AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘રેલ’થી રામકથા! મોરારીબાપુની સૌથી અનોખી રામકથા, જાણો કથાનો સંપૂર્ણ કાર્યક્રમ

લગભગ 19 વર્ષે અધિક શ્રાવણનો શુભ સંયોગ સર્જાયો છે ત્યારે પ્રસિદ્ધ રામકથાકાર પૂ. મોરારીબાપુ દ્વારા દ્વાદશ જ્યોતિર્લિંગના સાનિધ્યે રામકથાના રસપાનનો ભક્તોને લાભ મળશે. ઉલ્લેખનીય છે કે પૂ. મોરારીબાપુની આ 921મી રામકથા છે. જે બાર જ્યોતિર્લિંગના સ્થળો પર થઈ રહી છે.

'રેલ'થી રામકથા! મોરારીબાપુની સૌથી અનોખી રામકથા, જાણો કથાનો સંપૂર્ણ કાર્યક્રમ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2023 | 4:52 PM
Share

હાલ અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે. જેમાં મહાદેવ (Lord Shiv) અને શ્રીવિષ્ણુ (Lord Vishnu) બંન્નેની આરાધનાનું માહાત્મ્ય છે. ત્યારે આ અત્યંત ફળદાયી માસમાં પ્રસિદ્ધ રામકથાકાર મોરારીબાપુ દ્વારા 12 જ્યોતિર્લિંગના સાનિધ્યે રામકથાનું આયોજન થયું છે. આ “12 જ્યોતિર્લિંગ રામકથા” એ સૌથી અનોખી યાત્રા બની રહેશે. કારણ કે સંપૂર્ણ યાત્રા ટ્રેનના માધ્યમથી થશે અને તેના માટે બે વિશેષ ટ્રેઈનની પણ વ્યવસ્થા પણ કરાઈ છે. આખરે, શું છે રેલથી રામકથાનો આ સંપૂર્ણ કાર્યક્રમ ? આવો તે વિશે વિગતે માહિતી મેળવીએ.

પૂ. મોરારીબાપુની આ 921મી રામકથા

લગભગ 19 વર્ષે અધિક શ્રાવણનો શુભ સંયોગ સર્જાયો છે ત્યારે પ્રસિદ્ધ રામકથાકાર પૂ. મોરારીબાપુ દ્વારા દ્વાદશ જ્યોતિર્લિંગના સાનિધ્યે રામકથાના રસપાનનો ભક્તોને લાભ મળશે. ઉલ્લેખનીય છે કે પૂ. મોરારીબાપુની આ 921મી રામકથા છે. જે બાર જ્યોતિર્લિંગના સ્થળો પર થઈ રહી છે. લગભગ 19 દિવસની યાત્રાનો સંપૂર્ણ કાર્યક્રમ છે.

જેમાં દરેક જ્યોતિર્લિંગના સાનિધ્યે એક દિવસ રામકથા થશે. ખાસ વાત એ છે કે આ કથામાં જોડાનાર ભાવિકોને દ્વાદશ જ્યોતિર્લિંગના, જગન્નાથપુરી, રામેશ્વરમ્ અને દ્વારકા જેવાં 3 મહાધામના તેમજ તિરુપતિ બાલાજીના દર્શનનો લહાવો પણ મળશે.

કૈલાસ ભારત ગૌરવ અને ચિત્રકૂટ ભારત ગૌરવ નામની બે વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરાઈ

રસપ્રદ વાત એ છે કે કેદારનાથમાં આ કથાના પ્રારંભ બાદ સંપૂર્ણ યાત્રા રેલવે માર્ગે થઈ રહી છે. આ માટે કૈલાસ ભારત ગૌરવ અને ચિત્રકૂટ ભારત ગૌરવ નામની બે વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરાઈ છે. આ ટ્રેનોને દ્વાદશ જ્યોતિર્લિંગ મંદિરો, સનાતન ધર્મના મુખ્ય મંદિરો, તિરુપતિ બાલાજી મંદિર અને મોરારીબાપુના ગામ તલગાજરડાના દૃશ્યોથી સજાવાઈ છે. આ ખાસ ટ્રેનમાં 1008 શ્રદ્ધાળુઓ યાત્રાનો લાભ લેશે. સમગ્ર યાત્રા 9 રાજ્યોમાંથી પસાર થશે અને લગભગ 12 હજાર કીલોમીટરનું અંતર કાપી ભક્તો રામકથાનો આનંદ લેશે.

આ પણ વાંચો : ખીસ્સામાં રાખેલી એક સોપારી અપાવશે આપને દરેક ક્ષેત્રે સફળતા !

આ રામકથાનો આરંભ 11માં જ્યોતિર્લિંગ કેદારનાથથી થયો છે અને તેની પૂર્ણાહુતિ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં થશે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગથી જ યાત્રાનો પ્રારંભ કેમ નહીં ? તે અંગે પ્રશ્ન પૂછાતા મોરારીબાપુએ સુંદર જવાબ આપ્યો હતો. એટલે કે અધિક શ્રાવણ જેવાં પવિત્ર માસમાં શિવજીના સાનિધ્યે દ્વાદશ જ્યોતિર્લિંગના સાનિધ્યે રામકથાનું શ્રવણ કરીને ભક્તો ધન્યતાની અનુભૂતિ કરશે અને સાથે જ ‘રેલ’થી રામકથાનો આનંદ પણ લેશે.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">