ક્યારે છે એકદંત સંકષ્ટી ચતુર્થી ? જાણો વ્રતનો મહિમા અને ફળદાયી પૂજા વિધિ

સંકષ્ટીમાં (Sankashti) વિઘ્નહર્તા ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે વ્રત કરીને ગણેશજીની પૂજા કરવાથી વ્યક્તિને જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. સાથે જ આપના જીવનના તમામ વિઘ્નોનો અંત આવે છે.

ક્યારે છે એકદંત સંકષ્ટી ચતુર્થી ? જાણો વ્રતનો મહિમા અને ફળદાયી પૂજા વિધિ
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: May 06, 2023 | 6:24 AM

હિન્દુ પંચાંગ અનુસાર દરેક મહિનામાં બે ચતુર્થીની તિથિ હોય છે. એક વદ પક્ષમાં અને બીજી સુદ પક્ષમાં. વદ પક્ષની ચતુર્થી તિથિને સંકષ્ટી ચતુર્થી અને સુદ પક્ષની ચતુર્થી તિથિને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. આ ચોથની તિથિ ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસે વિઘ્નહર્તા ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવામાં આવે છે.

માન્યતા અનુસાર આ દિવસે વ્રત કરીને ગણેશજીની પૂજા કરવાથી વ્યક્તિને જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. સાથે જ આપના જીવનના તમામ વિઘ્નોનો અંત આવે છે. આ વખતે 8 મે, સોમવારના રોજ સંકષ્ટી આવી રહી છે. આ ચતુર્થી એકદંત સંકષ્ટી ચતુર્થીના નામે ઓળખાય છે. ત્યારે ચલો જાણીએ કે આ દિવસના વ્રતનું મહત્વ શું છે ? અને કઈ પૂજાવિધિથી ગજાનનની મહાકૃપાની પ્રાપ્તિ થશે.

એકદંત સંકષ્ટી ચતુર્થી 2023

એકદંત સંકષ્ટી ચતુર્થીની તિથિનો પ્રારંભ 8 મે 2023, સોમવારે સાંજે 6:18 કલાકે થશે. તેની પૂર્ણાહુતિ 9 મે, મંગળવારે સાંજે 4:08 કલાકે થશે. સંકષ્ટી વ્રતમાં ચંદ્રની પૂજાનો મહિમા છે. એટલે કે ચોથનો ચંદ્ર 8 તારીખે જ પ્રાપ્ત થઈ રહ્યો હોઈ 8 મેના રોજ જ સંકષ્ટીનું વ્રત રાખવામાં આવશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ચંદ્રોદયનો સમય : રાત્રે 10:08 કલાકે

સંકષ્ટી ચતુર્થી પૂજા વિધિ

⦁ સંકષ્ટી ચતુર્થીના દિવસે પ્રાતઃ વહેલા ઉઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા.

⦁ ગણેશજીની પૂજા કરીને સંકષ્ટી વ્રત કરવાનો સંકલ્પ લેવો.

⦁ સાંજના સમયે પૂજા સ્થાનની સાફ-સફાઇ કરી ત્યાં ગંગાજળનો છંટકાવ કરવો.

⦁ ભગવાન ગણેશને વસ્ત્ર અર્પણ કરો અને મંદિરમાં દીપ પ્રજવલિત કરો.

⦁ ગણેશજીને તિલક કરીને પુષ્પ અર્પણ કરવા.

⦁ ત્યારબાદ ભગવાન ગણેશને 21 દૂર્વાની ગાંઠ અર્પણ કરો.

⦁ ગણેશજીને શુદ્ધ ઘીના મોતીચૂરના લાડુ કે મોદકનો ભોગ જરૂરથી લગાવવો.

⦁ પૂજા પૂર્ણ થાય એટલે આરતી કરો અને પૂજનમાં થયેલ ભૂલ-ચૂકની ક્ષમા પ્રાર્થના કરો.

⦁ રાત્રે ચંદ્રોદય બાદ ચંદ્રના દર્શન કરવા. તેમની પૂજા કરવી અને ત્યારબાદ જ ભોજન ગ્રહણ કરવું. ચંદ્ર પૂજા વિના સંકષ્ટી વ્રત અપૂર્ણ મનાય છે.

સંકષ્ટી ચતુર્થીનું મહત્વ

હિન્દુ ધર્મમાં ગણેશજીને પ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે. એવામાં સંકષ્ટી ચતુર્થીના દિવસે વ્રત કરીને પૂજા કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાખવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

ફળદાયી ગણેશ મંત્ર

ગજાનનં ભૂત ગણાદિ સેવિતં,

કપિત્થ જમ્બૂ ફલ ચારૂ ભક્ષણમ્ ।

ઉમાસુતં શોક વિનાશકારકમ્,

નમામિ વિધ્નેશ્વર પાદ પંકજમ્ ।।

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">