AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાનું નિધન, 62 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

વરિષ્ઠ રોકાણકાર અને શેરબજારના નિષ્ણાત રાકેશ ઝુનઝુનવાલા(Rakesh Jhunjhunwala)નું રવિવારે મુંબઈમાં અવસાન થયું. તેમની ઉંમર 62 વર્ષની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને બે થી ત્રણ અઠવાડિયા પહેલા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાનું નિધન, 62 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Ace investor Rakesh Jhunjhunwala passes away at 62Image Credit source: TV9 Digital
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 10:29 AM
Share

દેશના દિગ્ગજ રોકાણકાર અને શેરબજારની દુનિયામાં બિગ બુલ (Big Bull)તરીકે પ્રખ્યાત રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)નું આજે નિધન થયું છે. તેઓએ 62 વર્ષની વયે તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને વ્યવસાયે રોકાણકાર હતા. ફોર્બ્સ બિલિયોનેર્સ ઇન્ડેક્સ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, તેઓ $5.8 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના 438મા સૌથી ધનિક વ્યક્તિ હતા. તેમની પત્નીનું નામ રેખા ઝુનઝુનવાલા છે. તેમને ત્રણ બાળકો છે. પુત્રીનું નામ નિષ્ઠા અને પુત્રનું નામ આર્યમાન અને આર્યવીર છે.

વરિષ્ઠ રોકાણકાર અને શેરબજારના નિષ્ણાત રાકેશ ઝુનઝુનવાલાનું રવિવારે મુંબઈમાં અવસાન થયું. તેમની ઉંમર 62 વર્ષની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને બે થી ત્રણ અઠવાડિયા પહેલા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, જ્યાં રવિવારે સવારે 6.45 વાગ્યે તેમનું અવસાન થયું. હોસ્પિટલ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી રાકેશ ઝુનઝુનવાલાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે તેમણે લખ્યું કે ‘રાકેશ ઝુનઝુનવાલા અદમ્ય હતા. જીવનથી ભરપૂર, વિનોદી અને સમજદાર, તે નાણાકીય જગતમાં અમૂલ્ય યોગદાન છોડીને જાય છે. તેઓ ભારતની પ્રગતિ માટે પણ ખૂબ જ ઉત્સાહી હતા. તેમનું નિધન દુઃખદ છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ’

કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઝુનઝુનવાલાનું નિધન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું છે. રાકેશ ઝુનઝુનવાલાનો જન્મ 5 જુલાઈ, 1960ના રોજ હૈદરાબાદ, તેલંગાણામાં થયો હતો. તેમણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કર્યો હતો. લગભગ એક અઠવાડિયા પહેલા રાકેશ ઝુનઝુનવાલાએ તેની એરલાઈન અકાસા પણ શરૂ કરી હતી. તેમની આકાસા એરલાઈન્સનું પ્રથમ વિમાન 7 ઓગસ્ટના રોજ મુંબઈથી અમદાવાદ માટે ટેકઓફ થયું હતું. તેમણે એવિએશન બિઝનેસમેન આદિત્ય ઘોષ અને વિનય દુબે સાથે મળીને આ કંપની શરૂ કરી હતી.

Follow Us
મહેસાણાના પાંચોટમાં ઢોર ડબ્બા અને પંચાયત ઘર મુદ્દે ઘમાસાણ- Video
મહેસાણાના પાંચોટમાં ઢોર ડબ્બા અને પંચાયત ઘર મુદ્દે ઘમાસાણ- Video
મહેસાણા: પાંચોટમાં પંચાયત ઘરના નિર્માણ સામે ગ્રામજનોનો મોરચો
મહેસાણા: પાંચોટમાં પંચાયત ઘરના નિર્માણ સામે ગ્રામજનોનો મોરચો
અમદાવાદ: બાળકીઓના મોત મામલે FSLનો ચોંકાવનારો ખુલાસો, હત્યા કે આપઘાત?
અમદાવાદ: બાળકીઓના મોત મામલે FSLનો ચોંકાવનારો ખુલાસો, હત્યા કે આપઘાત?
કેસરના રસીયાઓ માટે માઠા સમાચાર, આ વર્ષે ઓછી ખાવા મળશે કેરી- Video
કેસરના રસીયાઓ માટે માઠા સમાચાર, આ વર્ષે ઓછી ખાવા મળશે કેરી- Video
ગુજરાતમાં વધતી ગરમીનો કહેર: તાપમાન 46°C સુધી પહોંચવાની શક્યતા
ગુજરાતમાં વધતી ગરમીનો કહેર: તાપમાન 46°C સુધી પહોંચવાની શક્યતા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી રોકવા પાટીદાર નેતાએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
સ્થાનિક સ્વરાજની ચૂંટણી રોકવા પાટીદાર નેતાએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
સુરત-રાજકોટને લઈને બેઠક પૂર્ણ, વડોદરાને લઈને ચર્ચા શરૂ
સુરત-રાજકોટને લઈને બેઠક પૂર્ણ, વડોદરાને લઈને ચર્ચા શરૂ
સેવ-ખમણી ખાધા પછી 60થી વધુ લોકોની તબિયત લથડી
સેવ-ખમણી ખાધા પછી 60થી વધુ લોકોની તબિયત લથડી
24 કલાકમાં 2 વખત પક્ષ પલટો ! ભાજપથી કોંગ્રેસ ફરી પાછા ભાજપમાં જોડાયા
24 કલાકમાં 2 વખત પક્ષ પલટો ! ભાજપથી કોંગ્રેસ ફરી પાછા ભાજપમાં જોડાયા
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
g clip-path="url(#clip0_868_265)">