Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Chalisa: જો આ ખાસ બાબતોને ધ્યાનમાં રાખીને કરશો હનુમાન ચાલીસાના પાઠ, તો પવનસુત નહીં કરે નિરાશ !

હનુમાન ચાલીસાની 40 પંક્તિઓ તમારા જીવનમાં સિદ્ધિ અપાવનાર છે. હનુમાનજીને ક્યારેય હારનો સામનો નથી કરવો પડતો. એટલે હનુમાન ચાલીસાનો પાઠ શ્રદ્ધાપૂર્વક કરવાથી કોઇપણ વ્યક્તિ હનુમાનજીની કૃપા સરળતાથી પ્રાપ્ત કરી શકે છે.

Hanuman Chalisa: જો આ ખાસ બાબતોને ધ્યાનમાં રાખીને કરશો હનુમાન ચાલીસાના પાઠ, તો પવનસુત નહીં કરે નિરાશ !
lord hanuman (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 01, 2022 | 9:52 AM

હિન્દુ ધર્મમાં હનુમાન ચાલીસાનું (hanuman chalisa) ખાસ મહત્વ છે. ભાગ્યે જ કોઈ ઘર એવું હશે કે જ્યાં હનુમાન ચાલીસાનું પઠન ન થતું હોય. પણ, શું તમે એ જાણો છો કે આ હનુમાન ચાલીસાના પઠન સમયે કેટલીક સાવધાની રાખવામાં આવે તે પણ ખૂબ જ જરૂરી છે ! તો ચાલો જાણીએ, હનુમાન ચાલીસા કરતા સમયે કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ? કે જેથી હનુમાન ચાલીસાનું શુભ ફળ આપને પ્રાપ્ત થાય ?

પૂજા પાઠમાં હનુમાન ચાલીસાનું ખૂબ મહત્વ છે. હનુમાન ચાલીસાના શબ્દો ખૂબ જ સરળ છે. અને આ સરળ શબ્દોથી રામભક્ત હનુમાનજીને જલ્દી પ્રસન્ન કરી શકાય છે. હનુમાન ચાલીસા દ્વારા તમે મુશ્કેલમાં મુશ્કેલ કામ પણ સરળતાથી પાર પાડી શકો છો. અને હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરી શકો છો. હનુમાન ચાલીસાની 40 પંક્તિઓ તમારા જીવનમાં સિદ્ધિ અપાવનાર છે. હનુમાનજીને (lord hanuman) ક્યારેય હારનો સામનો નથી કરવો પડતો. એટલે હનુમાન ચાલીસાનો પાઠ શ્રદ્ધાપૂર્વક કરવાથી કોઇપણ વ્યક્તિ હનુમાનજીની કૃપા આસાનીથી પ્રાપ્ત કરી શકે છે. અલબત્, તે માટે સૌથી જરૂરી બાબત એ છે કે આ પાઠ યોગ્ય વિધિ અનુસાર થાય.

ફળદાયી વિધિ 1. સવારે બ્રહ્મ મૂહુર્તમાં કે સંધ્યા સમયે સ્નાનાદિ કાર્ય કરીને સ્વસ્છ વસ્ત્ર ધારણ કરો. 2. પોતાનું મુખ પૂર્વ દિશામાં કે દક્ષિણ દિશામાં રાખીને લાલ રંગના આસન પર સ્થાન ગ્રહણ કરવું. 3. હનુમાનજીની તસવીરને કે મૂર્તિને પૂર્વ કે દક્ષિણ દિશામાં લાલ રંગના આસન પર સ્થાન ગ્રહણ કરાવવું. 4. ગાયના ઘી કે તલના તેલનો દીવો પ્રજવલિત કરો. 5. એક કળશમાં જળ ભરીને હનુમાનજી સમક્ષ મૂકો અને હનુમાનજીની સમક્ષ 3 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. 6. પ્રભુને ગોળ કે બુંદીના લાડુનો ભોગ અર્પણ કરો. 6. માન્યતા અનુસાર આ કાર્ય સતત 11 શનિવાર સુધી કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે.

IPL 2025થી 7000 કિમી દૂર છે ગૌતમ ગંભીર
IPL ઈતિહાસમાં આ રેકોર્ડ બનાવનાર શ્રેયસ અય્યર પ્રથમ કેપ્ટન,જુઓ ફોટો
એરલાઇન કંપનીનો માલિક છે, આ અભિનેતા જુઓ ફોટો
શું બદામ સાથે અંજીર ખાય શકાય? નિષ્ણાતો પાસેથી જાણો
Vastu Tips: ભૂલથી પણ ઘરની આ દિશામાં દીવો ન રાખો, સુખ-સમૃદ્ધિ જશે!
સ્વપ્ન સંકેત: સપનામાં ક્યારેય ભૂત-પ્રેત દેખાયા છે, તે શું સંકેત આપે છે?

શું રાખશો ખાસ ધ્યાન ? 1. હનુમાન ચાલીસાનો પાઠ હંમેશા સ્વચ્છ થઈને અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને જ કરવો જોઇએ. 2. માંસ અને મદિરાના સેવનથી દૂર રહેવું જોઇએ. 3. પાઠ કરતી વખતે મનમાં સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો જોઇએ. તેનાથી જ શીઘ્ર ફળની પ્રાપ્તિની માન્યતા છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે પૂજા-અર્ચના કેવી રીતે કરવી ? જાણો તેના ઉપાય અને ફાયદાઓ વિશે

આ પણ વાંચો : તમારા જીવનના તમામ કષ્ટો હરશે હનુમાનજીને અર્પણ કરેલી આ વસ્તુઓ

સ્વામીનારાયણનો વધુ એક હરીભક્તે ગંગા નદી અંગે આપ્યુ વિવાદી નિવેદન
સ્વામીનારાયણનો વધુ એક હરીભક્તે ગંગા નદી અંગે આપ્યુ વિવાદી નિવેદન
અમરેલીમાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન ગેમના ચક્કરમાં હાથમાં માર્યા કાપા
અમરેલીમાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન ગેમના ચક્કરમાં હાથમાં માર્યા કાપા
કાળઝાળ ગરમીમાં બસસ્ટોપ ઉપર શેડ નાખવાનું ભૂલી AMC
કાળઝાળ ગરમીમાં બસસ્ટોપ ઉપર શેડ નાખવાનું ભૂલી AMC
સત્યમ ચોકડી પાસે બની 15 લાખની લૂંટ, ઘટનાના CCTV આવ્યા સામે
સત્યમ ચોકડી પાસે બની 15 લાખની લૂંટ, ઘટનાના CCTV આવ્યા સામે
Funny Viral Video: મહિલા ચઢી છાપરે, આવી રીતે બનાવી રિલ્સ
Funny Viral Video: મહિલા ચઢી છાપરે, આવી રીતે બનાવી રિલ્સ
બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા
બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
g clip-path="url(#clip0_868_265)">