શું FD તોડવા પર લાગતી પેનલ્ટીથી બચી શકાય છે? જાણો રોકાણકારો માટેની નવી સ્માર્ટ વ્યુહરચના
સ્માર્ટ ઇન્વેસ્ટિંગ માટે એ જાણવું જરૂરી છે કે હવે પાર્ટનર બેંકોમાં અલગ સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવ્યા વિના પણ સીધી FD બુક કરી શકાય છે. વધુમાં, FD પર મળતું વ્યાજ દર ત્રણ મહિને કમ્પાઉન્ડ (ચક્રવૃદ્ધિ) થતું હોવાથી, જાહેર કરાયેલા 8% વ્યાજ દર પર વાસ્તવિક વળતર તેનાથી પણ વધારે જોવા મળે છે. આ વ્યૂહરચના લાંબા ગાળે મોટો પ્રોફિટ આપે છે. વધુ જાણવા માટે વાંચો વિગતવાર....

વર્તમાન સમયમાં શેરબજારમાં જોવા મળતી ભારે અસ્થિરતા અને અનિશ્ચિતતાને કારણે રોકાણકારો ફરી એકવાર રોકાણના પરંપરાગત અને સુરક્ષિત વિકલ્પો તરફ વળી રહ્યા છે. ખાસ કરીને ડિફેન્સ સેક્ટર જેવા ચોક્કસ ક્ષેત્રોમાં તેજી જોયા પછી જ્યારે બજારમાં ઘટાડો આવે છે, ત્યારે સામાન્ય રોકાણકાર પોતાના પોર્ટફોલિયોમાં રહેલા લાલ રંગથી ચિંતિત થઈ જાય છે. આવી સ્થિતિમાં, ફિક્સ્ડ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ જેવા વિકલ્પ ફરીથી ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. બજારની અસ્થિરતા વચ્ચે રોકાણકારો ફરી FD તરફ વળ્યા જોકે, FDમાં રોકાણ કરતી વખતે રોકાણકારોના મનમાં હંમેશા એક મોટો ડર રહેતો હોય છે: “જો સમય પહેલા પૈસાની જરૂર પડી અને FD તોડવી પડી, તો બેંક કેટલી પેનલ્ટી લગાવશે?” function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; ...
