Putrada Ekadashi 2021 : નિ:સંતાન લોકો માટે શ્રેષ્ઠ છે આ વ્રત, જાણો વ્રતની તિથિ, મહત્વ, શુભ મુહૂર્ત અને કથા

આ વખતે, પુત્રદા એકાદશી 18 ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે. આ વ્રત નિ:સંતાન લોકો અને જેઓ પુત્ર ઇચ્છે છે તેમના માટે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેને પવિત્રા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.

Putrada Ekadashi 2021 : નિ:સંતાન લોકો માટે શ્રેષ્ઠ છે આ વ્રત, જાણો વ્રતની તિથિ, મહત્વ, શુભ મુહૂર્ત અને કથા
Putrada Ekadashi 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 1:47 PM

તમામ એકાદશીને શાસ્ત્રોમાં શ્રેષ્ઠ ઉપવાસ માનવામાં આવે છે. દર મહિનામાં બે એકાદશી હોય છે. એક મહિનો શુક્લ પક્ષમાં અને એક કૃષ્ણ પક્ષમાં. તમામ એકાદશીઓ પર ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. દરેક એકાદશી મોક્ષદાયની હોવાની સાથે એક ખાસ ઈચ્છા પૂરી કરવાની છે. શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની એકાદશીની તારીખ પુત્રદા એકાદશી તરીકે ઓળખાય છે.

આ વખતે, પુત્રદા એકાદશી 18 ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે. આ વ્રત નિ:સંતાન લોકો અને જેઓ પુત્ર ઇચ્છે છે તેમના માટે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેને પવિત્રા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ એકાદશી વ્રત વ્યક્તિના આંતરિક આત્માને શુદ્ધ કરે છે અને તે વ્યક્તિ દ્વારા જાણી જોઈને અથવા અજાણતા કરેલા પાપોથી મુક્તિ મેળવે છે. અહીં જાણો શુભ સમય, પૂજા પદ્ધતિ, મહત્વ અને પુત્રદા એકાદશી વ્રતની કથા.

શુભ સમય

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

એકાદશી તિથિ પ્રારંભ – 18 ઓગસ્ટ 2021 સવારે 03:20 વાગ્યે એકાદશી તિથિ સમાપ્ત – 19 ઓગસ્ટ 2021 સવારે 01:05 વાગ્યે પારણા સમય – 19 ઓગસ્ટના રોજ સવારે 06:32 થી 08:29 સુધી

પૂજા વિધિ

દશમીની સાંજે સૂર્યાસ્ત બાદ ભોજન ન કરવું અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કર્યા પછી સૂવું. સવારે ઉઠીને સ્નાન સમયે પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરો. આ પછી, સ્વચ્છ કપડાં પહેરીને પૂજા કરો. સૌથી પહેલા ભગવાન વિષ્ણુની મૂર્તિની સામે ઘીનો દીવો પ્રગટાવો અને હાથમાં ફૂલ, અક્ષત અને દક્ષિણા લો અને મુઠ્ઠી બંધ કરીને વ્રતનો સંકલ્પ કરો.

હવે કળશને લાલ કપડાથી બાંધો, પછી તેની પૂજા કરો અને ભગવાનની મૂર્તિ આ કલશની ઉપર મૂકો. મૂર્તિને જળ વગેરે અર્પણ કર્યા બાદ નવા વસ્ત્રો ધારણ કરો. ત્યારબાદ ધૂપ, દીવો, ફૂલ વગેરે અર્પણ કરીને નૈવેદ્ય અર્પણ કરો. ત્યારબાદ એકાદશીની કથાનો પાઠ કરો. પૂજા કર્યા પછી, પ્રસાદ વહેંચો અને બ્રાહ્મણને દક્ષિણા આપો.

દિવસભર ઉપવાસ કરો. જો તે શક્ય ન હોય તો, તમે સાંજે ફળાહાર કરી શકો છો. એકાદશીની રાત્રે જાગરણ કરો અને ભગવાનના ભજન-ભક્તિ કરો. બીજા દિવસે, બ્રાહ્મણને ભોજન કરાવી અને દક્ષિણા આપીને તેને આદરપૂર્વક વિદાય આપ્યા પછી જ ઉપવાસ તોડો.

વ્રત કથા

પ્રાચીન સમયમાં મહિષ્મતિ નામની નગરીમાં મહીજિત નામના એક ધર્માત્મા રાજાનું રાજ હતું. તે રાજા ખૂબ જ જાણકાર અને સેવાભાવી હતો. તે રાજાને કોઈ સંતાન નહોતું, આ કારણે તે ઘણીવાર દુ:ખી રહેતો હતો. એક દિવસ રાજાએ પોતાના રાજ્યના તમામ ઋષિઓ, સંન્યાસીઓ અને વિદ્વાનોને બોલાવ્યા અને સંતાન મેળવવાનો રસ્તો પૂછ્યો.

ત્યારે એક ઋષિએ કહ્યું કે રાજન! અગાઉના જન્મમાં શ્રાવન મહિનાની એકાદશીના દિવસે, એક ગાય તમારા તળાવમાંથી પાણી પીતી હતી. તમે તેને ત્યાંથી ભગાડી દીધી. તેથી તે ગાયે તમને નિ:સંતાન થવાનો શ્રાપ આપ્યો. આ કારણે તમને આજ સુધી કોઈ સંતાન નથી.

જો તમે ભગવાન જનાર્દનની ભક્તિભાવથી પૂજા કરો અને તમારી પત્ની સાથે પુત્રદા એકાદશીનું વ્રત કરો તો આ શ્રાપની અસર દૂર થઈ જશે. ઋષિના આદેશ મુજબ રાજાએ પણ એવું જ કર્યું. તેણે પત્ની સાથે પુત્રદા એકાદશીનો ઉપવાસ કર્યો. આ વ્રતની અસરને કારણે, રાણી થોડા સમયમાં ગર્ભવતી થઈ ગઈ અને તેણે એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો.

પુત્રના જન્મથી રાજા ખૂબ જ ખુશ થયા અને તેમણે એકાદશીના કાયમ માટે ઉપવાસ શરૂ કર્યા. એવું કહેવામાં આવે છે કે જે નિ:સંતાન છે, જો તે વ્યક્તિ શુદ્ધ મનથી આ વ્રત પૂર્ણ કરે છે, તો ચોક્કસ તેની ઇચ્છા પૂર્ણ થાય છે અને તેને સંતાનની પ્રાપ્તિ થાય છે.

આ પણ વાંચો : Shravan-2021: એક મુખી અને બે મુખી રુદ્રાક્ષને ધારણ કરતાં પહેલાં આ બાબતોનું ચોક્કસથી રાખજો ધ્યાન

આ પણ વાંચો : Shravan-2021 : ક્યાંક તમે તો નથી કરતાંને આ ભૂલ ? મહામારીમાં ઘરે જ શિવજીની પૂજા કરવાના જાણી લો આ નિયમો !

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">