AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: કુંડળીના દોષોને દૂર કરી અટકેલાં કાર્યોને પૂર્ણ કરશે આ સરળ ઉપાય ! જાણો, પશુ-પક્ષીને ભોજન કરાવવાના લાભ

શ્વાન આપને રંકથી રાજા બનાવી શકે છે ! શ્વાનને ખવડાવવાથી તમારા દુશ્મનો તમારાથી દૂર રહેશે. તમારા જીવનમાંથી દુશ્મનોનો ભય દૂર કરી તે તમને નિડર બનાવશે. તો, પક્ષીઓને ચણ નાંખવાથી તમને વ્યાપાર-નોકરીમાં લાભની પ્રાપ્તિ થશે.

Bhakti: કુંડળીના દોષોને દૂર કરી અટકેલાં કાર્યોને પૂર્ણ કરશે આ સરળ ઉપાય ! જાણો, પશુ-પક્ષીને ભોજન કરાવવાના લાભ
કુંડળી
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 15, 2021 | 9:51 AM
Share

જ્યોતિષ શાસ્ત્ર (Astrology))એક એવું શાસ્ત્ર છે કે જેમાં મનુષ્યને પોતાની દરેક મુસીબતોનું સમાધાન મળી શકે છે. તેમાં નાનાથી લઇને કેટલાક મોટા ઉપાયો બતાવવામાં આવ્યા છે. એટલું જ નહીં કુંડળીમાં રહેલા દોષને પણ નાશ કરવાના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. આવો, આજે કેટલાંક એવાં સરળ ઉપાયો વિશે વાત કરીએ કે જે તમારા કુંડળીના દોષોને દૂર કરવામાં મદદરૂપ બનશે.

ચાલો જાણીએ જ્યોતિષ શાસ્ત્રના એવા કેટલાક સરળ ઉપાયો ⦁ દરરોજ ગાય, શ્વાન, કાગડા, પક્ષીઓ તેમજ કીડીઓને રોટલી ખવડાવવી જોઇએ. તેનાથી તમારા બગડેલા કાર્ય પૂર્ણ થવા લાગશે. તેના દ્વારા દરેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન થશે. ⦁ ગાયમાં સકારાત્મક ઊર્જાનો ભંડાર હોય છે. ઘરની આસપાસ ગાય હોવાનો અર્થ એ છે કે તમે દરેક પ્રકારના સંકટોથી દૂર રહીને સુખપૂર્વક અને સમૃદ્ધિપૂર્ણ જીવન જીવી રહ્યા છો. ગાયને દરરોજ ભોજન કરાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. ⦁ શ્વાન આપને રંકથી રાજા બનાવી શકે છે ! શ્વાનને ખવડાવવાથી તમારા દુશ્મનો તમારાથી દૂર રહેશે. શ્વાનને દરરોજ ભોજન આપવાથી તમારા જીવનમાંથી દુશ્મનોનો ભય દૂર થાય છે સાથે જ વ્યક્તિ નિડર પણ થઇ જાય છે. શ્વાનને ગળી રોટલી ખવડાવવી જોઇએ. ⦁ કાગડાને ભોજન કરાવવાથી દરેક પ્રકારના પિતૃદોષ તેમજ કાલસર્પ દોષ દૂર થઇ જાય છે. કાગડાને ભોજન કરાવવાથી અનિષ્ટ અને દુશ્મનોનો નાશ થાય છે. આના સિવાય શનિદેવને પ્રસન્ન કરવા હોય તો પણ કાગડાઓને ભોજન કરાવો. ⦁ પક્ષીઓને ચણ નાંખવાથી વ્યાપાર-નોકરીમાં લાભ થાય છે સાથે જ ઘરમાં ખુશીઓની લહેર રહે છે અને વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિના દ્વાર ખુલી જાય છે. ⦁ કીડીઓને લોટની સાથે ખાંડ ભેળવીને કીડીયારું પૂરવાથી તમારા ઋણમાંથી એટલે કે દેવામાંથી તમને મુક્તિ મળે છે. ⦁ માછલીઓને ખવડાવવાથી વ્યક્તિની સમૃદ્ધિમાં સતત વૃદ્ધિ થતી જાય છે. ⦁ સમાજમાં માન સન્માન મેળવવા માટે કબૂતરોને રોજ ચણ નાંખવું જોઇએ. આ માટે શુક્રવારે બાજરી ખરીદીને શનિવારથી કબૂતરોને ચણ નાંખવાનું શરૂ કરો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : જાણો ભગવદ્ ગીતાના એ ઉપદેશ કે જે તમને જીવનની તમામ મુસીબતોથી મુક્તિ અપાવી દેશે !

આ પણ વાંચો : મા અન્નપૂર્ણાની આરાધના કરતી વખતે આ બાબતોનું અચૂક રાખો ધ્યાન, નહીંતર પસ્તાવાનો આવશે વારો !

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">