Cardless Cash Withdrawal: હવે રૂપિયા ઉપાડવા ATMની જરૂર નથી, રિઝર્વ બેન્કે કરી આ મોટી જાહેરાત

Cardless cash withdrawal: ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે UPIની મદદથી કાર્ડલેસ કેશ ઉપાડવાની સુવિધા હવે તમામ બેન્કના ATM પર ઉપલબ્ધ થશે. આની મદદથી ટ્રાન્ઝેક્શન દરમિયાન કોઈપણ પ્રકારની છેતરપિંડી અટકાવી શકાય છે.

Cardless Cash Withdrawal: હવે રૂપિયા ઉપાડવા ATMની જરૂર નથી, રિઝર્વ બેન્કે કરી આ મોટી જાહેરાત
Cardless-Transactions (symbolic image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 2:01 PM

ડિજિટલ ફ્રોડ (Digital Fraud)ના વધી રહેલા મામલા વચ્ચે રિઝર્વ બેન્કે તેને રોકવા માટે મોટો નિર્ણય લીધો છે. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે UPIની મદદથી કાર્ડલેસ કેશ ઉપાડવા (Cardless cash withdrawal)ની સુવિધા હવે તમામ બેન્કના ATM પર ઉપલબ્ધ થશે. આની મદદથી ટ્રાન્ઝેક્શન દરમિયાન કોઈપણ પ્રકારની છેતરપિંડી અટકાવી શકાય છે. હાલમાં એટીએમમાંથી કાર્ડલેસ રોકડ ઉપાડવાની સુવિધા માત્ર કેટલીક બેન્કના એટીએમમાં ​​જ ઉપલબ્ધ છે. હવે આ સુવિધાનો વિસ્તાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિઝર્વ બેન્કે કહ્યું કે હવે કાર્ડ વગર UPIની મદદથી કોઈપણ બેન્કના ATMમાંથી રોકડ ઉપાડી શકાશે. જો રોકડ ઉપાડ માટે કાર્ડની જરૂર ન હોય તો આ કાર્ડ ક્લોનિંગ, કાર્ડ સ્કિમિંગનું જોખમ ઘટાડી શકે છે.

રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જો તમામ બેન્કના ATMમાં કાર્ડલેસ ઉપાડની સુવિધા ઉપલબ્ધ હોય તો કાર્ડ ક્લોનિંગ, સ્કિમિંગ, ડિવાઈસ ટેમ્પરિંગ જેવી ઘટનાઓ પર અંકુશ લાવી શકાય છે. ATM ફ્રોડને રોકવા માટે કાર્ડલેસ ઉપાડની સુવિધા શરૂ કરવી પડશે. તેથી જ હવે બેન્કના એટીએમમાં ​​પણ કાર્ડલેસ કેશ ઉપાડવાની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. કાર્ડલેસ ઉપાડની સુવિધા કસ્ટમર ઓથરાઈઝેશનની મદદથી કરવામાં આવશે. UPIની મદદથી ગ્રાહક અધિકૃતતા સક્ષમ કરવામાં આવશે.

એક મહિનામાં 25 હજાર સુધી કાર્ડલેસ ઉપાડ

કાર્ડલેસ ઉપાડની સુવિધા હેઠળ વ્યક્તિ ડેબિટ કાર્ડની મદદ વિના એટીએમમાંથી રોકડ ઉપાડી શકે છે. કાર્ડલેસ ઉપાડ એક દિવસમાં 100 રૂપિયા, વધુમાં વધુ 10,000 રૂપિયા અથવા મહિનામાં 25,000 રૂપિયા સુધીની રોકડ ઉપાડી શકાય છે. મર્યાદા અંગેનો કોઈપણ નિર્ણય નિયમનકારી ધોરણે લેવામાં આવશે. ગવર્નર દાસે કહ્યું કે મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં ભારત બિલ પેમેન્ટ માટે નેટવર્થ 100 કરોડથી ઘટાડીને 25 કરોડ કરવામાં આવી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

OTPની મદદથી ટ્રાન્ઝેક્શન પૂર્ણ થાય છે

વાસ્તવમાં, કાર્ડ વગર એટીએમમાંથી રોકડ ઉપાડ મોબાઈલ એપ દ્વારા કરવામાં આવે છે. આ સમગ્ર સિસ્ટમ OTP દ્વારા કામ કરે છે અને OTPના આધારે તમે મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોકડ ઉપાડી શકો છો. રોકડ ઉપાડ પહેલા, ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઈલ પર OTP મોકલવામાં આવે છે અને ત્યારબાદ ઉપાડની પ્રક્રિયા આગળ વધે છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, બેન્ક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેન્ક, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્કના ATM પર કેશલેસ ઉપાડની સુવિધા ઉપલબ્ધ છે.

આ પણ વાંચો :ચીનના શાંઘાઈમાં કોરોના બેકાબૂ, લોકડાઉનના પગલે લાખો લોકો ખોરાક-પાણી વિના ઘરોમાં કેદ

આ પણ વાંચો :Amit Trivedi Birthday: અમિત ત્રિવેદીએ ગુજરાતી સિનેમામાં રેલાવ્યા છે સૂર, શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો મળ્યો છે પુરસ્કાર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">