Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે પૂજા-અર્ચના કેવી રીતે કરવી ? જાણો તેના ઉપાય અને ફાયદાઓ વિશે

શ્રી હનુમાનજીની પૂજા ગમે ત્યારે કરી શકાય છે, પરંતુ અઠવાડિયામાં બે દિવસ મંગળવાર અને શનિવારે તેમના ભક્તો તેમની વિશેષ રૂપમાં પૂજા કરે છે.

હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે પૂજા-અર્ચના કેવી રીતે કરવી ? જાણો તેના ઉપાય અને ફાયદાઓ વિશે
Lord Hanumanji
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 5:23 PM

હનુમાનજીની પૂજાનું (Hanuman Puja) સનાતન પરંપરામાં ઘણું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે શ્રી રામના (Lord Shri Ram) દૂત કહેવાતા શ્રી હનુમાનજીની પૂજા કરવાથી જીવન સંબંધિત કોઈપણ સમસ્યા દૂર થઈ જાય છે અને મંગળ થાય છે. જો કે શ્રી હનુમાનજીની પૂજા ગમે ત્યારે કરી શકાય છે અને આદરપૂર્વક સ્મરણ કરવાથી તેઓ તેમના ભક્તોની મદદ માટે દોડી જાય છે, પરંતુ અઠવાડિયામાં બે દિવસ મંગળવાર અને શનિવારે તેમના ભક્તો તેમની વિશેષ રૂપમાં પૂજા કરે છે. હનુમાનજીની પૂજા માટે મંગળવારનો દિવસ દરેક મનોકામના પૂર્ણ કરવાનો દિવસ માનવામાં આવે છે. આવો જાણીએ શ્રી હનુમાનજીની પૂજાથી સંબંધિત ઉપાયો અને ફાયદાઓ વિશે.

હનુમત સાધના ક્યારે શરૂ કરવી જો તમે શ્રી હનુમાનજીની દૈનિક સાધના કોઈ ખાસ ઈચ્છા સાથે શરૂ કરવા ઈચ્છો છો તો તેના માટે સૌથી શુભ દિવસ મંગળવાર છે. તેના માટે કોઈ ખાસ મુહૂર્ત જોવાની જરૂર નથી, મંગળવારે પૂજા કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

કયા સ્વરૂપનું ધ્યાન કરવું હનુમાનજીની પૂજામાં તેમના સ્વરૂપનું ખૂબ મહત્વ છે. ઉદાહરણ તરીકે, જો તમે મનની શાંતિ શોધી રહ્યા છો, તો તમારે ધ્યાનની મુદ્રાવાળી હનુમાનની મૂર્તિ અથવા ફોટોની પૂજા કરવી જોઈએ. જો તમે સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય ઈચ્છો છો, તો તમારે બજરંગીના પંચમુખી ચિત્રની પૂજા કરવી જોઈએ. તેવી જ રીતે જીવન સંબંધિત તમામ સમસ્યાઓ અને અવરોધોને દૂર કરવા માટે પર્વત ઊંચકેલા હનુમાનજીના ફોટા અથવા મૂર્તિની પૂજા કરો. જો કોઈ વરદાન કે સફળતાની ઈચ્છા હોય તો હનુમાનજીની આશીર્વાદ મુદ્રાવાળી મૂર્તિની પૂજા કરવી જોઈએ.

Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે
Plant in pot : ઘરે જ તૈયાર કરો જૈવિક ખાતર, આ રહી સાચી અને સરળ રીત
આજનું રાશિફળ તારીખ : 30-03-2025
શુભમન ગિલે IPLમાં નવો રેકોર્ડ બનાવ્યો

પૂજામાં આ વાતોનું ધ્યાન રાખો હનુમાનજીની પૂજામાં સાધકે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેમ કે હનુમંત સાધકે ઓછામાં ઓછા પૂજાના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. મહિલાઓએ શ્રી હનુમાનજીની મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ. હનુમાનજીની પૂજામાં ચરણામૃત ચઢાવવામાં આવતું નથી, આ વાતનું હંમેશા ધ્યાન રાખો.

હનુમાનજીની પૂજાનો ઉપાય એવું માનવામાં આવે છે કે હનુમાનજીની પૂજામાં મીઠી સોપારીનો ટુકડો અર્પિત કરવાથી સાધકને કામમાં જલ્દી સફળતા મળે છે. એ જ રીતે, મંગળવારે શ્રી હનુમાનજીના મંદિરમાં સિંદૂર ચઢાવવાથી પણ મનોકામના જલ્દી પૂરી થાય છે. મનોકામના પૂર્ણ કરવા માટે તમે મંગળવારે હનુમાન મંદિરમાં લાલ કે કેસરી ધ્વજ પણ અર્પણ કરી શકો છો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Ganesha blessings: શા માટે સર્વ પ્રથમ થાય છે ગણેશજીની પૂજા ? જાણો વિવિધ આશિષની પ્રાપ્તિ કરાવતા એકદંતનો મહિમા

g clip-path="url(#clip0_868_265)">