Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેન્ક ઓફ ઈન્ડિયાનો ત્રીજા ક્વાર્ટરમાં નફો 90 % વધ્યો, કમાણીમાં ઘટાડો

બેન્ક ઓફ ઈન્ડિયા (BOI) એ જણાવ્યું કે ડિસેમ્બર 2021 ના ​​રોજ પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો 90 ટકા વધીને 1,027 કરોડ રૂપિયા થયો છે. તેણે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 540.72 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો હતો.

બેન્ક ઓફ ઈન્ડિયાનો ત્રીજા ક્વાર્ટરમાં નફો 90 % વધ્યો, કમાણીમાં ઘટાડો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 6:28 PM

બેન્ક ઓફ ઈન્ડિયાએ (Bank of India) શુક્રવારે જણાવ્યું હતું કે તેની ખરાબ દેવાની સ્થિતિમાં સુધારો થવાને કારણે ડિસેમ્બર 2021માં પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટર (Q3)માં તેનો ચોખ્ખો નફો 90 ટકા વધીને 1,027 કરોડ રૂપિયા થયો છે. જાહેર ક્ષેત્રની બેંકે (Public Sector Bank) ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 540.72 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો હતો. બીઓઆઈએ (BOI) સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે ત્રીજા ક્વાર્ટરમાં તેની કુલ આવક ઘટીને 11,211.14 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 12,310.92 કરોડ રૂપિયા હતી.

તેમણે કહ્યું કે નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ (NII) પણ ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 3,739 કરોડ રૂપિયાની સરખામણીએ આ વર્ષે ઘટીને 3,408 કરોડ રૂપિયા થઈ છે. બેંકની ગ્રોસ બેડ લોન અથવા નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPA) ડિસેમ્બર 2021ના અંતે ઘટીને 10.46 ટકા પર આવી ગઈ છે.

બેંકના ગ્રાહકોને પડતી સમસ્યાઓ

તમને જણાવી દઈએ કે જાન્યુઆરીના અંતમાં સિસ્ટમ અપગ્રેડેશન બાદથી બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકોને વ્યવહારમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. બેન્ક ઓફ ઈન્ડિયાના ગ્રાહકોએ પોતે ફરિયાદ કરી છે કે તેઓ નેટ બેન્કિંગ, ચેક ક્લિયરન્સ અને ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગ્રાહકોએ સોશિયલ મીડિયા દ્વારા ટ્રાન્ઝેક્શનમાં આવી રહેલી સમસ્યાઓ વિશે જણાવ્યું છે.

ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ફરિયાદ કેવી રીતે કરવી ? જાણી લો
'અમીર-ગરીબ...જાડા-પાતળા...', યુઝવેન્દ્ર ચહલને ડેટ કરવા પર RJ મહવાશે તોડ્યું મૌન, ધનશ્રી પર સાધ્યું નિશાન !
Divorce : ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા અંગે લેવાશે નિર્ણય..જાણો ક્યારે
Tejpatta Water Benefits : દરરોજ તેજપતાનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
સુનિતા વિલિયમ્સનું અવકાશયાન જમીન નહી પરંતુ પાણીમાં કેમ ઉતારવામાં આવ્યું,જાણો
Plant in pot : ઉનાળામાં મીઠા લીમડાના છોડમાં ઉમેરો આ વસ્તુ, લીલોછમ રહેશે છોડ

નોંધનીય છે કે, બેન્ક ઓફ ઈન્ડિયાએ ગયા અઠવાડિયે તેની કોર બેન્કિંગ સેવાઓને અપગ્રેડ કરી હતી અને પ્રક્રિયા 24 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થઈ જશે તેવું કહેવામાં આવ્યું હતું. બેંક ઓફ ઈન્ડિયા પણ તમામ ગ્રાહકોને તેમને પડતી સમસ્યાઓના જવાબો આપી રહી છે. તેમના ગ્રાહકો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં, તેમણે લખ્યું છે કે, ચાલુ સ્થળાંતર પ્રવૃત્તિને કારણે કોઈપણ અસુવિધા માટે અમે દિલગીર છીએ. અમે તમને શ્રેષ્ઠ સેવાઓની ખાતરી આપીએ છીએ.

અગાઉ, HDFC બેન્કે કહ્યું હતું કે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 10,342.2 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે. વાર્ષિક ધોરણે 18 ટકાનો વધારો થયો છે. ખાનગી બેંકની કુલ આવકમાં પણ મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં બેંકની કુલ વ્યાજની આવક 13 ટકા વધીને 18,443.5 કરોડ રૂપિયા થઈ છે. એક વર્ષ અગાઉના ગાળામાં આ 16,317.6 કરોડ રૂપિયા હતી.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : ક્રૂડના ભાવ 92 ડોલર નજીક પહોંચ્યા, જાણો આજે દેશમાં પેટ્રોલ – ડીઝલની કિંમતની શું છે સ્થિતિ

અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
g clip-path="url(#clip0_868_265)">