AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું FD તોડવા પર લાગતી પેનલ્ટીથી બચી શકાય છે? જાણો રોકાણકારો માટેની નવી સ્માર્ટ વ્યુહરચના

સ્માર્ટ ઇન્વેસ્ટિંગ માટે એ જાણવું જરૂરી છે કે હવે પાર્ટનર બેંકોમાં અલગ સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવ્યા વિના પણ સીધી FD બુક કરી શકાય છે. વધુમાં, FD પર મળતું વ્યાજ દર ત્રણ મહિને કમ્પાઉન્ડ (ચક્રવૃદ્ધિ) થતું હોવાથી, જાહેર કરાયેલા 8% વ્યાજ દર પર વાસ્તવિક વળતર તેનાથી પણ વધારે જોવા મળે છે. આ વ્યૂહરચના લાંબા ગાળે મોટો પ્રોફિટ આપે છે.  વધુ જાણવા માટે વાંચો વિગતવાર....

શું FD તોડવા પર લાગતી પેનલ્ટીથી બચી શકાય છે? જાણો રોકાણકારો માટેની નવી સ્માર્ટ વ્યુહરચના
| Updated on: Apr 24, 2026 | 8:24 PM
Share

વર્તમાન સમયમાં શેરબજારમાં જોવા મળતી ભારે અસ્થિરતા અને અનિશ્ચિતતાને કારણે રોકાણકારો ફરી એકવાર રોકાણના પરંપરાગત અને સુરક્ષિત વિકલ્પો તરફ વળી રહ્યા છે. ખાસ કરીને ડિફેન્સ સેક્ટર જેવા ચોક્કસ ક્ષેત્રોમાં તેજી જોયા પછી જ્યારે બજારમાં ઘટાડો આવે છે, ત્યારે સામાન્ય રોકાણકાર પોતાના પોર્ટફોલિયોમાં રહેલા લાલ રંગથી ચિંતિત થઈ જાય છે. આવી સ્થિતિમાં, ફિક્સ્ડ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ જેવા વિકલ્પ ફરીથી ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે.

બજારની અસ્થિરતા વચ્ચે રોકાણકારો ફરી FD તરફ વળ્યા

જોકે, FDમાં રોકાણ કરતી વખતે રોકાણકારોના મનમાં હંમેશા એક મોટો ડર રહેતો હોય છે: “જો સમય પહેલા પૈસાની જરૂર પડી અને FD તોડવી પડી, તો બેંક કેટલી પેનલ્ટી લગાવશે?”

ઐતિહાસિક રીતે જોઈએ તો, ભારતમાં બેન્કિંગ સિસ્ટમનો વિકાસ અંગ્રેજોના સમયથી થયો છે, જ્યાં શરૂઆતમાં બેંકો માત્ર નાણાંની સુરક્ષા માટે હતી. સમય જતાં, 1960માં બેંકોના રાષ્ટ્રીયકરણ પછી, સરકારે સામાન્ય જનતાને FDમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કર્યા અને 1990ના દાયકા સુધીમાં તે રોકાણનો સૌથી લોકપ્રિય વિકલ્પ બની ગયો. પરંતુ, પરંપરાગત બેન્કિંગ વ્યવસ્થામાં એક મોટો અવરોધ ‘પ્રીમેચ્યોર વિડ્રોઅલ પેનલ્ટી’ રહ્યો છે. સામાન્ય રીતે, જો તમે 5 વર્ષ માટે 7% ના વ્યાજ દરે FD કરાવી હોય અને તેને 4 વર્ષમાં જ તોડી નાખો, તો બેંકો વ્યાજ દરમાં 1% જેવો ઘટાડો કરીને તમને માત્ર 6% લેખે વ્યાજ ચૂકવે છે. . ઘણી મોટી બેંકો ગ્રાહકોને રોકી રાખવા પેમાટે આ પેનલ્ટીનો ઉપયોગ કરે છે, જે રોકાણકારો માટે આર્થિક નુકસાન સમાન હોય છે.

પેનલ્ટી ભર્યા વગર FD કેવી રીતે તોડવી?

પરંતુ હવે નાણાકીય તકનીક (FinTech) ના યુગમાં આ સ્થિતિ બદલાઈ રહી છે. બજારમાં હવે એવા પ્લેટફોર્મ્સ ઉપલબ્ધ છે જે રોકાણકારોને આ પેનલ્ટીના બોજમાંથી મુક્તિ અપાવવામાં મદદ કરે છે. ‘સ્ટેબલ મની’ (Stable Money) જેવી આધુનિક એપ્લિકેશન રોકાણકારોને 200 થી વધુ બેંકો સાથે જોડે છે, જ્યાં તમે વ્યાજ દરોની તુલના કરી શકો છો અને તમારી પસંદગીની બેંકમાં માત્ર 3 મિનિટમાં FD બુક કરી શકો છો. સૌથી મહત્વની વાત એ છે કે, આવા પ્લેટફોર્મ્સ દ્વારા જ્યારે તમે FD કરો છો, ત્યારે કેટલીક વ્યૂહરચનાઓ અને બેંક વિકલ્પો એવા મળે છે જેમાં પ્રીમેચ્યોર રીતે પૈસા ઉપાડવા પર કોઈ પેનલ્ટી લાગતી નથી. આ સુવિધા રોકાણકારોને લિક્વિડિટી એટલે કે રોકડની તરલતા પૂરી પાડે છે, જેથી કટોકટીના સમયે વ્યાજ ગુમાવ્યા વિના નાણાં મેળવી શકાય છે.

RBI ની પેટાકંપની DICGC નું વીમા કવચ શું છે?

રોકાણની સુરક્ષા અંગે પણ હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે RBIની પેટાકંપની DICGC (ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન) હેઠળ દરેક રોકાણકારને બેંક દીઠ 5 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ મળે છે. જો કોઈ સંજોગોમાં બેંક નિષ્ફળ જાય, તો સરકાર સુનિશ્ચિત કરે છે કે રોકાણકારને તેના 5 લાખ રૂપિયા સુધીના નાણાં 90 દિવસની અંદર પરત મળી જાય. જો કોઈ રોકાણકાર પાસે મોટું ભંડોળ હોય, તો તેણે એક જ બેંકમાં બધું રોકાણ કરવાને બદલે અલગ-અલગ બેંકોમાં 5-5 લાખ રૂપિયાની FD કરવી જોઈએ, જેથી તમામ ભંડોળ સુરક્ષિત રહે.

નવી ટેક્સ રિજીમમાં FD વ્યાજ પર મળતા ફાયદા

ટેક્સ કપાતની દ્રષ્ટિએ પણ હવે FD વધુ આકર્ષક બની છે. અગાઉ, FD પર મળતા વ્યાજ પર ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ કપાતો હોવાથી વાસ્તવિક વળતર ઓછું જણાતું હતું. પરંતુ નવી ટેક્સ રિજીમ (New Tax Regime) હેઠળ, જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક 12 લાખ રૂપિયા સુધી હોય, તો તેની ટેક્સ લાયબિલિટી નહિવત જેવી રહે છે. આ ફેરફારને કારણે, જેઓ શેરબજારના જોખમથી બચવા માંગે છે તેમના માટે FD એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે.

FD લેડરિંગ દ્વારા વધુ વળતર અને લિક્વિડિટી મેળવવાની સ્માર્ટ રીત

વધુ વળતર મેળવવા માટે રોકાણકારોએ ‘FD લેડરિંગ’ (Laddering) ની વ્યૂહરચના અપનાવવી જોઈએ. આ પદ્ધતિમાં તમારા કુલ નાણાંને એકસાથે એક જ લાંબા ગાળા માટે રોકવાને બદલે તેને વિભાજિત કરવા જોઈએ. ઉદાહરણ તરીકે, થોડા નાણાં 3 મહિના માટે, થોડા 6 મહિના માટે અને બાકીના 1 વર્ષ માટે રોકવા જોઈએ. આનાથી બે ફાયદા થાય છે:

  • 1 તમને નિયમિત અંતરે નાણાં પાછા મળતા રહે છે (લિક્વિડિટી)
  • 2 તમે ચક્રવૃદ્ધિ વ્યાજ (Compounding) નો લાભ લઈ શકો છો.

FD કે RD? બંનેમાંથી ક્યુ વધુ સારુ?

FDમાં વ્યાજ પર પણ વ્યાજ મળતું હોવાથી, લાંબા ગાળે તે અસરકારક વળતર આપે છે. ઘણીવાર રોકાણકારો મૂંઝવણમાં હોય છે કે FD કરવી કે RD (રિકરિંગ ડિપોઝિટ). જો તમારી પાસે લમ્પસમ મોટી રકમ હોય, તો FD હંમેશા શ્રેષ્ઠ વિકલ્પ છે. કારણ કે તેમાં શરૂઆતથી જ આખી રકમ પર વ્યાજ મળે છે. તેની સામે RD માં તમે દર મહિને નાની રકમ જમા કરો છો, તેથી વળતર ઓછું મળે છે. જોકે, RD એ બચતની આદત પાડવા માટે એક સારું સાધન છે. ઈમરજન્સી ફંડ બનાવવા માટે આ બંને સાધનો અત્યંત ઉપયોગી છે.

પેનલ્ટીના ડર વિના FDમાં રોકાણ કરી શકાય?

જો તમે સ્માર્ટ રોકાણકાર બનવા માંગતા હો, તો માત્ર પરંપરાગત પદ્ધતિઓને વળગી રહેવાને બદલે આધુનિક પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરવો જોઈએ. જે પેનલ્ટી વગર FD તોડવાની સુવિધા આપે છે. બજારની અસ્થિરતા વચ્ચે જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્સનું વળતર બજાર પર નિર્ભર હોય છે, જેની સામે FD તમને ખાતરીપૂર્વકનું વળતર આપે છે. યોગ્ય આયોજન, ટેક્સ લિમિટનું ધ્યાન અને DICGC સુરક્ષા કવચનો ઉપયોગ કરીને, તમે FD દ્વારા 8% કે તેથી વધુ વળતર મેળવી શકો છો અને તમારી નાણાકીય જરૂરિયાતોને સુરક્ષિત કરી શકો છો. હવે FD એ માત્ર સેવિંગ નથી, પરંતુ એક સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટ પણ છે, જે તમને પેનલ્ટીના ડર વિના આર્થિક રોકાણની સ્વતંત્રતા આપે છે.

મોંઘવારીનો ડામ અને પાણીની અછત, સુપર અલ નિનો નામનો કુદરતી પડકાર ભારતીય અર્થતંત્ર માટે છે મોટી ખતરાની ઘંટી- વાંચો

Follow Us
8 કિમી દૂર બુથ ખસેડીને અધિકારીઓએ શું સાબિત કર્યું?
8 કિમી દૂર બુથ ખસેડીને અધિકારીઓએ શું સાબિત કર્યું?
પત્રિકા સાથે ચવાણું ઘર-ઘર સુધી પહોંચાડ્યું, મતદારોને રીઝવવાનો પ્રયાસ
પત્રિકા સાથે ચવાણું ઘર-ઘર સુધી પહોંચાડ્યું, મતદારોને રીઝવવાનો પ્રયાસ
જુનાગઢ: ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ
જુનાગઢ: ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ
સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી
સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી
પારકે પૈસે નાસ્તો ભોજન કરાવનાર પૂર્વ સાંસદ પાસે રૂપિયા માંગતા આપી ધમકી
પારકે પૈસે નાસ્તો ભોજન કરાવનાર પૂર્વ સાંસદ પાસે રૂપિયા માંગતા આપી ધમકી
ગીરસોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, વીડિયો થયો વાયરલ
ગીરસોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, વીડિયો થયો વાયરલ
કોંગ્રેસ નેતાએ સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ
કોંગ્રેસ નેતાએ સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ
Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ
Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ
ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો
ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો
આજથી આ 3 રાશિના જાતકોન કિસ્મત ખુલવાની ઘડી!માલામાલ કરશે મંગળ-બુધની યુતિ
આજથી આ 3 રાશિના જાતકોન કિસ્મત ખુલવાની ઘડી!માલામાલ કરશે મંગળ-બુધની યુતિ
g clip-path="url(#clip0_868_265)">