AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અદાણી ગ્રુપને હૈફા પોર્ટનું સંચાલન મળ્યું! જાણો સૈકા જૂના ભારત-ઈઝરાયલ સંબંધોના ઇતિહાસ વિશે

ઝરાયેલે તેને ભારત-ઈઝરાયલ સંબંધોમાં મોટો વિકાસ ગણાવ્યો છે. આ બંદરનું નામ પ્રથમ વિશ્વ યુદ્ધના સમયથી ઇતિહાસના પાનાઓમાં નોંધાયેલું છે.

અદાણી ગ્રુપને હૈફા પોર્ટનું સંચાલન મળ્યું! જાણો સૈકા જૂના ભારત-ઈઝરાયલ સંબંધોના ઇતિહાસ વિશે
Gautam Adani
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 9:51 AM
Share

ભારત-ઈઝરાયેલ ભાગીદારી માટે સારા સમાચાર આવ્યા છે. અદાણી ગ્રુપે(Adani Group) હૈફા પોર્ટ માટે બિડ જીતી લીધી હતી.” આ વાત ભારતમાં ઈઝરાયલના રાજદૂત નાઓર ગિલોને કહી હતી. ગિલનના જણાવ્યા અનુસાર અદાણી પોર્ટે ઐતિહાસિક હૈફા  પોર્ટ માટે બિડ જીતી લીધી છે. હવે આ પોર્ટનું સંચાલન અદાણી ગ્રુપ કરશે. ન્યૂઝ એજન્સી રોયટર્સે પણ જેરુસલેમના આ સમાચારની પુષ્ટિ કરી છે. રોઈટર્સે ઈઝરાયેલના નાણા મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું કે અદાણી ગ્રુપે હૈફા પોર્ટ ખરીદવાની બિડ જીતી લીધી છે. ઈઝરાયેલની કંપની ગેડોટને પણ થોડો હિસ્સો મળ્યો છે. અદાણી અને ગેડોટ સંયુક્ત રીતે આ પોર્ટનું ખાનગીકરણ કરશે. હૈફા ઈઝરાયેલના સૌથી મોટા દરિયાઈ બંદરોમાંનું એક છે.

ઈઝરાયેલે તેને ભારત-ઈઝરાયલ સંબંધોમાં મોટો વિકાસ ગણાવ્યો છે. આ બંદરનું નામ પ્રથમ વિશ્વ યુદ્ધના સમયથી ઇતિહાસના પાનાઓમાં નોંધાયેલું છે. આ જ કારણ છે કે ભારતમાં દર વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ હૈફા ડે ઉજવવામાં આવે છે. ઈઝરાયેલમાં દર વર્ષે હૈફા ડેનું પણ આયોજન કરવામાં આવે છે. ઇઝરાયેલ આજે પણ ભારતીય સૈનિકોનું લોખંડી મનોબળ  માને છે કારણ કે 23 સપ્ટેમ્બર 1918નો તે દિવસ ઇઝરાયેલ માટે સૌથી ખાસ દિવસ છે. ઈઝરાયેલના શહેર હાઈફાને આઝાદ કરાવનારા શહીદોની યાદમાં દર વર્ષે હૈફા દિવસ ઉજવવામાં આવે છે.

જ્યારે ભારતીય સેનાએ ઈઝરાયેલના શહેરને આઝાદ કરાવ્યું હતું

પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન 23 સપ્ટેમ્બર 1918 ના રોજ ભારતીય સૈનિકોએ તુર્કીની સેના સામે યુદ્ધ લડતા ઇઝરાયેલના શહેર હાઇફાને આઝાદ કરાવ્યું હતું. જો તે દિવસે ભારતીય સેના ન હોત તો કદાચ હૈફા શહેર આઝાદ ન થાત. આજે આ હાઈફા શહેર ફરી ચર્ચામાં છે. ઈતિહાસમાં નોંધાયેલું છે કે હાઈફા શહેરને કબજે કરવા માટે એક તરફ તુર્ક અને જર્મન સૈન્ય ઉભું હતું અને બીજી તરફ ભારતીય સેનાની ટુકડી હતી પરંતુ બંને વચ્ચે મોટો તફાવત હતો.

ઓટ્ટોમન અને જર્મન સેના આધુનિક મશીનગન અને તોપોથી સજ્જ હતી જ્યારે ભારતીય સેનાએ ભાલા અને તલવારો સાથે મોરચો સંભાળ્યો હતો. ભારે લડાઈ થઈ અને અંતે ટર્ક્સ અને જર્મન સૈન્યએ મશીનગન અને આર્ટિલરી પાછળ છોડીને ભાગી જવું પડ્યું. ભારતીય સેનાની તલવારો અને ભાલા કામમાં આવ્યા હતા. આખરે દુશ્મન દેશની સેનાને હૈફામાંથી ભાગવાની ફરજ પડી હતી. ઈઝરાયેલ આજે પણ તે ખાસ દિવસને હૈફા ડે તરીકે ઉજવે છે. અહીં ભારતીય સેના પણ 23 સપ્ટેમ્બરને હૈફા દિવસ તરીકે ઉજવે છે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">