Cyrus Mistry: આયર્લેન્ડમાં જન્મ, લંડનમાં ભણતર, ભારત પાછા આવીને બિઝનેસ જગતમાં જમાવ્યો સિક્કો

મુંબઈમાં શરૂઆતનો અભ્યાસ પૂરો કર્યા પછી લંડનથી એન્જિનિયરિંગ અને પછી ત્યાંથી એમબીએ કરીને બિઝનેસ જગતમાં સિક્કો જમાવનાર સાયરસ મિસ્ત્રીની (Cyrus Mistry) લાઈફ જર્ની ખૂબ જ રસપ્રદ રહી છે.

Cyrus Mistry: આયર્લેન્ડમાં જન્મ, લંડનમાં ભણતર, ભારત પાછા આવીને બિઝનેસ જગતમાં જમાવ્યો સિક્કો
Cyrus Mistry
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2022 | 6:10 PM

ટાટા ગ્રુપના (Tata Group) ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું (Cyrus Mistry) રવિવારે એક માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું. મુંબઈને પાસે આવેલા પાલઘરમાં સાયરસ એક માર્ગ અકસ્માતનો શિકાર બન્યા હતો. લાઈમલાઈટથી દૂર રહેનાર સાયરસ મિસ્ત્રી બિઝનેસ જગતનું મોટું નામ છે. તેઓ ભારતીય મૂળના પ્રખ્યાત અરબપતિ પલોનજી શાપૂરજી મિસ્ત્રીના સૌથી નાના પુત્ર હતા. 93 વર્ષની વયે પલોનજીનું આ વર્ષે જૂનમાં નિધન થયું હતું. 4 જુલાઈ 1968ના રોજ જન્મેલા સાયરસ મિસ્ત્રીની ઉંમર 54 વર્ષની હતી.

પલોનજી મિસ્ત્રીએ એક આયરિશ મહિલા સાથે લગ્ન કર્યા અને પછી તેઓ આયર્લેન્ડના નાગરિક બન્યા. સાયરસ મિસ્ત્રીનો જન્મ પણ આયર્લેન્ડમાં થયો હતો. મુંબઈમાં શરૂઆતનો અભ્યાસ પૂરો કર્યા પછી લંડનથી એન્જિનિયરિંગ અને પછી ત્યાંથી એમબીએ કરીને બિઝનેસ જગતમાં સિક્કો જમાવનાર સાયરસ મિસ્ત્રીની જીવનયાત્રા ખૂબ જ રસપ્રદ રહી છે.

ટાટા ગ્રુપના ચેરમેન બનવાથી લઈને રતન ટાટા સાથેના વિવાદ સુધી પણ તેઓ હેડલાઈન્સમાં રહ્યા હતા. સાયરસ મિસ્ત્રી ટાટા સન્સના ચેરમેન બન્યા અને પછી તેમને પદ પરથી હટાવવામાં આવ્યા. તેમને પદ પરથી હટાવવા સામે ટાટા જૂથ સાથે સંઘર્ષ કર્યો અને તેમના અધિકારો માટે લડતા રહ્યા.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

લંડનથી એમબીએ પછી સંભાળ્યો ફેમિલી બિઝનેસ

સાયરસ મિસ્ત્રીએ તેમનો પ્રારંભિક અભ્યાસ મુંબઈની કેથેડ્રલ એન્ડ જોન કોનન સ્કૂલમાંથી કર્યો હતો. આ પછી તે એન્જિનિયરિંગ કરવા લંડન ગયો. સિવિલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ થયા પછી, તેને લંડન બિઝનેસ સ્કૂલમાંથી માસ્ટર્સ કર્યું. એમબીએ કર્યા પછી સાયરસે પોતાનો ફેમિલી બિઝનેસ (પાલોનજી ગ્રુપ)ને પણ સંભાળવાનું શરૂ કર્યું. 1991માં તેઓ પલોનજી ગ્રુપમાં જોડાયા. ત્રણ વર્ષ પછી 1994 માં તેમને આ જૂથના ડિરેક્ટર બનાવવામાં આવ્યા.

બનાવ્યા ઘણા રેકોર્ડ, પછી ટાટા ગ્રુપમાં એન્ટ્રી

સાયરસ મિસ્ત્રી ડાયરેક્ટર બન્યા પછી પલોનજી ગ્રુપ કંપનીએ ઘણા રેકોર્ડ બનાવ્યા. ભારતમાં સૌથી ઊંચા રેસિડેન્શિયલ ટાવરના નિર્માણથી લઈને સૌથી લાંબો રેલ બ્રિજ અને સૌથી મોટા બંદરોના નિર્માણ સુધી. કંપનીએ અનેક મોટા પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂરા કર્યા છે. સાયરસ મિસ્ત્રીએ 2006 માં ટાટા સન્સના બોર્ડમાં પ્રવેશ કર્યો. ડિસેમ્બર 2012માં તેમને ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.

બ્રિટિશના પ્રભાવશાળી ઉદ્યોગપતિ લોર્ડ સુશાંત કુમાર ભટ્ટાચાર્ય, જાણીતા વકીલ શિરીન ભરૂચા અને ટાટા સન્સના વાઇસ પ્રેસિડેન્ટ એનએ સૂનાવાલાને આ પદ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ટાટા ગ્રુપે 18 મહિનાની શોધ બાદ સાયરસને પસંદ કર્યો. પરંતુ પછીથી તેનો ટાટા સાથે વિવાદ થયો હતો.

ફેમિલીનો ખૂબ જ મોટો કારોબાર

મિસ્ત્રી પરિવારનો બિઝનેસ ઘણા દેશોમાં ફેલાયેલો છે. પલોનજી મિસ્ત્રીની ગણતરી ભારતીય મૂળના સૌથી સફળ અને શક્તિશાળી ઉદ્યોગપતિઓમાં થાય છે. તેમના ગયા પછી, સાયરસ બિઝનેસની દેખરેખ રાખતા હતા. પલોનજી ગ્રુપનું એક મોટું કંસ્ટ્રક્શન સામ્રાજ્ય છે. પલોનજી ફેમિલીનો ટાટા સન્સમાં પણ હિસ્સો છે. એસપીજી ગ્રૂપમાં શાપૂરજી પલોનજી એન્જિનિયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન, યુરેકા ફોર્બ્સ, ફોર્બ્સ એન્ડ કંપની, એફકોન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફોર્બ્સ ટેક્સટાઈલ, ગોકક ટેક્સટાઈલ, એસપી રિયલ એસ્ટેટ અને નેક્સ્ટ જેન, એસપી કન્સ્ટ્રક્શન મટિરિયલ્સ ગ્રૂપનો સમાવેશ થાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">