AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે પૂજા-અર્ચના કેવી રીતે કરવી ? જાણો તેના ઉપાય અને ફાયદાઓ વિશે

શ્રી હનુમાનજીની પૂજા ગમે ત્યારે કરી શકાય છે, પરંતુ અઠવાડિયામાં બે દિવસ મંગળવાર અને શનિવારે તેમના ભક્તો તેમની વિશેષ રૂપમાં પૂજા કરે છે.

હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે પૂજા-અર્ચના કેવી રીતે કરવી ? જાણો તેના ઉપાય અને ફાયદાઓ વિશે
Lord Hanumanji
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 5:23 PM
Share

હનુમાનજીની પૂજાનું (Hanuman Puja) સનાતન પરંપરામાં ઘણું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે શ્રી રામના (Lord Shri Ram) દૂત કહેવાતા શ્રી હનુમાનજીની પૂજા કરવાથી જીવન સંબંધિત કોઈપણ સમસ્યા દૂર થઈ જાય છે અને મંગળ થાય છે. જો કે શ્રી હનુમાનજીની પૂજા ગમે ત્યારે કરી શકાય છે અને આદરપૂર્વક સ્મરણ કરવાથી તેઓ તેમના ભક્તોની મદદ માટે દોડી જાય છે, પરંતુ અઠવાડિયામાં બે દિવસ મંગળવાર અને શનિવારે તેમના ભક્તો તેમની વિશેષ રૂપમાં પૂજા કરે છે. હનુમાનજીની પૂજા માટે મંગળવારનો દિવસ દરેક મનોકામના પૂર્ણ કરવાનો દિવસ માનવામાં આવે છે. આવો જાણીએ શ્રી હનુમાનજીની પૂજાથી સંબંધિત ઉપાયો અને ફાયદાઓ વિશે.

હનુમત સાધના ક્યારે શરૂ કરવી જો તમે શ્રી હનુમાનજીની દૈનિક સાધના કોઈ ખાસ ઈચ્છા સાથે શરૂ કરવા ઈચ્છો છો તો તેના માટે સૌથી શુભ દિવસ મંગળવાર છે. તેના માટે કોઈ ખાસ મુહૂર્ત જોવાની જરૂર નથી, મંગળવારે પૂજા કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

કયા સ્વરૂપનું ધ્યાન કરવું હનુમાનજીની પૂજામાં તેમના સ્વરૂપનું ખૂબ મહત્વ છે. ઉદાહરણ તરીકે, જો તમે મનની શાંતિ શોધી રહ્યા છો, તો તમારે ધ્યાનની મુદ્રાવાળી હનુમાનની મૂર્તિ અથવા ફોટોની પૂજા કરવી જોઈએ. જો તમે સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય ઈચ્છો છો, તો તમારે બજરંગીના પંચમુખી ચિત્રની પૂજા કરવી જોઈએ. તેવી જ રીતે જીવન સંબંધિત તમામ સમસ્યાઓ અને અવરોધોને દૂર કરવા માટે પર્વત ઊંચકેલા હનુમાનજીના ફોટા અથવા મૂર્તિની પૂજા કરો. જો કોઈ વરદાન કે સફળતાની ઈચ્છા હોય તો હનુમાનજીની આશીર્વાદ મુદ્રાવાળી મૂર્તિની પૂજા કરવી જોઈએ.

પૂજામાં આ વાતોનું ધ્યાન રાખો હનુમાનજીની પૂજામાં સાધકે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેમ કે હનુમંત સાધકે ઓછામાં ઓછા પૂજાના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. મહિલાઓએ શ્રી હનુમાનજીની મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ. હનુમાનજીની પૂજામાં ચરણામૃત ચઢાવવામાં આવતું નથી, આ વાતનું હંમેશા ધ્યાન રાખો.

હનુમાનજીની પૂજાનો ઉપાય એવું માનવામાં આવે છે કે હનુમાનજીની પૂજામાં મીઠી સોપારીનો ટુકડો અર્પિત કરવાથી સાધકને કામમાં જલ્દી સફળતા મળે છે. એ જ રીતે, મંગળવારે શ્રી હનુમાનજીના મંદિરમાં સિંદૂર ચઢાવવાથી પણ મનોકામના જલ્દી પૂરી થાય છે. મનોકામના પૂર્ણ કરવા માટે તમે મંગળવારે હનુમાન મંદિરમાં લાલ કે કેસરી ધ્વજ પણ અર્પણ કરી શકો છો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Ganesha blessings: શા માટે સર્વ પ્રથમ થાય છે ગણેશજીની પૂજા ? જાણો વિવિધ આશિષની પ્રાપ્તિ કરાવતા એકદંતનો મહિમા

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">