AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમામ હોસ્પિટલોમાં 100% Cashless Health Insurance Settlement લાગુ કરાશે, ઈલાજ પહેલા ડિપોઝીટની ચિંતામાંથી મુક્તિ મળશે

ટૂંક સમયમાં જ મેડિકલ પોલિસી(medical policy) ધારકોને 100% કેશલેસ સુવિધા(100% cashless facility)નો લાભ મળશે જે હેઠળ હોસ્પિટલો કોઈપણ પ્રકારની ચુકવણી કર્યા વિના સારવાર પૂરી પાડશે. હાલમાં જ્યારે પોલીસી ધારક સારવાર માટે દાખલ થાય છે ત્યારે હોસ્પિટલ તેના પર અમુક રકમ ડિપોઝીટ પેટે જમા કરાવવા દબાણ કરે છે

તમામ હોસ્પિટલોમાં 100% Cashless Health Insurance Settlement લાગુ કરાશે, ઈલાજ પહેલા ડિપોઝીટની ચિંતામાંથી મુક્તિ મળશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2023 | 6:45 AM
Share

ટૂંક સમયમાં જ મેડિકલ પોલિસી(medical policy) ધારકોને 100% કેશલેસ સુવિધા(100% cashless facility)નો લાભ મળશે જે હેઠળ હોસ્પિટલો કોઈપણ પ્રકારની ચુકવણી કર્યા વિના સારવાર પૂરી પાડશે. હાલમાં જ્યારે પોલીસી ધારક સારવાર માટે દાખલ થાય છે ત્યારે હોસ્પિટલ તેના પર અમુક રકમ ડિપોઝીટ પેટે જમા કરાવવા દબાણ કરે છે અને તેણે રકમ પણ જમા કરાવવી પડે છે.

કેશલેસ સેટલમેન્ટ સુવિધા ફરજીયાત બનાવવા પ્રયાસ

તમામ હોસ્પિટલોમાં કેશલેસ સેટલમેન્ટ સિસ્ટમ લાગુ કરવા માટે વીમા નિયમનકાર IRDAI એ જનરલ ઈન્સ્યોરન્સ કાઉન્સિલ (GIC) ની રચના કરી છે અને શેખર સંપત કુમારને તેના સ્વાસ્થ્ય વીમા નિયામક બનાવવામાં આવ્યા છે. તેમને આ સિસ્ટમ લાગુ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટર IRDAI એ હોસ્પિટલોની કોમન પેનલ પ્રક્રિયા અને 100% કેશલેસ કમિટીને આદેશ આપ્યો છે કે તેઓ દેશભરની હોસ્પિટલોમાં સંપૂર્ણ રીતે કેશલેસ મેડિકલ ઈન્સ્યોરન્સ સેટલમેન્ટને લાગુ કરવા અંગેનો રિપોર્ટ સબમિટ કરે. હાલમાં 49% હોસ્પિટલોમાં કેશલેસ સેટલમેન્ટ સુવિધા ઉપલબ્ધ છે. આવી હોસ્પિટલોની સંખ્યા 25,000 આસપાસ છે.

40 કરોડ તબીબી વીમા પૉલિસીધારકોને લાભ થવાની અપેક્ષા

વીમા નિયમનકારના જણાવ્યા અનુસાર, આ યોજના લાગુ થયા પછી અંદાજે 400 મિલિયન તબીબી વીમા પૉલિસીધારકોને લાભ થવાની અપેક્ષા છે. વીમા કંપનીઓ અને હોસ્પિટલો વચ્ચેના તાજેતરના અથડામણને ધ્યાનમાં રાખીને, IRDAI આવી ઘટનાઓને ઉકેલવા માટેની રીતો શોધી રહી છે.

જનરલ ઈન્સ્યોરન્સ કાઉન્સિલ (GIC)ના સેક્રેટરી જનરલ ઈન્દરજીત સિંઘ દ્વારા 1 ઓગસ્ટના રોજ જારી કરાયેલા આદેશ અનુસાર, કમિટી ઓક્ટોબરના અંત સુધીમાં દેશભરમાં કેશલેસ સેટલમેન્ટ્સ શરૂ કરવાના ઉદ્દેશ્ય સાથે સાપ્તાહિક અપડેટ્સ પ્રદાન કરશે. તમને જણાવી દઈએ કે કમિટીના ચેરમેન એસ પ્રકાશ છે, જે સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપનીના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર છે.

તમામ હોસ્પિટલોને કેશલેસ સુવિધા હેઠળ લાવવાની યોજના

વીમા નિયમનકારે શેખર સંપત કુમારને ત્રણ વર્ષ માટે જીઆઈસીના આરોગ્ય વીમા અને વીમા લોકપાલના નિયામક તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ આ મહિનાના અંત સુધીમાં ચેન્નાઈમાં કાર્યભાર સંભાળી શકે છે. શેખર સંપત કુમારે એક દાયકા પહેલા PSU સામાન્ય વીમા કંપનીઓ માટે તબીબી પ્રક્રિયાઓ માટેના દરોને પ્રમાણિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. હવે તે તમામ હોસ્પિટલોને કેશલેસ સુવિધા હેઠળ લાવવા અને તેમના માટે સામાન્ય પ્રક્રિયા દર લાગુ કરવા માટે કામ કરશે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">