AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Study Room Vastu Tips: બાળકોનું સ્ટડી ટેબલ અને પુસ્તકો ક્યાં અને કેવી રીતે રાખવા જોઈએ? જાણો તમામ મહત્વના વાસ્તુ નિયમો

Study Room Vastu Tips: જો તમારા બાળકને ભણવામાં મન નથી લાગતું અથવા તે વારંવાર યાદ રાખેલી વસ્તુઓ ભૂલી જાય છે, તો તમે એકવાર વાસ્તુના આ અચૂક ઉપાયો અજમાવો.

Study Room Vastu Tips: બાળકોનું સ્ટડી ટેબલ અને પુસ્તકો ક્યાં અને કેવી રીતે રાખવા જોઈએ? જાણો તમામ મહત્વના વાસ્તુ નિયમો
Study Room Vastu Tips
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2022 | 7:08 PM
Share

Study Room Vastu Tips: ઘણીવાર માતા-પિતા તેમના બાળકોના ભણતરને લઈને ચિંતિત હોય છે કે તેમને ભણવામાં મન નથી લાગતું, તો કેટલાક લોકો ફરિયાદ કરે છે કે તેમનું બાળક ભણે છે પણ તેને યાદ નથી રહેતું. જો તમારા બાળકને એકાગ્રતા અથવા વસ્તુઓ ભૂલી જવાની સમસ્યાઓ ચાલુ રહે છે, તો તમારે તમારા બાળકના સ્ટડી રૂમ અને સ્ટડી ટેબલને લગતી વાસ્તુ ખામીઓ પર નજર રાખવી જોઈએ. ચાલો જાણીએ બાળકોના અભ્યાસ રુમ સંબંધિત તે વાસ્તુ નિયમો વિશે, જેને અપનાવવાથી બાળકો અભ્યાસમાં રસ લે છે અને પરીક્ષામાં ઇચ્છિત સફળતા મેળવે છે.

  1. વાસ્તુ અનુસાર, અભ્યાસ ખંડમાં હિંસક અથવા દુઃખદ ચિત્રો અથવા મૂર્તિઓ મૂકવાને બદલે, ગણપતિ, મા સરસ્વતી અને મહાપુરુષોને લગતા પ્રેરણાત્મક ફોટા, પોસ્ટર વગેરે લગાવવા જોઈએ.
  2. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં અભ્યાસ ખંડ હંમેશા ઉત્તર-પૂર્વ અથવા પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોવો જોઈએ. જો આવું ન હોય તો, જે રૂમને સ્ટડી રૂમ બનાવવામાં આવે છે તેમાં સ્ટડી ટેબલને આમાંથી કોઈપણ એક દિશામાં રાખો, જેમ કે ભણતા બાળકનું મોઢું હંમેશા પૂર્વ તરફ હોવું જોઈએ.
  3. વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્ટડી ટેબલ ક્યારેય પણ દિવાલને અડીને ન હોવું જોઈએ. તથા ભણતી વખતે બાળકની પીઠ બારી કે દરવાજા તરફ ન હોવી જોઈએ.
  4. વાસ્તુ અનુસાર પુસ્તકોને ટેબલ પર ક્યારેય ખુલ્લું ન રાખવું જોઈએ અને વાંચ્યા પછી તેને બુકશેલ્ફમાં રાખવા જોઈએ. બુકશેલ્ફ ક્યારેય ખુલ્લી કે સ્ટડી ટેબલની ઉપર ન બનાવવી જોઈએ તથા જ્યાં પણ પુસ્તકો રાખવામાં આવે છે, તે જગ્યા હંમેશા સ્વચ્છ હોવી જોઈએ.
  5. જો તમારા બાળકને ભણવામાં મન ન લાગે તો સૌથી પહેલા તેના અભ્યાસના ટેબલ પરથી બિનજરૂરી વસ્તુઓ જેમ કે નકામા કાગળ, જૂના અખબારો વગેરે કાઢી નાખો. આમ કરવાથી, તમે તેના અભ્યાસમાં મોટો ફેરફાર જોશો.
  6. વાસ્તુશાસ્ત્ર અનુસાર વાંચન-લેખન માટે ઉપયોગમાં લેવાતા ટેબલને ક્યારેય ગંદુ રાખવું જોઈએ નહીં અને તેના પર ભોજન ન કરવું જોઈએ. સ્ટડી ટેબલ પર ભૂલથી પણ ખોટી વસ્તુઓ ન રાખવી જોઈએ.
  7. વાસ્તુ અનુસાર, નકામી અથવા ક્ષતિગ્રસ્ત વસ્તુઓ જેવી કે અટકેલી ઘડિયાળ, તૂટેલા રમકડા વગેરેને બાળકોના અભ્યાસ ખંડમાં ક્યારેય ન રાખવો જોઈએ. એ જ રીતે બાળકોના રૂમમાં ટીવી, મ્યુઝિક સિસ્ટમ વગેરે ન રાખવા જોઈએ. આ તેમની એકાગ્રતામાં અવરોધ ઊભો કરે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">