Agriculture Budget 2023: ગોબર ખેડૂતો માટે બનશે ‘ધન’! જાણો શું છે ગોબર ધન યોજના

આ યોજનાથી ગ્રામજનોની આજીવિકા માટે નવી તકો ઉભી થશે, જેના કારણે તેમની આવકમાં વધારો થશે. નાણાપ્રધાને જાહેરાત કરી હતી કે સરકાર દેશમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે અને એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતીની સુવિધાઓ પૂરી પાડશે.

Agriculture Budget 2023: ગોબર ખેડૂતો માટે બનશે 'ધન'! જાણો શું છે ગોબર ધન યોજના
Agriculture Budget 2023Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2023 | 7:54 PM

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ 2023-24 રજૂ કર્યું. આ બજેટમાં નાણામંત્રીએ ગોવર્ધન (ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સિસ ફંડ) યોજનાને પ્રોત્સાહન આપવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે આ યોજના હેઠળ 500 નવા વેસ્ટ-ટુ-વેલ્થ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. જેમાંથી 75 પ્લાન્ટ શહેરોમાં સ્થપાશે. આ સાથે 200 કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ અને 300 કમ્યૂનિટી અથવા ક્લસ્ટર આધારિત પ્લાન્ટ હશે. જેમાં કુલ ખર્ચ રૂ. 10,000 કરોડ થશે.

આ પણ વાંચો: Agriculture Budget 2023: ખેડૂતો માટે સારા સમાચાર, બરછટ અનાજ માટે શ્રી અન્ન યોજના શરૂ, અન્નદાતાની આવકમાં થશે વધારો

બજેટમાં ગોબર ધન યોજના માટે મોટી જાહેરાત

આપને જણાવી દઈએ કે મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ગોબર ધન યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ સ્વચ્છતાને પ્રોત્સાહન આપીને ગામડાઓમાં પશુઓના ઓર્ગેનિક કચરામાંથી ધન અને ઊર્જા પેદા કરવાનો છે. આ સાથે આ યોજનાથી ગ્રામજનોની આજીવિકા માટે નવી તકો ઉભી થશે, જેના કારણે તેમની આવકમાં વધારો થશે. નાણાપ્રધાને જાહેરાત કરી હતી કે સરકાર દેશમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે અને એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતીની સુવિધાઓ પૂરી પાડશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ગોબર ધન યોજના શું છે?

જાણકારી માટે તમને જણાવી દઈએ કે ગોબર ધન યોજના દેશના ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. તેનો સીધો લાભ ખેડૂતો અને પશુપાલકોને મળશે. આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ થશે કે તેનાથી પ્રદૂષણમાં ઘટાડો થશે. આ સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતો પાસેથી ગાયનું છાણ ખરીદશે. આ રીતે ખેડૂતો પાસેથી ગાયનું છાણ ખરીદીને બાયોગેસમાં ફેરવવામાં આવશે.

છાણમાંથી બને છે વિવિધ વસ્તુઓ

આ દિવસોમાં ગાયના છાણમાંથી મૂર્તિ બનાવવાનું ચલણ પણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. માટીની તુલનામાં ગાયના છાણમાંથી મૂર્તિ બનાવવાનો ખર્ચ ઓછો છે અને વધુ નફો કમાઈ શકો છો. ગાયના છાણમાંથી મૂર્તિઓ બનાવવા માટે મેક ઈન ઈન્ડિયા, ક્લીન ઈન્ડિયા અને ગ્રીન ઈન્ડિયા અંતર્ગત અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આવા કામમાં મહિલાઓ સક્રિયપણે ભાગ લઈ રહી છે. આ ઉપરાંત વાસણ બનાવવામાં પણ ગાયના છાણનો ઉપયોગ થાય છે.

ગોબર બાયોગેસ પ્લાન્ટનો વ્યવસાય

છાણનો આ પણ એક શ્રેષ્ટ ઉપયોગ છે, જેમાં છાણમાંથી બનાવેલ બાયોગેસ પ્લાન્ટ લગાવીને પણ નફો કમાઈ શકાય છે. તમે પ્લાન્ટ સ્થાપવા માટે સરકાર તરફથી આર્થિક મદદ પણ મેળવી શકો છો.

અગરબત્તી બનાવવામાં થાય છે ઉપયોગ

ગાયના છાણનો ઉપયોગ અગરબત્તી બનાવવા માટે થાય છે. ઘણી કંપનીઓ પશુપાલકો પાસેથી વાજબી ભાવે ગાયનું છાણ ખરીદે છે અને તેનો ઉપયોગ સુગંધિત અગરબત્તીઓ બનાવવા માટે પણ કરે છે.

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">