આઇડેન્ટિફિકેશન (HUID) નંબર હોવો આવશ્યક છે.

HUID નંબર દરેક સોનાના ઉત્પાદનને વિશિષ્ટ ઓળખ આપે છે. આ સાથે તેની શુદ્ધતા વિશે પણ માહિતી આપે છે. સોનાના આર્ટિકલમાં બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)નો લોગો અને શુદ્ધતા ચિહ્ન (જેમ કે 22K અથવા 18K લાગુ પડે છે) હોવા જોઈએ. એવા દેશમાં જે પરંપરાગત રીતે સોનાને રોકાણના સલામત વિકલ્પ તરીકે જુએ છે. અહીંના નવા નિયમો સોનાના આભૂષણો અને કલાકૃતિઓની ખરીદીમાં વધુ પારદર્શિતા, વિશ્વાસ અને ગ્રાહકોનો વિશ્વાસ લાવશે તેવી અપેક્ષા છે.

જૂના સોનાના દાગીના વેચી શકશે નહીં

નવા સોનાના દાગીનાની ખરીદી હવે પહેલા કરતા વધુ પારદર્શક અને સુરક્ષિત છે. જો કે, જો તમારી પાસે જૂની, હોલમાર્ક વગરની સોનાની જ્વેલરી હોય, તો તમે તેને વેચી શકશો નહીં અથવા નવી ડિઝાઇન માટે એક્સચેન્જ કરી શકશો નહીં સિવાય કે તમે તેને પહેલા હોલમાર્ક કરાવા પડશે પછી જ તમે તેને વહેચી શકશો.

આ રીતે તમે તમારી જ્વેલરીને હોલમાર્ક કરી શકો છો

BIS મુજબ, જે ઉપભોક્તાઓએ અન-હોલમાર્ક્ડ ગોલ્ડ જ્વેલરી હોય તેમણે તેને વેચતા પહેલા અથવા નવી ડિઝાઇન માટે એક્સચેન્જ કરતા પહેલા તેને ફરજિયાતપણે હોલમાર્ક કરાવવું આવશ્યક છે. આ કરવા માટે, ગ્રાહકો પાસે બે વિકલ્પો છે. તેઓ BIS રજિસ્ટર્ડ જ્વેલર પાસેથી તેમની જૂની, અનહોલમાર્કેડ જ્વેલરી હોલમાર્કેડ મેળવી શકે છે. BIS રજિસ્ટર્ડ જ્વેલર અનહોલમાર્કેડ સોનાના દાગીનાને BIS એસેઇંગ એન્ડ હોલમાર્કિંગ સેન્ટરમાં હોલમાર્ક કરાવવા માટે લઈ જશે. સોનાના દાગીનાના હોલમાર્કિંગ માટે, ગ્રાહકે 45 રૂપિયા પ્રતિ નંગનો નજીવો ચાર્જ ચૂકવવો પડશે.

પ્રમાણપત્ર પછી જ સોનું વેચી શકશે

ગ્રાહકો માટે બીજો વિકલ્પ BIS-માન્યતા પ્રાપ્ત હોલમાર્કિંગ કેન્દ્રોમાંથી કોઈપણ પર જ્વેલરીનું પરીક્ષણ કરાવવાનો છે. જો આભૂષણોની સંખ્યા પાંચ કે તેથી વધુ હોય, તો ગ્રાહકોએ 45 રૂપિયા પ્રતિ નંગના આધારે ચૂકવવા પડશે. 4 પીસ હોલમાર્ક કરાવવા માટે 200 રૂપિયા ચૂકવવા પડશે.

BISએ સેકન્ડહેન્ડ અને હોલમાર્ક વગરના સોનાના દાગીનાના પરીક્ષણ માટે અલગ માર્ગદર્શિકા જાહેર કરી છે. BIS માન્ય હોલમાર્કિંગ સેન્ટર જ્વેલરીની તપાસ કરશે અને તેનું પ્રમાણપત્ર આપશે. ઉપભોક્તા આ અહેવાલ કોઈપણ સુવર્ણ જ્વેલરને તેના જૂના અનહોલમાર્ક વગરના સોનાના દાગીના વેચવા માટે લઈ જઈ શકે છે.

આ જૂની જ્વેલરી જ વેચી શકશે

નોંધ કરો કે જો કોઈ ગ્રાહક પાસે જૂના/અગાઉના હોલમાર્ક ચિહ્નો સાથે હોલમાર્કવાળી સોનાની જ્વેલરી હોય, તો પણ તેને હોલમાર્કવાળી જ્વેલરી તરીકે ગણવામાં આવશે. સોનાના આભૂષણો કે જેઓ પહેલાથી જ જૂના માર્કસ સાથે હોલમાર્ક કરેલા છે તેને HUID નંબર સાથે ફરીથી હોલમાર્ક કરવાની જરૂર નથી. આવી હોલમાર્કવાળી જ્વેલરી સરળતાથી વેચી શકાય છે અથવા નવી ડિઝાઇન માટે એક્સચેન્જ કરી શકાય છે.

માત્ર તેમને જ ગોલ્ડ હોલમાર્કિંગના ફરજિયાત નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે

ભારતમાં 16 જૂન, 2021થી સોનાનું હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે, પરંતુ તેમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે.

જ્વેલર્સ જેમનું વાર્ષિક ટર્નઓવર રૂ. 40 લાખ સુધી છે.

2 ગ્રામથી ઓછા વજનના સોનાના વેચાણ પર હોલમાર્કિંગનો નિયમ લાગુ પડશે નહીં.

આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો અને સરકાર દ્વારા નિર્દિષ્ટ વ્યવસાય અથવા સ્થાનિક પ્રદર્શનો માટે બનાવેલ જ્વેલરીનો આ સૂચિમાં સમાવેશ કરવામાં આવશે નહીં.

તબીબી, દંત ચિકિત્સા, પશુચિકિત્સા, વૈજ્ઞાનિક અથવા ઔદ્યોગિક હેતુઓ માટે ઉપયોગમાં લેવાતી સોનાની કોઈપણ વસ્તુ

આ નિયમ સોનાની ઘડિયાળ, ફાઉન્ટેન પેન અને કુંદન, પોલકી અને જાડાઉ સહિતની ખાસ પ્રકારની જ્વેલરી પર લાગુ થશે નહીં.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">