દેવામાં ડૂબેલી અનિલ અંબાણીની કંપની ખરીદવા માટે અદાણી, Tata AIG સહિત 54 કંપનીઓએ લગાવી બોલી

સૂત્રોએ જણાવ્યું હતું કે મોટાભાગના બિડરોએ સમગ્ર કંપનીને ટેકઓવર કરવા માટે EoI આપ્યો છે. કેટલીક કંપનીઓએ રિલાયન્સ કેપિટલની એક કે બે પેટાકંપનીઓ માટે બિડ કરી છે.

દેવામાં ડૂબેલી અનિલ અંબાણીની કંપની ખરીદવા માટે અદાણી, Tata AIG સહિત 54 કંપનીઓએ લગાવી બોલી
Anil Ambani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 5:47 PM

અનિલ અંબાણી (Anil Ambani) જૂથની કંપની રિલાયન્સ કેપિટલના  (Reliance Capital) અધિગ્રહણ માટે 54 કંપનીઓએ બિડ કરી છે. આ કંપનીઓમાં અદાણી ફિનસર્વ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, ટાટા એઆઈજી, એચડીએફસી એર્ગો અને નિપ્પોન લાઈફ ઈન્સ્યોરન્સનો સમાવેશ થાય છે. સૂત્રોએ આ માહિતી આપી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા નિયુક્ત કરાયેલા એડમિનિસ્ટ્રેટરે બિડ સબમિટ કરવાની છેલ્લી તારીખ 11 માર્ચથી લંબાવીને 25 માર્ચ કરી હતી. અન્ય બિડર્સમાં યસ બેન્ક, બંધન ફાઇનાન્સિયલ હોલ્ડિંગ્સ, ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ, ઓક ટ્રી કેપિટલ, બ્લેકસ્ટોન, બ્રુકફિલ્ડ, TPG, KKR, પિરામલ ફાઇનાન્સ અને પૂનાવાલા ફાઇનાન્સનો સમાવેશ થાય છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલાક સંભવિત બિડર્સની વિનંતીઓને પગલે બિડિંગ માટેની સમયમર્યાદા લંબાવવામાં આવી હતી. આ કંપનીઓએ એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (EoI) સબમિટ કરવા માટે વધુ સમય માંગ્યો હતો.

ત્રીજી મોટી NBFC સામે IBC હેઠળ કાર્યવાહી

રિઝર્વ બેંકે ગયા વર્ષે 29 નવેમ્બરે ચુકવણી અને વ્યવસાયના સંચાલનમાં ડિફોલ્ટના મુદ્દાઓ પર રિલાયન્સ કેપિટલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું વિસર્જન કર્યું હતું. તે ત્રીજી સૌથી મોટી નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) છે જેની સામે મધ્યસ્થ બેંકે નાદારી અને નાદારી સંહિતા હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. અન્ય બે કંપનીઓ શ્રેય ગ્રુપની એનબીએફસી અને દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન (DHFL) છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

સૂત્રોએ જણાવ્યું હતું કે મોટાભાગના બિડરોએ સમગ્ર કંપનીને ટેકઓવર કરવા માટે EoI આપ્યો છે. કેટલીક કંપનીઓએ રિલાયન્સ કેપિટલની એક કે બે પેટાકંપનીઓ માટે બિડ કરી છે. બિડર્સ પાસે બે વિકલ્પો હતા કાં તો આખી કંપની રિલાયન્સ કેપિટલ માટે અથવા તેની એક કે બે પેટાકંપનીઓ માટે બિડ કરે.

રિલાયન્સ કેપિટલની પેટાકંપનીઓમાં રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ, રિલાયન્સ નિપ્પોન લાઈફ ઈન્સ્યોરન્સ, રિલાયન્સ સિક્યોરિટીઝ, રિલાયન્સ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની, રિલાયન્સ હોમ ફાઈનાન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સનો સમાવેશ થાય છે.

ફેબ્રુઆરીમાં કંપનીના વેચાણ માટે બિડ આમંત્રિત કરવામાં આવી હતી

રિલાયન્સ કેપિટલના બોર્ડના વિસર્જન પછી, રિઝર્વ બેંકે નાગેશ્વર રાવ વાયને કંપનીની કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ (CIRP) માટે એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કર્યા હતા. ત્યારબાદ રિઝર્વ બેંકે કંપની સામે CIRP શરૂ કરવા માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની મુંબઈ બેંચ સમક્ષ અરજી કરી હતી.

આ વર્ષની શરૂઆતમાં, રિઝર્વ બેન્કે કંપની માટે એડમિનિસ્ટ્રેટર નિયુક્ત કર્યા હતા અને રિલાયન્સ કેપિટલના વેચાણ માટે બિડ આમંત્રિત કર્યા હતા.

આ પણ વાંચો :  રબર સેક્ટરમાં બિઝનેસ કરવો હવે સરળ બનશે, જૂના નકામા કાયદા ખતમ થશે, વન ટાઈમ રજિસ્ટ્રેશનની સુવિધા મળશે

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">