AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નિર્જળા એકાદશી પર અજમાવો તુલસી સંબંધિત આ સરળ ઉપાય, જીવનના અનેક સંતાપોથી મળી જશે મુક્તિ !

નિર્જળા એકાદશીના (Nirjala Ekadashi) દિવસે ભગવાન વિષ્ણુ માટે ખાસ પંજરીનો ભોગ તૈયાર કરવો. આ તૈયાર કરેલા ભોગમાં તુલસીદળ જરૂરથી ઉમેરવું. ત્યારબાદ જ ભગવાન વિષ્ણુને ભોગ અર્પણ કરવો. આ ઉપાય કરવાથી જીવનમાં ક્યારેય ધન સંબંધિત સમસ્યા નહીં સતાવે !

નિર્જળા એકાદશી પર અજમાવો તુલસી સંબંધિત આ સરળ ઉપાય, જીવનના અનેક સંતાપોથી મળી જશે મુક્તિ !
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: May 27, 2023 | 6:29 AM

વર્ષ દરમિયાન આવતી તમામ એકાદશીમાં નિર્જળા એકાદશીને અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ અગિયારસને આપણે ભીમ અગિયારસના નામે પણ ઓળખીએ છીએ. કહે છે કે જેઠ મહિનાના સુદ પક્ષની આ એકાદશી પર તુલસીજી સંબંધિત કેટલાંક વિશેષ ઉપાય અજમાવીને તમે વિવિધ પ્રકારની સમસ્યાઓથી મુક્તિની પ્રાપ્તિ કરી શકો છો. આવો, તે વિશે વિગતે જાણીએ.

જેઠ સુદ એકાદશીને આપણે નિર્જળા એકાદશી તરીકે ઓળખીએ છીએ. આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધનાનો મહિમા છે. આ એકાદશી ધન, સ્વાસ્થ્ય અને પરિવાર સંબંધિત તમામ સમસ્યાઓથી મુક્તિની પ્રાપ્તિ કરાવનારી મનાય છે. જો કે આ દિવસે વિષ્ણુપૂજા જેટલો જ તુલસી પૂજાનો પણ મહિમા છે. તુલસીના છોડ અને વિષ્ણુજી સંબંધિત આ ઉપાયો તમારા ભાગ્ય આડેના તમામ અવરોધોને દૂર કરી દેશે. સાથે જ તમામ પ્રકારના સંતાપોનું શમન કરી જીવનમાં ખુશીઓનું આગમન કરાવશે.

તુલસીદળ સાથે ભોગ અર્પણ કરો

નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ માટે ખાસ પંજરીનો ભોગ તૈયાર કરવો. આ તૈયાર કરેલા ભોગમાં તુલસીદળ જરૂરથી ઉમેરવું. ત્યારબાદ જ ભગવાન વિષ્ણુને ભોગ અર્પણ કરવો. આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુની સવિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ પ્રિય છે. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી આપને જીવનમાં ક્યારેય ધન સંબંધિત સમસ્યા નહીં સતાવે.

આજનું રાશિફળ તારીખ : 15-07-2025
ATM ડેબિટકાર્ડના આ 13 કમાલના ઉપયોગ, જાણી લો
ઘરમાં ગંદકી ફેલાવતા ગરોળી, કીડી અને વંદા થશે છૂમંતર, જાણો રીત
Vastu Tips: શ્રાવણના સોમવારે આ 3 રંગના કપડાં પહેરો, મનગમતો વર મળી જશે !
શું શેમ્પૂ બદલવાથી વાળ ખરતા બંધ થઇ જાય ?
વરસાદમાં નહાવું સ્વાસ્થ્ય માટે સારું છે કે નુકસાનકારક?

તુલસીજીની પૂજા કરો

માન્યતા અનુસાર ભીમ અગિયારસે માતા તુલસીની પૂજા કરવાથી તમામ પ્રકારના પાપકર્મમાંથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. જો આપનું કોઇ કાર્ય અવરોધાતું હોય તો આ દિવસે તુલસીના છોડની સમક્ષ દીવો પ્રજવલિત કરીને માતા તુલસીની આરતી કરવી. જો કે, એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે એકાદશીના દિવસે તુલસીજીને જળ અર્પણ ન કરવું. કારણ કે આ દિવસે દેવી તુલસી પણ નિર્જળા વ્રત રાખે છે.

તુલસીજીની પરિક્રમા કરવી

નિર્જળા એકાદશીના અવસરે તુલસીના છોડ પાસે સાંજે દીવો પ્રજવલિત કરવો. ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવો. અને કુલ 11 વખત તુલસીજીની પરિક્રમા કરવી. કહે છે કે આ ઉપાય કરવાથી આપના ઘરમાં રહેલ કલેશ દૂર થાય છે અને પરિવારમાં સુખ-શાંતિ અને ખુશહાલી જળવાઇ રહે છે.

તુલસીમાતાને લાલ રંગની ચુંદડી અર્પણ કરો

જો આપને જીવનમાં પ્રેમ સંબંધમાં સમસ્યા સતાવી રહી હોય તો તુલસીમાતાને લાલ રંગની ચુંદડી અર્પણ કરવી. લાલ રંગની ચુંદડી સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. લાલ રંગની ચુંદડી અર્પણ કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંનેની કૃપાની પ્રાપ્તિ થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

આજનો દિવસ કોના માટે 'શુભ' અને કોને સાવચેત રહેવાની જરૂર?
આજનો દિવસ કોના માટે 'શુભ' અને કોને સાવચેત રહેવાની જરૂર?
ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય ! ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય ! ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજીનામાના ડ્રામા વચ્ચે કાંતિ અમૃતિયાનો ઓડિયો થયો વાયરલ, જુઓ Video
રાજીનામાના ડ્રામા વચ્ચે કાંતિ અમૃતિયાનો ઓડિયો થયો વાયરલ, જુઓ Video
તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !
તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !
અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video
અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video
કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?
કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?
અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video
અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video
સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ
સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ
ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો
ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો
બનાસકાંઠાના પાલનપુરમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી
બનાસકાંઠાના પાલનપુરમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી
g clip-path="url(#clip0_868_265)">