14 JUNE PANCHANG: આજે અત્યંત ફળદાયી યોગિની એકાદશી ! જાણો, શ્રીવિષ્ણુ પૂજા માટે આજે અભિજીત મુહૂર્ત કયુ છે ?
હિન્દુ સંસ્કૃતિમાં પંચાંગનું (panchang) ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં આ પંચાંગ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે.

AAJ NU PANCHANG: સનાતન ધર્મમાં પંચાંગ (PANCHANG) જોઈને શુભ કાર્ય કરવાની પ્રણાલી છે. હિન્દુ સંસ્કૃતિમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં કાર્યોમાં આ પંચાંગ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે. અને કયા સમયે આપણે શુભ કાર્ય કરવાનું ટાળવું જોઈએ. ત્યારે આ પંચાંગ પરથી જ આપણે જાણીએ કે, આજે 14 જૂન, 2023નો દિવસ કેવો રહેશે ? આજે શું ખાસ છે ?
ગુજરાતી પંચાંગ
તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ મનાય છે. ત્યારે તે અનુસાર જ આજના દિવસની વિગતો મેળવીએ.
તિથિ:- ગુજરાતી પંચાંગ અનુસાર આજે વિ. સં. 2079ની જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિ છે. જે સવારે 08:49 સુધી રહેશે. સૂર્યોદય તિથિ અનુસાર એકાદશીનું વ્રત આજે જ કરવાનું રહેશે.
વાર:- બુધવાર
યોગ:- અતિગંડ
કરણ:- કૌલવ
નક્ષત્ર:- અશ્વિની
સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય
સૂર્યોદય:- 05:55 કલાકે
સૂર્યાસ્ત:- 07:24 કલાકે
આજે યોગિની એકાદશી
પંચાંગ અનુસાર એકાદશીનું વ્રત આજે જ કરવાનું રહેશે. જેઠ માસના વદ પક્ષની એકાદશી તિથિ યોગિની એકાદશી તરીકે ઓળખાય છે. આ દિવસે વ્રત કરવાથી ભક્તને પાપકર્મથી મુક્તિની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા પ્રચલિત છે.
આજની રાશિ
આજની ચંદ્ર રાશિ છે મેષ રાશિ. આ મેષ રાશિના નામાક્ષર છે (અ, લ, ઇ). એટલે કે આજે યોગિની એકાદશીના શુભ અવસરે જન્મ લેનારા બાળકોના નામ મેષ રાશિ પરથી રાખી શકાશે.
અભિજીત મુહૂર્ત
કોઈપણ કાર્ય કરવા માટે શુભ મુહૂર્ત જોવામાં આવતું હોય છે. ત્યારે હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર દરરોજ એક મુહૂર્ત તો એવું હોય જ છે કે જેમાં કાર્ય કરવાથી કાર્યસિદ્ધિના આશિષ પ્રાપ્ત થાય છે. આ મુહૂર્તને અભિજીત મુહૂર્ત તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આજે, 14 જૂન, બુધવાર રોજનું આ અભિજીત મુહૂર્ત બપોરે 12:13 થી 01:07 સુધી પ્રાપ્ત થઈ રહ્યું છે. 54 મિનિટનું આ મુહૂર્ત અત્યંત ફળદાયી મનાય છે.
રાહુ કાળ
હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુકાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું. આજે રાહુ કાળ બપોરે 12:21 થી 02:05 સુધી રહેશે. એટલે આ સમય દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કામ ન કરવું જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)