AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું સરકારે ક્રિપ્ટોને કાનુની માન્ચતા આપી ? જાણો શું કહે છે નીતિ આયોગ

ક્રિપ્ટોકરંન્સી (Cryptocurrency)અને વર્ચુઅલ ડિઝિટલ એસેટ દ્વારા કરવામાં આવતી લેવડ-દેવડ દ્વારા થતી આવકમાં 30 ટકા ટેક્સ વસુલવામાં આવશે. આ સાથે ક્રિપ્ટોમાં થતા ટ્રાંજેક્શન પર 1 ટકા ટીડીએસ (TDS)કાપવામાં આવશે,ક્રિપ્ટોના ટ્રાજેક્શન કે લેવડ-દેવડમાં જો નુક્શાન થાય તો પણ રોકાણકારોએ ટેક્સ ફરજીયાત ચુકવાનો રહેશે.

શું સરકારે ક્રિપ્ટોને કાનુની માન્ચતા આપી ? જાણો શું કહે છે નીતિ આયોગ
cryptocurrency ( Symbolic image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 2:58 PM
Share

કેન્દ્રિય નાણા મંત્રી નિર્માલા સીતારમણ (Nirmala Sitharaman) મંગળવારે 1 ફેબ્રુઆરીના સંસદમાં દેશનું બજેટ રજુ કર્યુ, નાણાકિય વર્ષ 2022-2023માં રજુ કરેલા બજેટમાં નાણા મંત્રીએ ઘણી નવી જાહેરાત કરી, જેમા ક્રિપ્ટોકરંન્સી (Cryptocurrency) અને વર્ચુઅલ ડિઝિટલ એસેટ દ્વારા કરવામાં આવતી લેવડ-દેવડ દ્વારા થતી આવકમાં 30 ટકા ટેક્સ વસુલવામાં આવશે. આ સાથે ક્રિપ્ટોમાં થતા ટ્રાંજેક્શન પર 1 ટકા ટીડીએસ (TDS) કાપવામાં આવશે, ક્રિપ્ટોના ટ્રાજેક્શન કે લેવડ-દેવડમાં જો નુક્શાન થાય તો પણ રોકાણકારોએ ટેક્સ ફરજીયાત ચુકવાનો રહેશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ક્રિપ્ટો અથવા વર્ચ્યુઅલ એસેટ (Virtual Assets) પર ટેક્સની જાહેરાત કરી હતી પરંતુ તેને કાનૂની માન્યતા આપવા અંગે કોઈ જાહેરાત કરી નથી. પરંતુ નિષ્ણાતો કહે છે કે જો સરકાર ક્રિપ્ટો પર ટેક્સ લગાવી રહી છે, તો તેનો સીધો અર્થ એ છે કે તેને માન્યતા આપવામાં આવી રહી છે.

નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે શું કહ્યું?

નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે સીએનબીસી આવાઝ સાથે વાતચીત કરતા ક્રિપ્ટોકરન્સી વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવી. રાજીવ કુમારે કહ્યું કે સરકાર કોઈપણ ગેરકાયદેસર વસ્તુ પર ટેક્સ વસૂલતી નથી. તેમણે કહ્યું કે ગેરકાયદેસર આવક કે કાળાનાણા પર ટેક્સ લગાવી શકાય નહીં. તેથી, જો ક્રિપ્ટો પર ટેક્સ લાદવામાં આવે છે, તો તેનો અર્થ એ છે કે સરકારે તેને એક એસેટ ક્લાસ તરીકે માન્યતા આપી છે, જે ખૂબ જ ઝડપથી ઉભરી આવી છે.

ટેક્સ સંબંધિત નિયમો શું છે

હવે જ્યારે એક એસેટ ક્લાસ (ક્રિપ્ટો અને વર્ચ્યુઅલ એસેટ) આટલી ઝડપી ગતિએ પ્રસરી રહ્યા છે, ત્યારે સરકારે તેને આવકવેરાના દાયરામાં લઈને તેનાથી થતી આવક પર ટેક્સ લગાવવાનો નિર્ણય કર્યો છે. તમારે બધાએ એક વાત ખાસ સમજવી જોઈએ કે સરકાર ફક્ત તે વસ્તુઓ પર જ ટેક્સ લગાવે છે જેને કાયદાકીય માન્યતા આપવામાં આવી હોય.અલબત્ત, સરકાર ક્રિપ્ટોકરન્સીની કાનૂની માન્યતાની સીધી જાહેરાત નથી કરી રહી, પરંતુ તેના પરના ટેક્સના નિયમો અને નિયમો અનુસાર તેને કાનૂની માન્યતા આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Basant Panchami 2022 Wishes: વસંત પંચમી પર આ સંદેશાઓ દ્વારા તમારા પ્રિયજનોને આપો શુભકામના અને બાળકોના કરો વિદ્યારંભ સંસ્કાર

આ પણ વાંચો :vedant fashions ipo: માન્યવર બ્રાન્ડ કંપનીનો IPO આજથી લોન્ચ, જાણો શું છે ગ્રે માર્કેટ

Follow Us
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">