AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7th pay commission : કેન્દ્ર સરકારના આ કર્મચારીઓને DA માં 14 ટકા વધારાનો લાભ મળશે, જાણો વિગતવાર

CPSEના બોર્ડ લેવલ અને બોર્ડ લેવલથી નીચેના અધિકારીઓને તેનો ફાયદો થશે. આ લોકોના DA માં સુધારો કરવામાં આવ્યો છે.

7th pay commission : કેન્દ્ર સરકારના આ કર્મચારીઓને DA માં 14 ટકા વધારાનો લાભ મળશે, જાણો વિગતવાર
7th pay commission
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 7:00 AM
Share

7th Pay Commission : કેન્દ્ર સરકારે બજેટ બાદ કેન્દ્રીય કર્મચારીઓને મોટા સારા સમાચાર આપ્યા છે. મોદી સરકારે મોંઘવારી ભથ્થા (Dearness allowance – DA)માં વધારો કર્યો છે. બજેટ રજૂ થયા બાદ સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA Hike)માં 14 ટકાનો વધારો કર્યો છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના DA માં આટલો મોટો વધારો કર્યા બાદ તેમના પગારમાં બમ્પર વધારો થવા જઈ રહ્યો છે. કર્મચારીઓના પગારમાં સીધો 14 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. DA માં આ વધારો માત્ર સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ (CPSE) કર્મચારીઓ માટે છે. સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝના DA માં જાન્યુઆરીમાં સુધારો કરવામાં આવ્યો હતો. અગાઉ કર્મચારીઓને 170.5 ટકાના દરે DA મળતું હતું જે વધારીને 184.1 ટકા કરવામાં આવ્યું છે.

કર્મચારીઓને કયા સ્તરના લાભો મળશે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અંડર સેક્રેટરી સેમ્યુઅલ હકે કહ્યું કે CPSEના બોર્ડ લેવલ અને બોર્ડ લેવલથી નીચેના અધિકારીઓને તેનો ફાયદો થશે. આ લોકોના DA માં સુધારો કરવામાં આવ્યો છે. હવે આ તમામ કર્મચારીઓને 184.1 ટકાના દરે DA મળશે.

DA નું એરિયર્સ મળશે કે નહીં?

મોંઘવારી ભથ્થા (DA)ની બાકી રકમને લઈને મોદી સરકાર તરફથી એક મોટું અપડેટ આવ્યું છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે 18 મહિનાના ડીએના બાકી ચૂકવણી પર હજુ સુધી કોઈ વિચારણા કરવામાં આવી નથી. જાન્યુઆરી 2020 થી જૂન 2021 સુધી કેન્દ્રીય કર્મચારીઓ સતત રોકેલા ડીએની ચુકવણીની માંગ કરી રહ્યા હતા. સરકારી કર્મચારીઓને આશા હતી કે સરકાર DA નું એરિયર્સ આપવાનું વિચારશે પરંતુ સરકાર આ પહેલા પણ ઘણી વખત ખુલાસો કરી ચૂકી છે.

નિવૃત્ત કર્મચારીઓને આ લાભ મળશે

કેન્દ્ર સરકારે નિવૃત્ત થતા કર્મચારીઓને રાહત આપતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે નિવૃત્ત કર્મચારીઓ માટે સંયુક્ત ટ્રાન્સફર ગ્રાન્ટ નિયમોમાં સુધારો કર્યો છે. તેનાથી કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓને ફાયદો થશે. ભારત સરકારે એવા કિસ્સાઓમાં CTG મર્યાદા નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે કે જ્યાં નિવૃત્ત કર્મચારી ફરજના છેલ્લા સ્ટેશન પર અથવા 20 કિલોમીટરથી વધુ દૂરના સ્ટેશન પર રહે છે. અત્યાર સુધી કેન્દ્ર સરકાર એવા કર્મચારીઓને CTGનો એક તૃતીયાંશ ભાગ ચૂકવે છે જેઓ ફરજના છેલ્લા સ્ટેશન પર અથવા 20 કિલોમીટરથી વધુ દૂર રહેતા નથી.

આ પણ વાંચો : શું સરકારે ક્રિપ્ટોને કાનુની માન્ચતા આપી ? જાણો શું કહે છે નીતિ આયોગ

આ પણ વાંચો : vedant fashions ipo: માન્યવર બ્રાન્ડ કંપનીનો IPO આજથી લોન્ચ, જાણો શું છે ગ્રે માર્કેટ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">