AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir Somnath : સોમનાથમાં અધિક શ્રાવણ માસનો ભક્તિમય આયોજન સાથે પ્રારંભ

18 જૂલાઈ એટલે કે આજથી અધિક શ્રાવણ માસનો ભક્તિમય વાતાવરણમાં પ્રારંભ થયો છે. અધિક શ્રાવણ એટલે કે પુરષોત્તમ માસનો ભગવાન શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ તીર્થમાં ભક્તિમય પ્રારંભ કરવા માટે સોમનાથ ટ્રસ્ટે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

Gir Somnath : સોમનાથમાં અધિક શ્રાવણ માસનો ભક્તિમય આયોજન સાથે પ્રારંભ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 7:15 AM
Share

Gir Somnath : સોમનાથ (Somnath ) પ્રભાસ તીર્થની ભૂમિ કે જે દેવાધિદેવ મહાદેવ અને ભગવાન શ્રીકૃષ્ણની ચરણરજથી પવિત્ર બની છે. જ્યાં વિષ્ણુ ભગવાનના અવતાર પ્રભુ શ્રીરામ અને ભગવાન પરશુરામ પધાર્યા હતા. જેથી જ આ ભૂમિને હરી એટલે કે ભગવાન વિષ્ણુ અને હર એટલે કે ભગવાન શિવનું સંગમ સ્થાન હરિહર તીર્થ કેહવામાં આવે છે.

આ પણ વાંચો Gir Somnath: અધિક શ્રાવણ અને શ્રાવણમાં ભક્તો માટે સોમનાથ ટ્રસ્ટે શરૂ કરી “21₹ બિલ્વપૂજા સેવા

18 જૂલાઈ એટલે કે આજથી અધિક શ્રાવણ માસનો ભક્તિમય વાતાવરણમાં પ્રારંભ થયો છે. અધિક શ્રાવણ એટલે કે પુરષોત્તમ માસનો ભગવાન શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ તીર્થમાં ભક્તિમય પ્રારંભ કરવા માટે સોમનાથ ટ્રસ્ટે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

Somnath

Somnath

સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગોલોકધામ તીર્થ ખાતે ગીતાજી પૂજન સાથે પુરુષોત્તમ માસનો પ્રારંભ

સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજે સવારે ગીતા મંદિર ખાતે ગીતાજીનું પૂજન કરવામાં આવશે. ત્યારબાદ સોમનાથ સંસ્કૃત યુનવર્સિટી તેમજ સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા ગીતાજીનું પઠન કરવામાં આવશે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીતામંદિર ખાતે ધ્વજા પૂજન કરી નૂતન ધ્વજા રોપણ કરવામાં આવશે.

Somnath

Somnath

ગીતાજીના પાઠ, શ્રીમદ્ ભાગવત દશમસ્કંધના પાઠ સહિત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમ

ઉલ્લેખનીય છે કે સમગ્ર અધિક માસ દરમિયાન સવારે 8:00 વાગ્યે ઋષિ કુમારો દ્વારા ગીતાજીના પાઠ અને સંધ્યા સમયે 5:30 થી 7:00 સુધી ભાવિકોને શ્રીમદ્ ભાગવત દશમસ્કંધના પાઠ સાંભળવાનો લાભ મળશે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા અધિક માસ દરમિયાન ગોલોકધામ તીર્થમાં આવનાર ભાવિકોના પ્રવાહને ધ્યાને લઇને પરિસરમાં ગ્રીનકાર્પેટ, સિટિંગ બેન્ચ સહિતની સુલભ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

(With Input : Yogesh Joshi, Gir Somnath)

ગીરસોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">