7th pay commission : કેન્દ્ર સરકારના આ કર્મચારીઓને DA માં 14 ટકા વધારાનો લાભ મળશે, જાણો વિગતવાર

CPSEના બોર્ડ લેવલ અને બોર્ડ લેવલથી નીચેના અધિકારીઓને તેનો ફાયદો થશે. આ લોકોના DA માં સુધારો કરવામાં આવ્યો છે.

7th pay commission : કેન્દ્ર સરકારના આ કર્મચારીઓને DA માં 14 ટકા વધારાનો લાભ મળશે, જાણો વિગતવાર
7th pay commission
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 7:00 AM

7th Pay Commission : કેન્દ્ર સરકારે બજેટ બાદ કેન્દ્રીય કર્મચારીઓને મોટા સારા સમાચાર આપ્યા છે. મોદી સરકારે મોંઘવારી ભથ્થા (Dearness allowance – DA)માં વધારો કર્યો છે. બજેટ રજૂ થયા બાદ સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA Hike)માં 14 ટકાનો વધારો કર્યો છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના DA માં આટલો મોટો વધારો કર્યા બાદ તેમના પગારમાં બમ્પર વધારો થવા જઈ રહ્યો છે. કર્મચારીઓના પગારમાં સીધો 14 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. DA માં આ વધારો માત્ર સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ (CPSE) કર્મચારીઓ માટે છે. સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝના DA માં જાન્યુઆરીમાં સુધારો કરવામાં આવ્યો હતો. અગાઉ કર્મચારીઓને 170.5 ટકાના દરે DA મળતું હતું જે વધારીને 184.1 ટકા કરવામાં આવ્યું છે.

કર્મચારીઓને કયા સ્તરના લાભો મળશે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અંડર સેક્રેટરી સેમ્યુઅલ હકે કહ્યું કે CPSEના બોર્ડ લેવલ અને બોર્ડ લેવલથી નીચેના અધિકારીઓને તેનો ફાયદો થશે. આ લોકોના DA માં સુધારો કરવામાં આવ્યો છે. હવે આ તમામ કર્મચારીઓને 184.1 ટકાના દરે DA મળશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

DA નું એરિયર્સ મળશે કે નહીં?

મોંઘવારી ભથ્થા (DA)ની બાકી રકમને લઈને મોદી સરકાર તરફથી એક મોટું અપડેટ આવ્યું છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે 18 મહિનાના ડીએના બાકી ચૂકવણી પર હજુ સુધી કોઈ વિચારણા કરવામાં આવી નથી. જાન્યુઆરી 2020 થી જૂન 2021 સુધી કેન્દ્રીય કર્મચારીઓ સતત રોકેલા ડીએની ચુકવણીની માંગ કરી રહ્યા હતા. સરકારી કર્મચારીઓને આશા હતી કે સરકાર DA નું એરિયર્સ આપવાનું વિચારશે પરંતુ સરકાર આ પહેલા પણ ઘણી વખત ખુલાસો કરી ચૂકી છે.

નિવૃત્ત કર્મચારીઓને આ લાભ મળશે

કેન્દ્ર સરકારે નિવૃત્ત થતા કર્મચારીઓને રાહત આપતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે નિવૃત્ત કર્મચારીઓ માટે સંયુક્ત ટ્રાન્સફર ગ્રાન્ટ નિયમોમાં સુધારો કર્યો છે. તેનાથી કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓને ફાયદો થશે. ભારત સરકારે એવા કિસ્સાઓમાં CTG મર્યાદા નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે કે જ્યાં નિવૃત્ત કર્મચારી ફરજના છેલ્લા સ્ટેશન પર અથવા 20 કિલોમીટરથી વધુ દૂરના સ્ટેશન પર રહે છે. અત્યાર સુધી કેન્દ્ર સરકાર એવા કર્મચારીઓને CTGનો એક તૃતીયાંશ ભાગ ચૂકવે છે જેઓ ફરજના છેલ્લા સ્ટેશન પર અથવા 20 કિલોમીટરથી વધુ દૂર રહેતા નથી.

આ પણ વાંચો : શું સરકારે ક્રિપ્ટોને કાનુની માન્ચતા આપી ? જાણો શું કહે છે નીતિ આયોગ

આ પણ વાંચો : vedant fashions ipo: માન્યવર બ્રાન્ડ કંપનીનો IPO આજથી લોન્ચ, જાણો શું છે ગ્રે માર્કેટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">