AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shravan-2021 : ક્યાંક તમે તો નથી કરતાંને આ ભૂલ ? મહામારીમાં ઘરે જ શિવજીની પૂજા કરવાના જાણી લો આ નિયમો !

શું તમે શિવલિંગની સાથે દેવી ગૌરી અને ગજાનન ગણેશની સ્થાપના કરો છો ? શિવલિંગના સ્થાપનથી લઈને સ્થાપનનું સ્થળ અને શિવલિંગની ઊંચાઈ આ તમામ બાબતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.

Shravan-2021 : ક્યાંક તમે તો નથી કરતાંને આ ભૂલ ? મહામારીમાં ઘરે જ શિવજીની પૂજા કરવાના જાણી લો આ નિયમો !
શિવજીની પૂજામાં સાવધાની જરૂરી !
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 17, 2021 | 10:41 AM
Share

શ્રાવણ માસ એટલે તો મહાદેવની (mahadev) આરાધના કરવાનો માસ. આ મહામારીનો સમય છે, સાવચેતી અને નિયમો સાથે જ શિવાલયોમાં ભક્તોને શિવજીના દર્શન થઈ રહ્યા છે. કોઈ શિવાલયમાં જઈને તો વળી કોઈ ઘરે બેઠાં જ ભોળાનાથની ભક્તિ કરી રહ્યાં છે. પણ સવાલ તો એ છે કે જે શિવાલય નથી જઈ શકતાં તેમણે શિવજીની પૂજા કેવી રીતે કરવી જોઈએ ? શું ઘરે મહાદેવની આરાધના થઈ શકે ? તેના માટે નિયમો કયા છે ? આવો આજે આપને જણાવીએ કે જો ઘરે જ કરો છો શિવજીની પૂજા તો શું ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે.

કેટલાક લોકો એવું માને છે કે ઘરમાં શિવજીની પ્રતિમાની સ્થાપના ન કરી શકાય. તો વળી એક મત એવો પણ છે કે પ્રતિમા નહીં પણ શિવલિંગની સ્થાપના કરવી જોઈએે. વળી એ બાબતમાં પણ મતમતાંતર છે. કેટલાક જાણકારો માને છે કે શિવલિંગની સ્થાપના ઘરની અંદર ન કરી શકાય. અલબત, જો ઘરમાં શિવલિંગની સ્થાપના કરેલી છે, તો કેટલાંક ખાસ નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. આમ તો આપણે દેવાધિદેવને ભોળાનાથ તરીકે સંબોધીએ છીએ. એટલે કે મહાદેવ તો ખુબ ભોળા છે. ભક્તોની તમામ કાલીઘેલી ભક્તથી પણ તે પ્રસન્ન થઈ જાય છે. અલબત, કેટલાક નિયમો પણ છે જેનું પાલન ખૂબ જરૂરી છે, ખાસ તો ત્યારે જ્યારે ઘરે જ કરી રહ્યા હોવ મહાદેવની આરાધના.

શિવપૂજાના નિયમ 1. જો આપ ઘરે શિવલિંગની સ્થાપના કરવા ઈચ્છો છો તો ક્યારેય માત્ર શિવલિંગની સ્થાપના ન કરવી. શિવલિંગની સાથે દેવી ગૌરી અને પુત્ર ગણેશજીની પણ સ્થાપના કરવી જ જોઈએ. 2. જો આપ ઘરમાં શિવલિંગની સ્થાપના કરી રહ્યા છો તો તેની ઊંચાઈનો નિયમ પણ જાણી લો. અંગૂઠાના ઉપરના ભાગ જેટલી જ શિવલિંગની ઊંચાઈ હોવી જોઈએ. તેનાથી વધુ ઊંચાઈ ધરાવતી શિવલિંગ ઘરમાં સ્થાપી ન શકાય. 3. ઘરમાં શિવલિંગની સ્થાપના કયા સ્થળ પર કરવી તે જાણવું પણ જરૂરી છે. ઘરમાં બંધ રૂમમાં ક્યારેય શિવલિંગ ન સ્થાપવું. જાણકારો કહે છે કે શિવલિંગ હંમેશા ખુલ્લામાં સ્થાપિત કરવું 4. શિવલિંગની સ્થાપના ક્યારેય તુલસીના છોડની નજીક પણ ન કરવી. તુલસી એ ભગવાન વિષ્ણુના પત્ની કહેવાય છે. વિષ્ણુ સ્વરૂપોનું પૂજન તુલસી દળ વગર અધૂરું ગણાય છે. પણ મહાદેવની પૂજામાં આ ભૂલ ન કરવી. 5. શિવજીને સ્વચ્છતા પસંદ છે. એટલે તમે જે સ્થળ પર શિવલિંગની સ્થાપના કરો છો તે સ્થળ સ્વચ્છ રહે તે પણ ખૂબ જરૂરી છે.

તો, મહામારીના સમયમાં ભલે ઘરે બેઠાં શિવજીની પૂજા કરો. પણ, શિવપૂજાના આ નિયમોને જરૂર ધ્યાનમાં રાખજો.

આ પણ વાંચો : 12 jyotirlinga: દર્શન માત્રથી કામનાઓને પૂર્ણ કરનાર મનાય છે આ ‘કામના લીંગ’ ! જાણો, વૈદ્યનાથ જ્યોતિર્લિંગનો મહિમા

આ પણ વાંચો :  આધ્યાત્મિક અને તબીબી દૃષ્ટિએ ફાયદો કરાવશે રુદ્રાક્ષ, જાણો શાસ્ત્રોક્ત મહિમા

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">