AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surya Ardhya: સૂર્યદેવને જળ ચઢાવતી વખતે ન કરો આ ભૂલો, રાખો આ વાતોનું ખાસ ધ્યાન

હિન્દુ ધર્મમાં સૂર્યની પૂજાનું વિશેષ મહત્વ છે. સૂર્ય ભગવાનને જળ અર્પણ કરીને અને મંત્રોચ્ચાર કરીને તેમના આશીર્વાદ મેળવી શકાય છે. ચાલો જાણીએ સૂર્યને અર્ધ્ય અર્પણ કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

Surya Ardhya: સૂર્યદેવને જળ ચઢાવતી વખતે ન કરો આ ભૂલો, રાખો આ વાતોનું ખાસ ધ્યાન
God Surya(Image-Social Media)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 2:30 PM
Share

હિન્દુ ધર્મમાં (Hinduism) ઉગતા સૂર્યને જળ અર્પણ કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. આપણે સૌ નાનપણથી જ આપણા ઘરમાં જોતા આવ્યા છીએ કે ઘરના મોટા સૂર્યને અર્ધ્ય ચઢાવે છે. શાસ્ત્રો અનુસાર સૂર્યને સૂર્ય અર્ધ્ય (Surya Ardhya) અર્પણ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. એવું માનવામાં આવે છે કે, સૂર્યને અર્ધ્ય અર્પણ કરતી વખતે જો આ ભૂલો કરવામાં આવે તો ભગવાન પ્રસન્ન થવાને બદલે ક્રોધિત થાય છે. સૂર્યને શાંતિ અને શાલીનતાનું પ્રતિક માનવામાં આવે છે. તેથી સૂર્યને જળ અર્પણ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આવો જાણીએ સૂર્યદેવને (Surya Dev) અર્ધ્ય ચઢાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને તેના શું ફાયદા થાય છે.

સૂર્યને જળ કેવી રીતે અર્પણ કરવું…

સૂર્યદેવને જળ અર્પિત કરવા માટે સ્નાન કર્યા બાદ તાંબાના વાસણથી સૂર્યને અર્ધ્ય અર્પણ કરો.

સૂર્યને જળ અર્પણ કરતા પહેલા પાણીમાં લાલ ફૂલ, કુમકુમ અને ચોખા નાખીને જળ અર્પણ કરો.

સૂર્યને અર્ધ્ય અર્પણ કરતી વખતે, વ્યક્તિએ પાણીના વહેતા પ્રવાહની સાથે સૂર્યના કિરણોને જોવું જોઈએ.

પૂર્વ દિશા તરફ મુખ કરીને સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ.

તમારા પગ સુધી પાણી ન પહોંચે તેનું ધ્યાન રાખો.

જળ અર્પણ કરતી વખતે સૂર્ય મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ.

જળ ચઢાવતી વખતે ન કરો આ ભૂલો…

સૂર્યને જળ અર્પણ કરવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે.

પાણી અર્પણ કરતી વખતે શૂઝ અને ચપ્પલ ન પહેરવા જોઈએ. સૂર્યને ખુલ્લા પગે જળ અર્પિત કરો.

પાણી ચઢાવતી વખતે ધ્યાન રાખો કે પાણી તમારા પગમાં ન જાય.

આ બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો અશુભ પરિણામ આવી શકે છે.

રોજ સૂર્યને જળ અર્પિત કરવાથી લાભ થાય છે

જેમની કુંડળીમાં સૂર્ય નબળો હોય તેવા લોકોએ દરરોજ સૂર્યને જળ અર્પિત કરવું જોઈએ. તેનાથી તેમનો આત્મવિશ્વાસ મજબૂત થાય છે. સૂર્યને જળ ચઢાવવાથી સમાજમાં પ્રતિષ્ઠા વધે છે. સૂર્યને જળ અર્પણ કરતી વખતે તમારું મુખ પૂર્વ તરફ રાખવું.

જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને આત્માના કારક તરીકે વર્ણવવામાં આવ્યો છે. તેથી આત્મશુદ્ધિ અને આત્મવિશ્વાસ વધારવા માટે સૂર્યને નિયમિત રીતે દર્શન કરવા જોઈએ.

સૂર્યને નિયમિત જળ આપવાથી શરીર ઉર્જાવાન બને છે.

જો તમે તમારા કામમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો નિયમિતપણે સૂર્યને જળ ચઢાવવાથી અધિકારીઓની મદદ મળે છે અને સમસ્યાઓ દૂર થાય છે.

સૂર્યને જળ આપવા માટે તાંબાના વાસણનો ઉપયોગ કરવો સારું રહેશે.

સૂર્યને જળ અર્પિત કરતા પહેલા જળમાં લાલ ફૂલ અર્પિત કરો. સૂર્યદેવને જળ અર્પિત કરતી વખતે 11 વાર ઓમ સૂર્યાય નમઃનો જાપ કરવો જોઈએ.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

આ પણ વાંચો: UGC Surya Namaskar Event: યુજીસીએ તમામ કોલેજોને પ્રજાસત્તાક દિવસે સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં ભાગ લેવા કરી અપીલ

આ પણ વાંચો: Makar Sankranti Surya Rashi Parivartan: મકરસંક્રાંતિ પર સૂર્ય બદલશે રાશી, આ 5 રાશીને થશે ધન લાભ

Follow Us
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યા 25 લાફા
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યા 25 લાફા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
g clip-path="url(#clip0_868_265)">