AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manglik Yog : શું છે માંગલિક યોગ, શા માટે ડરે છે લોકો મંગળના પ્રભાવથી, જાણો વિગત..

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે મંગળ વ્યક્તિની કુંડળીના પ્રથમ, ચોથા, સાતમા, આઠમા અને બારમાં ઘરમાં હોય ત્યારે તેને માંગલિક યોગ કહેવાય છે. મંગળને ત્રણ દ્રષ્ટિ છે. ચોથી, સાતમી અને આઠમી દૃષ્ટિ.

Manglik Yog : શું છે માંગલિક યોગ, શા માટે ડરે છે લોકો મંગળના પ્રભાવથી, જાણો વિગત..
Manglik Yog
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2023 | 6:29 PM
Share

ઘણીવાર લોકો માંગલિક યોગને માંગલિક દોષ કહે છે. જ્યારે કોઈ ખાસ ઘરમાં મંગળની હાજરી દોષ નથી પણ યોગ છે. જેની સારી કે ખરાબ બંને અસર થઈ શકે છે. મુખ્યત્વે લગ્ન જીવન પર સારી કે ખરાબ અસર પડી શકે છે. જરૂરી નથી કે દરેક વખતે મંગળ યોગ અશુભ અસર જ આપે, આ મંગળ તેના નામ પ્રમાણે મંગળ પણ કરે આવો જાણીએ મંગળ યોગ શું છે અને તે કેવી રીતે અસર કરે છે.

માંગલિક યોગ શું છે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે મંગળ વ્યક્તિની કુંડળીના પ્રથમ, ચોથા, સાતમા, આઠમા અને બારમાં ઘરમાં હોય ત્યારે તેને માંગલિક યોગ કહેવાય છે. મંગળને ત્રણ દ્રષ્ટિ છે. ચોથી, સાતમી અને આઠમી દૃષ્ટિ. જ્યારે મંગળ પ્રથમ ભાવમાં હોય છે, ત્યારે તેની સાતમી દ્રષ્ટિ સાતમા ભાવ એટલે કે (તમારા જીવન સાથીનું ઘર) પર પડે છે. જ્યારે મંગળ ચોથા ભાવમાં હોય છે ત્યારે તેની ચોથી દ્રષ્ટિ સાતમા ભાવમાં હોય છે. જ્યારે મંગળ પોતે સાતમા ભાવમાં બેઠો હોય ત્યારે તેની અસર લગ્નજીવન પર પડે છે અને કુટુંબભાવને આઠમા દૃષ્ટિથી જુએ છે. બીજી તરફ આઠમા ભાવમાં બેઠેલા મંગળનું સાતમી દ્રષ્ટિ કુટુંબભાવ પર પડે છે અને બારમાં ઘરમાં બેઠેલા મંગળની આઠમી દ્રષ્ટી સાતમા ભાવમાં પડે છે.

જ્યારે કુંડળીમાં માંગલિક યોગ હોય છે

આ રીતે આ પાંચ ભાવમાં બેઠેલો મંગળ તમારા લગ્નજીવન અને પરિવારને એક યા બીજી રીતે પ્રભાવિત કરશે. વિવાહિત જીવનની ખુશીઓ મેળવવા માટે માંગલિક યોગવાળા છોકરા કે છોકરીના લગ્ન માંગલિક યોગવાળા છોકરા કે છોકરી સાથે જ કરવા જોઈએ.

આટલી ભૂલ ન કરો

જ્યોતિષશાસ્ત્રમાં મંગળને અશુભ ગ્રહ માનવામાં આવે છે. જો કોઈ છોકરીની કુંડળીમાં માંગલિક યોગ હોય અને તેના લગ્ન એવા યુવક સાથે થાય કે જેની કુંડળીમાં માંગલિક યોગ નથી, તો આવા દાંપત્યજીવન સુખી નથી રહેતું. આવા દંપતી બાળકોના સુખથી પણ વંચિત રહી શકે છે. બંનેને એકબીજાના વિચારો મળતા નથી અને તેમની વચ્ચે હંમેશા મતભેદ રહે છે. બીજી તરફ જો પતિ-પત્ની બંનેની કુંડળીમાં માંગલિક યોગ હોય તો તેમનું જીવન સુખી રહે છે અને તેમને જીવનની તમામ ખુશીઓ મળે છે.

માંગલિક યોગ હોય ત્યારે સમસ્યાઓ આવે છે

જીવનમાં મુખ્યત્વે ચાર પ્રકારના સુખ હોય છે. પ્રથમ પૂર્ણ ઉંમર, બીજું સારું સ્વાસ્થ્ય, ત્રીજું ધન અને પતિ-પત્નીનું સુખ અને ચોથું સંતાન સુખ. જ્યોતિષશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે માંગલિક યોગવાળા છોકરા કે છોકરીના લગ્ન એવા છોકરા કે છોકરી સાથે થાય છે જેની કુંડળીમાં માંગલિક યોગ નથી, તો તે યુગલ આ ચારમાંથી એક યા બીજા સુખથી ચોક્કસપણે વંચિત રહે છે.

1. સામાન્ય રીતે મંગળ તેની દશા, અંતર્દશા, પ્રત્યન્તર દશા અથવા ગોચરમાં અશુભ ફળ આપે છે.

2. જો સાતમા ભાવમાં મંગળ હોય તો વ્યક્તિ જીવન સાથી અથવા સહકર્મી પ્રત્યે કઠોર રહે છે.

3. આઠમા અને બારમા ઘરમાં મંગળ વય અને શારીરિક ક્ષમતાઓને અસર કરે છે.

4. જો મંગળ ચોથા ભાવમાં હોય તો વ્યક્તિને શ્રેષ્ઠ પારિવારિક સુખથી વંચીત રાખે છે.

5. જો પહેલા ઘરમાં મંગળ હોય તો વ્યક્તિનું વ્યક્તિત્વ આકર્ષક હોય છે, પરંતુ આ લોકો ખૂબ જ ગુસ્સાવાળા સ્વભાવના હોય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">