ભીમ એકાદશી પર કરેલી આ ભૂલ મુશ્કેલી સર્જી શકે છે ! જાણો આ દિવસે શું ભૂલથી પણ ન કરવું જોઈએ ?

ભીમ એકાદશીનું (bhima ekadashi) વ્રત ખૂબ જ અઘરું છે. જો તમે આ દિવસે વ્રત નથી કરી શકતા, તો વાંધો નહીં. પણ, આ દિવસે કેટલાક કાર્ય એવાં છે કે જે વ્યક્તિએ ભૂલથી પણ ન કરવા જોઈએ. જો તમે આ કાર્ય કરી લો છો, તો તમારે પણ પસ્તાવાનો વારો આવી શકે છે. અને જીવનમાં અનેકવિધ સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

ભીમ એકાદશી પર કરેલી આ ભૂલ મુશ્કેલી સર્જી શકે છે ! જાણો આ દિવસે શું ભૂલથી પણ ન કરવું જોઈએ ?
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: May 28, 2023 | 6:21 AM

ભીમ અગિયારસના વ્રતનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. જેઠ સુદ એકાદશીની આ તિથિ એ વર્ષની સૌથી મોટી અગિયારસ મનાય છે. આ વખતે, 31 મે, બુધવારના રોજ ભીમ અગિયારસ છે. શાસ્ત્રોમાં આ દિવસે કેટલાંક કાર્યો કરવાનો નિષેધ દર્શાવવામાં આવ્યો છે. જો આપ ભૂલમાં પણ આ વસ્તુઓ ભીમ અગિયારસે કરી લો છો, તો આપને પસ્તાવાનો વારો આવી શકે છે. આવો, આજે તે વિશે જ વિગતે માહિતી મેળવીએ.

ભીમ એકાદશીના વ્રતમાં ઉપવાસનો તો મહિમા છે જ. પણ, નિર્જળા એકાદશી તરીકે ઓળખાતા આ વ્રતમાં પાણી ગ્રહણ કરવાનો પણ નિષેધ છે. એટલે કે, આ વ્રત ખૂબ જ અઘરું છે. જો તમે આ દિવસે વ્રત નથી કરી શકતા, તો વાંધો નહીં. પણ, સૌથી મહત્વની વાત એ છે કે આ દિવસે કેટલાક કાર્ય એવાં છે કે જે વ્યક્તિએ ભૂલથી પણ ન કરવા જોઈએ. જો તમે આ કાર્ય કરી લો છો, તો તમારે પણ પસ્તાવાનો વારો આવી શકે છે. અને જીવનમાં અનેકવિધ સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આવો, જાણીએ કે આ દિવસે કઈ કઈ વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ !

સ્નાન જરૂરથી કરવું

કેટલાક લોકોની આદત હોય છે કે ક્યારેક ક્યારેક તેઓ આળસના કારણે નહાવાનું ટાળી દેતા હોય છે. પરંતુ, ભીમ એકાદશી એ તો ખૂબ જ પવિત્ર દિવસ છે. એટલે, આજના દિવસે સ્નાન ન કરવાથી આપે ખૂબ જ મોટું નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. એટલે આજના દિવસે સ્નાન જરૂરથી કરવું જોઈએ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કોઈને નિરાશ ન કરો !

ભીમ અગિયારસ એ પુણ્યને અર્જીત કરવાનો અવસર છે. આમ તો આ દિવસે જળનું એટલે કે પાણીનું દાન કરવાનો મહિમા છે. તો, ઘણાં લોકો વિવિધ વસ્તુઓનું પણ આ દિવસે દાન કરતા હોય છે. પરંતુ, કેટલાક લોકો એવા પણ છે કે જેઓ આજના દિવસે ઘરે આવેલ ભિક્ષુકને ખાલી હાથે ઘરેથી પાછા કાઢે છે ! આજના દિવસે ભૂલમાં પણ આવું કાર્ય ન કરવું જોઈએ. ભીમ અગિયારસે માત્ર વ્રતનું જ નહીં, દાન કરવાનું પણ મહત્વ છે. જો આપ આજના દિવસે દાન કરવા ન જઇ શકો તો કંઇ નહીં, પણ એટલું જરૂર યાદ રાખો કે ઘરે આવેલ કોઈ ભિક્ષુકને ખાલી હાથે ક્યારેય પાછા ન મોકલતા.

ચોખાનું સેવન ન કરવું જોઈએ

આમ તો એકાદશીના અવસર પર વ્રત કરવાનો મહિમા છે. પરંતુ, જો તમે વ્રત કરી શકો તેમ ન હોવ, તો પણ આ દિવસે ચોખા આરોગવાનો શાસ્ત્રમાં નિષેધ કરવામાં આવ્યો છે. કહે છે કે એકાદશીએ ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ. અને ભીમ અગિયારસ તો વર્ષની સૌથી મોટી અગિયારસ છે. કહેવાય છે કે જો આજના દિવસે તમે ચોખાનું સેવન કરો છો, તો આપને દેવતાના ક્રોધનો ભોગ બનવું પડશે. કેટલીક વાર લોકો અજાણતા પણ આ ભૂલ કરી બેસે છે. આખરે, તેમને પણ શારીરિક અને માનસિક સમસ્યાનો સામનો કરવો પડે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">