AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: મા અન્નપૂર્ણાની આરાધના કરતી વખતે આ બાબતોનું અચૂક રાખો ધ્યાન, નહીંતર પસ્તાવાનો આવશે વારો !

મા અન્નપૂર્ણાની ઉપાસના વખતે કેટલી વિશેષ બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. કહે છે કે આ નાની-નાની બાબતો પ્રત્યે બેધ્યાન રહેવામાં આવે તો મા અન્નપૂર્ણા નારાજ થઈ શકે છે. અને ભક્તને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

Bhakti: મા અન્નપૂર્ણાની આરાધના કરતી વખતે આ બાબતોનું અચૂક રાખો ધ્યાન, નહીંતર પસ્તાવાનો આવશે વારો !
મા અન્નપૂર્ણા
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 12, 2021 | 6:54 AM
Share

મા અન્નપૂર્ણા (goddess annapurna) એટલે તો અન્નની અધિષ્ઠાત્રી અને ખુશીઓની દાત્રી. પવિત્ર માગશર માસમાં તો મા અન્નપૂર્ણાના અનુષ્ઠાન, વ્રત અને પૂજનનો સવિશેષ મહિમા છે જ. પણ, તે સિવાય પણ શુભ દિવસોમાં મા અન્નપૂર્ણાની વિધિસર પૂજા અર્ચના કરવામાં આવે તો દેવી ભક્તો પર વાત્સલ્યની વૃષ્ટિ કરી દે છે. એ મા અન્નપૂર્ણા જ છે કે જે સમસ્ત જગતનું ભરણપોષણ કરે છે. કહે છે કે સમગ્ર સૃષ્ટિને અન્ન અને વસ્ત્ર મા અન્નપૂર્ણા જ પ્રદાન કરે છે ! અને એટલે જ તો ભક્તોને મન મા અન્નપૂર્ણાની આરાધનાનો સવિશેષ મહિમા છે.

દેવી અન્નપૂર્ણા તો ભક્તોને દરિદ્રતાથી મુક્તિ અપાવનારા છે. કહે છે કે શિવજી સમગ્ર સૃષ્ટિનું પોતાના પરિવારની જેમ જ નિયંત્રણ કરે છે. પણ, સ્વયં તેમના પરિવારની ગૃહસ્થીને સુખરૂપ તો મા અન્નપૂર્ણા જ ચલાવે છે. મા અન્નપૂર્ણાની ઉપાસનાથી ભક્તને સમૃદ્ધિ, સંપન્નતા અને સંતોષની પ્રાપ્તિ થાય છે. એ જ કારણ છે કે શ્રદ્ધાળુઓ આસ્થા સાથે મા અન્નપૂર્ણાની ઉપાસના કરે છે. પરંતુ, જેટલું મહત્વ મા અન્નપૂર્ણાની ઉપાસનાનું છે, તેનાથી પણ વધારે મહત્વ એ વાતનું છે કે મા અન્નપૂર્ણાની ઉપાસના વખતે શું ન કરવું !

મા અન્નપૂર્ણાની ઉપાસના વખતે કેટલીક વિશેષ બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. કહે છે કે આ નાની-નાની બાબતો પ્રત્યે બેધ્યાન રહેવામાં આવે તો મા અન્નપૂર્ણા નારાજ થઈ શકે છે. અને ભક્તને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

શું રાખશો ધ્યાન ? ⦁ મા અન્નપૂર્ણાની પૂજા વહેલી સવારે બ્રહ્મમૂહુર્તમાં અથવા સંધ્યા સમયે જ કરવી જોઈએ. તે જ વિશેષ ફળદાયી બનશે. ⦁ શક્ય હોય ત્યાં સુધી પૂજા સમયે લાલ, પીળા અને સફેદ વસ્ત્ર જ ધારણ કરવા જોઈએ. ⦁ ભગવતી અન્નપૂર્ણાને ક્યારેય ભૂલથી પણ દૂર્વા ન અર્પણ કરવી જોઈએ. ⦁ મા અન્નપૂર્ણાના મંત્રજાપ માટે ક્યારેય પણ તુલસીની માળાનો ઉપયોગ ન કરવો જોઈએ. ⦁ જેટલું મહત્વ મા અન્નપૂર્ણાની પૂજાનું છે, તેટલું જ મહત્વ ઘરમાં શાંતિ જળવાય તે બાબતનું પણ છે. એટલે ઘરમાં કકળાટ-કંકાસ ન થાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ⦁ કહે છે કે ઘરમાં રહેતી દરેક મહિલા સભ્યનું સન્માન કરવું જોઈએ. ક્યારેય તેમનું અપમાન ન કરવું જોઈએ. નહીંતર મા અન્નપૂર્ણા નારાજ થઈ શકે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : શા માટે લગ્ન પ્રસંગમાં મૂકવામાં આવે છે મહેંદી ? સ્ત્રીઓ શા માટે પહેરે છે હાથમાં બંગડી? જાણો પ્રચલિત હિન્દુ માન્યતાઓ પાછળનું વિજ્ઞાન  

આ પણ વાંચો : પાડોશીને આપેલી એક ભેટ, તમારા જીવનમાં લાવશે સુખ,શાંતિ અને સમૃદ્ધિના આશિષ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">