AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શા માટે આ અપરા એકાદશી છે એકદમ ખાસ ? કેવી રીતે જીવનના તમામ કષ્ટોથી મળશે મુક્તિ ?

ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અપરા એકાદશીના (Apara Ekadashi ) દિવસે તેમને ભૂલ્યા વિના કેળાનો ભોગ જરૂરથી અર્પણ કરવો જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. સાથે જ વ્યક્તિના તમામ પાપ પણ નષ્ટ થઈ જાય છે.

શા માટે આ અપરા એકાદશી છે એકદમ ખાસ ? કેવી રીતે જીવનના તમામ કષ્ટોથી મળશે મુક્તિ ?
TV9 Bhakti
| Edited By: | Updated on: May 14, 2023 | 6:18 AM
Share

તારીખ 15 મે, સોમવારે અપરા એકાદશીનું વ્રત કરવામાં આવશે. વૈશાખ માસના વદ પક્ષની આ એકાદશી અત્યંત ફળદાયી મનાય છે. આ દિવસે એક અત્યંત સરળ ઉપાય અજમાવીને તમે દેવામાંથી મુક્તિની પ્રાપ્તિ પણ કરી શકો છો !

વર્ષની તમામ એકાદશી ભગવાન વિષ્ણુને જ સમર્પિત છે. જેમાં અપરા એકાદશી વૈકુંઠ લોકની પ્રાપ્તિ કરાવનારી એકાદશી મનાય છે. સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે અપરા એકાદશી સોમવારના દિવસે છે. સોમવાર એ શિવજીને સમર્પિત છે. તે દૃષ્ટિએ હરિહરની એકસાથે કૃપા પ્રાપ્ત કરવા માટે આ દિવસ અત્યંત ફળદાયી મનાઈ રહ્યો છે. ત્યારે આવો જાણીએ કે આ દિવસે કયા વિશેષ ઉપાયો અજમાવીને તમે વિવિધ પ્રકારના કષ્ટોમાંથી મુક્તિની પ્રાપ્તિ કરી શકશો.

શુભ, લાભ અને ધનની પ્રાપ્તિ અર્થે

જીવનમાં શુભ, લાભ અને ધન પ્રાપ્તિ માટે અપરા એકાદશીએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની એકસાથે પૂજા જરૂરથી કરવી જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિને પીળા રંગના પુષ્પ અર્પણ કરવા. સાથે જ પીળા રંગના ફળ તેમજ મીઠાઈનો ભોગ જરૂરથી અર્પણ કરવો જોઈએ.

ભગવાન વિષ્ણુને કેળાનો ભોગ !

ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અપરા એકાદશીના દિવસે તેમને ભૂલ્યા વિના કેળાનો ભોગ જરૂરથી અર્પણ કરવો જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. સાથે સાથે વ્યક્તિના તમામ પાપ પણ નષ્ટ થઈ જાય છે.

આ મંત્રનો કરો જાપ

અપરા એકાદશીના દિવસે એક સાફ અને સ્વચ્છ આસન પર આપે સ્થાન ગ્રહણ કરવું જોઈએ. ત્યારબાદ “ૐ નમો ભગવતે વાસુદેવાય” મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો જોઈએ. કહે છે કે આ ઉપાય કરવાથી ઘરમાં પવિત્રતા આવે છે. તેમજ ઘરમાં શાંતિનો વાસ થાય છે.

દીપ પૂર્ણ કરશે મનોકામના !

ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના માટે અપરા એકાદશીના દિવસે ગાયના ઘીનો દીવો પ્રજવલિત કરવો જોઇએ. એકાદશીના દિવસે ઘરના પવિત્ર સ્થાન પર દીવો અવશ્ય પ્રગટાવવો જોઇએ. તેનાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા આપના પર અકબંધ રહેશે.

દેવામાંથી મુક્તિ અર્થે

જો આપ આર્થિક સંકટોથી ઘેરાયેલા હોવ અથવા તો દેવાના બોજ તળે દબાયેલા હોવ તો આપે અપરા એકાદશીના દિવસે એક ખાસ કામ કરવું. સવારે સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈને પીપળાના વૃક્ષમાં જળનું સિંચન કરવું. આ કાર્યથી આપને પિતૃઓના આશીર્વાદની પ્રાપ્તિ તો થશે જ. સાથે જ ધીમે ધીમે એવાં સંજોગોનું નિર્માણ થશે કે તમે દેવામાંથી મુક્તિની પ્રાપ્તિ કરી શકો.

શિવ ઉપાસના !

આ વર્ષે અપરા એકાદશી સોમવારના દિવસે આવે છે એટલે આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે ભગવાન શિવની પણ વિશેષ પૂજા કરવી જોઇએ. હરિહરની એકસાથે આરાધનાથી સાધકને તેના જીવનના તમામ પ્રકારના કષ્ટોથી મુક્તિની પ્રાપ્તિ થઈ જશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">