Home Loan Subsidy: હોમ લોન પર 4% વ્યાજ સબસિડી, મધ્યમ વર્ગને મોદી સરકાર આપી રહી છે મોટી ભેટ

નરેન્દ્ર મોદી સરકારે તેના ત્રીજા કાર્યકાળના પ્રથમ સામાન્ય બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) 2.0 ને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. 5 વાર્ષિક હપ્તાઓમાં પુશ બટન દ્વારા પાત્ર લાભાર્થીઓને 1.80 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવશે. લાભાર્થીઓ તેમના ખાતાની માહિતી વેબસાઇટ, OTP અથવા સ્માર્ટ કાર્ડ દ્વારા મેળવી શકે છે.

Home Loan Subsidy: હોમ લોન પર 4% વ્યાજ સબસિડી, મધ્યમ વર્ગને મોદી સરકાર આપી રહી છે મોટી ભેટ
Image Credit source: Social Media
Follow Us:
| Updated on: Aug 28, 2024 | 11:06 PM

નરેન્દ્ર મોદી સરકારે તેના ત્રીજા કાર્યકાળના પ્રથમ સામાન્ય બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) 2.0 ને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. 23 જુલાઈના રોજ બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે 1 કરોડ ઘરો બાંધવાના છે. થોડા દિવસો બાદ કેન્દ્રીય કેબિનેટે પણ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ.

2015માં શરૂ કરવામાં આવી હતી

પ્રધાનમંત્રી આવાસ યોજના: શહેરી વર્ષ 2015 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 1.18 કરોડ મકાનોને મંજૂરી આપવામાં આવી હતી. સરકારી માહિતી અનુસાર, આમાંથી 85.5 લાખથી વધુ મકાનો પૂર્ણ કરીને લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય નિર્માણાધીન છે.

વ્યાજ સબસિડી યોજનાનો લાભ

સરકારની આ યોજનામાં લાભાર્થીને વ્યાજ સબસિડી યોજનાનો લાભ પણ મળશે. આર્થિક રીતે નબળા વિભાગ (EWS)/ઓછી આવક જૂથ (LIG)/મધ્યમ આવક જૂથ (MIG) પરિવારો વ્યાજ સબસિડી યોજનાના દાયરામાં આવે છે. આ એવા લોકો છે જેમની પાસે દેશમાં ક્યાંય પણ પોતાનું કોઈ કાયમી ઘર નથી.

આજનું રાશિફળ તારીખ 14-09-2024
આ ખેલાડીઓએ સિક્સર ફટકાર્યા વિના ફટકારી ઘણી સદી
કરોડોની કમાણી કરનાર રોહિત શર્માનો ભાઈ આ ખાસ બિઝનેસ ચલાવે છે
ભારતના નથી તો બટેટા આવ્યા ક્યાંથી ?
સવારે ખાલી પેટ ધાણાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
ગુજરાતી સિંગર ભૂમિ ત્રિવેદીનો બોલિવુડમાં છે દબદબો

EWSના કાર્યક્ષેત્રમાં એવા પરિવારોનો સમાવેશ થાય છે જેમની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા સુધીની છે. તે જ સમયે, 3 લાખ રૂપિયાથી 6 લાખ રૂપિયાની વચ્ચે વાર્ષિક આવક ધરાવતા પરિવારોને LIGના દાયરામાં રાખવામાં આવ્યા છે. તેવી જ રીતે, 6 લાખ રૂપિયાથી 9 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા પરિવારોના લોકો MIGના દાયરામાં છે. આ તમામ પરિવારોને હોમ લોન પર સબસિડી આપવામાં આવશે.

કેટલી સબસિડી

સરકાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, 25 લાખ રૂપિયા સુધીની હોમ લોન લેનારા લાભાર્થીઓ 12 વર્ષ સુધીના સમયગાળા માટે પ્રથમ 8 લાખ રૂપિયાની લોન પર 4 ટકા વ્યાજ સબસિડી માટે પાત્ર બનશે. આ હોમ લોન 35 લાખ સુધીની કિંમતના ઘરો માટે છે.

5 વાર્ષિક હપ્તાઓમાં પુશ બટન દ્વારા પાત્ર લાભાર્થીઓને 1.80 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવશે. લાભાર્થીઓ તેમના ખાતાની માહિતી વેબસાઇટ, OTP અથવા સ્માર્ટ કાર્ડ દ્વારા મેળવી શકે છે.

આ પણ વાંચો: આનંદો ! 10 લાખ લોકોને મળશે રોજગાર, મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મોદી સરકારનો બૂસ્ટર ડોઝ

અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ
અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ
એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ
એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ
જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ
જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ
દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો
દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો
રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ
રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
g clip-path="url(#clip0_868_265)">