AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Haldi Astro Remedy: લગ્ન સમયે વર-કન્યાને કેમ લગાવવામાં આવે છે હળદર ? જાણો ધાર્મિક-વૈજ્ઞાનિક કારણ અને જ્યોતિષી ઉપાય

ગુરુવારે પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરવાથી પણ ભગવાન ગુરુની કૃપા વરસે છે અને આખો દિવસ શુભ અને સફળ રહે છે.

Haldi Astro Remedy: લગ્ન સમયે વર-કન્યાને કેમ લગાવવામાં આવે છે હળદર ? જાણો ધાર્મિક-વૈજ્ઞાનિક કારણ અને જ્યોતિષી ઉપાય
Religious and scientific significance of turmeric in Hindu marriage
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 9:19 PM
Share

Haldi Astro Remedy: હળદર (Turmeric) એક એવી વસ્તુ છે જે તમને કોઈપણ ઘરમાં સરળતાથી મળી જશે. ખાવા-પીવાથી લઈને પૂજા સુધી હળદરનો ભરપૂર ઉપયોગ થાય છે. હિંદુ ધર્મ (Hindu Religion) માં હળદર વગર કોઈપણ શુભ કાર્ય પૂર્ણ થતું નથી. આ જ કારણ છે કે હિંદુ ધર્મમાં લગ્ન સમયે છોકરા અને છોકરીના પરિવાર ખાસ કરીને હળદરની વિધિ કરે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે લગ્નમાં આ વિધિ શા માટે કરવામાં આવે છે અને તેનું શું મહત્વ છે? ચાલો જાણીએ લગ્ન અને પૂજામાં ઉપયોગમાં લેવાતી હળદરનું ધાર્મિક મહત્વ અને તેના સરળ જ્યોતિષ ઉપાયો.

હળદર વિધિ (પીઠી) નું ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ

હિંદુ ધર્મમાં લગ્ન દરમિયાન માત્ર છોકરીઓ જ નહીં પરંતુ છોકરાઓ પણ હળદરની વિધિ ખૂબ જ ધામધૂમથી કરે છે. હળદરની આ વિધિ પાછળ માત્ર શુભતા અને પરંપરા જોડાયેલી નથી પરંતુ તેનું જ્યોતિષીય મહત્વ પણ છે. હળદરનો સંબંધ દેવગુરુ બૃહસ્પતિ સાથે હોવાથી કોઈપણ શુભ લગ્ન માટે અનુકૂળ હોવું ખૂબ જ જરૂરી છે. એવું માનવામાં આવે છે કે હળદરની આ વિધિથી છોકરા અને છોકરીને તેના શુભ ફળ મળે છે.

આ કારણે લગાવવામાં આવે લગ્નમાં હળદર

હળદરનો ઉપયોગ શુભ અને સકારાત્મકતા માટે પણ કરવામાં આવે છે, તેને લગાવતાની સાથે જ નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. એવું પણ કહી શકાય કે હળદરની શુભતા લગ્ન સમયે વર-કન્યાને ખરાબ નજરથી બચાવે છે. જો કે, આયુર્વેદ અનુસાર, હળદરમાં ઘણા ગુણો છે. જેને લગાવવાથી શરીરની ત્વચા સ્વચ્છ, સુંદર, સ્વસ્થ અને ચમકદાર બને છે.

હળદર માટે સરળ અને અસરકારક ઉપાય

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હળદરના તિલકથી સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે. આ સ્થિતિમાં આ બંને વસ્તુઓની ઈચ્છા રાખનાર વ્યક્તિએ ગુરુવારે પૂજા કરતી વખતે પોતાના કાંડા કે ગરદન પર હળદરનું નાનું તિલક લગાવવું જોઈએ, આમ કરવાથી ગુરુ ગ્રહ બળવાન બને છે અને કાર્યમાં સફળતા મળે છે.

ગુરુવારે પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરવાથી પણ ભગવાન ગુરુની કૃપા વરસે છે અને આખો દિવસ શુભ અને સફળ રહે છે. ખાસ કામમાં સફળતા માટે ઘરની બહાર નીકળતી વખતે હળદર લગાવવી જોઈએ. એવું માનવામાં આવે છે કે ઘરની બહારની દીવાલ અથવા મુખ્ય દરવાજા પર હળદરની લાઈન લગાવવાથી નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશતી નથી.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">