Rashifal 2022: તુલા રાશિનાં જાતકોને પનોતી પુરી થતા પહેલા લાભ, વૃશ્ચિક રાશિમાં ક્યારથી પનોતી શરૂ અને ધન રાશિનાં જાતકો માટે હાશકારાનો સમય, જુઓ લેટેસ્ટ ફળકથન

નવા વર્ષનાં પ્રારંભે કેવું રહેશે તમારૂ આ નવું વર્ષ તે જાણવા માટે તમામ લોકો ઉત્સુક રહેતા હોય છે. ટીવી નાઈનની ખાસ રજુઆતનાં માધ્યમથી અમે આપને જણાવીશું કે તમારા ગ્રહ શું કહી રહ્યા છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 7:23 PM

Rashifal 2022: વિક્રમ સંવત 2078ની રાહ જોવાઈ રહી છે અને સાથે વર્ષ 2021 પણ જલ્દીથી પુરૂ થઈને નવા વર્ષની આલબેલ પોકારાઈ રહી છે. આ વચ્ચે નવા વર્ષનાં પ્રારંભે કેવું રહેશે તમારૂ આ નવું વર્ષ તે જાણવા માટે તમામ લોકો ઉત્સુક રહેતા હોય છે. ટીવી નાઈનની ખાસ રજુઆતનાં માધ્યમથી અમે આપને જણાવીશું કે તમારા ગ્રહ શું કહી રહ્યા છે. શું શનિ મહારાજ નવા વર્ષે તેમનો પ્રારંભ ઘટાડશે? શું તમારા જુના વર્ષનાં અટકેલા કામો આ વર્ષે સરળતાથી પાર પડશે કે કેમ?

જ્યોતિષિ ચેતન પટેલનાં જણાવ્યા અનુસાર તુલા, વૃશ્ચિક અને ધન રાશિનાં જાતકો માટે સારો સમય છે. અટકેલા કામ તો પાર પડશે જ સાથે ધંધા અને વેપાર માટે પણ આ રાશિનાં જાતકોને સારો સમય રહેશે. તુલા રાશિનાં જાતકો માટે શનિ મહારાજની ચાલી રહેલી પનોતીનો પ્રભાવ  હવે  ઓસરવાની અણી પર છે. માત્ર 6 મહિનાનો  સમય હવે બચી ગયો છે જેને લઈને આ રાશિનાં જાતકોને રાહત રહેશે અને પનોતી પુરી થતા પહેલા આર્થિક લાભનાં પણ યોગ બની રહ્યા છે.

વૃશ્ચિક રાશિનાં જાતકો માટે પણ સમય સારો દેખાઈ રહ્યો છે, જો કે હવે આ રાશિનાં જાતકોએ થોડી સંભાળ રાખવાની જરૂર રહેશે કે આ રાશિનાં જાતકો માટે પણ હવે પનોતીનો સમય આવવાને લઈ માનસિક સ્થિતિ થોડી ડામાડોળ થઈ શકે છે. ધન રાશિનાં જાતકો માટે સૌથી સારો હવે આવી રહ્યો છે. પનોતીનો સમય પુરો થવાને લઈ આ રાશિનાં જાતકો હવે સારી સ્થિતિનો અનુભવ કરી શકશે અને તેમની માનસિક, શારીરિક અને આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">