આજે કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 3 ટકા વધારાના નિર્ણય ઉપર લાગી શકે છે મંજૂરીની મહોર, PM મોદીની અધ્યક્ષતામાં મળશે બેઠક

મોંઘવારી ભથ્થામાં વધારો અને પેન્ડિંગ DA પર નિર્ણય લેવામાં વિલંબ યુપી સહિત પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીને કારણે થયો છે. કર્મચારીઓ 18 મહિનાના અટકેલા ડીએને બહાલ કરવાની માંગ કરી રહ્યા છે.

આજે કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 3 ટકા વધારાના નિર્ણય ઉપર લાગી શકે છે મંજૂરીની મહોર, PM મોદીની અધ્યક્ષતામાં મળશે બેઠક
7th Pay Commission
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 8:22 AM

કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને હોળીની ભેટ આપી શકે છે. PM નરેન્દ્ર મોદી(PM Narendra Modi) ની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક (Cabinet Meeting Today) યોજાવાની છે. આ બેઠકમાં સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા(Dearness Allowance)માં વધારાની જાહેરાત કરી શકે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ પણ DA અને DR એરિયર્સ અને હાઉસિંગ રેન્ટલ એલાઉન્સ (HRA)માં વધારાની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે DA એ જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનરો માટે કૉસ પફ લિવિંગ એમાઉન્ટ જાન્યુઆરી અને જુલાઈમાં વર્ષમાં બે વખત વધારવામાં આવે છે.

હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 31 ટકા ડીએ આપવામાં આવે છે. હોળી પહેલા ડીએમાં 3 ટકાના વધારા બાદ કુલ ડીએ વધીને 34 ટકા થઈ જશે. DAમાં વધારા અંગે સરકારની જાહેરાત સાતમા પગાર પંચની ભલામણ પર આધારિત હશે.

68 લાખ પેન્શનધારકોને પણ ફાયદો થશે

જો સરકાર આજે આ અંગે નિર્ણય લે છે તો તેનાથી 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનરોને ફાયદો થશે. જો કેન્દ્ર સરકાર કર્મચારીઓના ડીએમાં 3%નો વધારો કરે છે તો આ વધારો 1 જાન્યુઆરી, 2022 થી લાગુ થશે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

ડીએ કર્મચારીઓના પગારના આધારે આપવામાં આવે છે. શહેરી, અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કામ કરતા સરકારી કર્મચારીઓ માટે ડીએ અલગ છે. મોંઘવારી ભથ્થું (DA) બેઝિક પગાર પર ગણવામાં આવે છે. ડીએની ગણતરી માટે એક સૂત્ર છે જે ગ્રાહક ભાવ સૂચકાંક દ્વારા નક્કી કરવામાં આવે છે.

લાંબા સમયથી ઇંતેજાર

મોંઘવારી ભથ્થામાં વધારો અને પેન્ડિંગ DA પર નિર્ણય લેવામાં વિલંબ યુપી સહિત પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીને કારણે થયો છે. કર્મચારીઓ 18 મહિનાના અટકેલા ડીએને બહાલ કરવાની માંગ કરી રહ્યા છે. આ અંગે નિર્ણય 16 માર્ચે લેવાનો છે અને તે પહેલા કેબિનેટ સચિવ સાથે વાતચીત થશે. જો સરકાર મોંઘવારી ભથ્થું વધારશે તો લગભગ 48 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનધારકોને ફાયદો થશે.

હાલ  31% ના દરે DA મળે છે

હાલમાં સરકારી કર્મચારીઓને 31 ટકા ડીએ મળે છે. 3 ટકાના વધારાથી સરકારી કર્મચારીઓના પગારમાં મહત્તમ રૂ. 20,000 અને લઘુત્તમ રૂ. 6,480નો વધારો થશે. AICPI (All India Consumer Price Index for Industrial Workers) ના ડેટા અનુસાર ડીએ ડિસેમ્બર 2021 સુધીમાં 34.04% સુધી પહોંચી ગયું છે. જો કોઈ કર્મચારીનો મૂળ પગાર રૂ. 18,000 દર મહિને છે તો નવું DA (34%) રૂ. 6,120 દર મહિને મળશે જે હાલમાં ડીએ રૂ. 31% પર 5,580 છે.

આ પણ વાંચો : Digital life certificate જમા કરવા છતાં તમારું Pension અટકી ગયું છે? વહેલી તકે પતાવો આ કામ

આ પણ વાંચો : પોસ્ટ ઓફિસના આ ખાતાઓમાં હવે વ્યાજના પૈસા જમા નહીં થાય, 1લી એપ્રિલથી બંધ થશે સુવિધા

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">