Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri Day 3 : નવરાત્રિનો ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની આરાધના, જાણો પૂજા વિધી અને મંત્ર

આજે નવરાત્રીનું ત્રીજુ નોરતું છે,આ દિવસે દેવી દુર્ગાના ત્રીજા સ્વરૂપની પૂજાનું મહત્વ છે. માતા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્રઘંટા છે. નવરાત્રિની પૂજાના ત્રીજા દિવસે તેમની મૂર્તિની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે અન્ય પ્રસાદ ઉપરાંત સાકર અને પંચામૃત માતાને અર્પણ કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આ અર્પણ કરવાથી દેવી માતા લાંબા આયુષ્યનું વરદાન આપે છે.

Navratri Day 3 : નવરાત્રિનો ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની આરાધના, જાણો પૂજા વિધી અને  મંત્ર
Maa Chandraghanta
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2023 | 7:00 AM

આજે શારદીય નવરાત્રીનું ત્રીજુ નોરતું .આ દિવસે દેવી દુર્ગાના ત્રીજા સ્વરૂપની પૂજાનું મહત્વ છે. માતા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્રઘંટા છે. નવરાત્રિની પૂજાના ત્રીજા દિવસે તેમની મૂર્તિની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે અન્ય પ્રસાદ ઉપરાંત સાકર અને પંચામૃત માતાને અર્પણ કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આ અર્પણ કરવાથી દેવી માતા લાંબા આયુષ્યનું વરદાન આપે છે. તેમની પૂજા કરવાથી વ્યક્તિત્વમાં ત્યાગ, નૈતિકતા અને સંયમ વધે છે.

મા ચંદ્રઘંટાનું સ્વરૂપ

દેવી ચંદ્રઘંટાનું સ્વરૂપ અત્યંત શાંતિપૂર્ણ અને કલ્યાણકારી છે. વાઘ પર સવાર ચંદ્રઘંટાના શરીરનો રંગ સોના જેવો તેજસ્વી છે. તેના કપાળ અર્ધચંદ્રાકાર છે, તેથી તેને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. 10-ભૂજાવાળી દેવી દરેક હાથમાં અલગ-અલગ શસ્ત્રો છે. સફેદ ફૂલોની માળા તેના ગળાનો શણગાર છે.સિંહ તેમનું વાહન છે. જે કોઇ માતાની ઉપાસના કરે છે તે ઉપાસક સિંહની જેમ બહાદુર અને નિર્ભય બની જાય છે.

માતા ચંદ્રઘંટાની પૂજાનું મહત્વ

તેમની પૂજા કરવાથી ભક્તોને લાંબા આયુષ્ય, આરોગ્ય, સુખ અને સમૃદ્ધિનું વરદાન મળે છે. ચંદ્રઘંટા માતાની કૃપાથી સાધકના તમામ પાપ અને વિઘ્નો નાશ પામે છે. તેમની આરાધનાથી એક મહાન ગુણ એ છે કે ભક્તમાં બહાદુરી અને નિર્ભયતાની સાથે નમ્રતા પણ આવે છે.તણાવગ્રસ્ત અને પિત્ત પ્રકૃતિના લોકોએ મા ચંદ્રઘંટાનું પૂજન કરવું જોઈએ.

Mahashivratri 2025: ચારમુખી રુદ્રાક્ષ પહેરવાથી શું થાય છે? જાણો તેના ફાયદા
અવકાશની સૌથી નજીક છે પૃથ્વી પરનું આ શહેર, વાદળોની ઉપર રહે છે લોકો !
Plant In Pot : હવે ઘરે કૂંડામાં જ ઉગાડો મરી ! આ રહી સૌથી સરળ ટીપ્સ
જયા કિશોરી સાથેના લગ્નની ચર્ચા પર શું બોલ્યા ધીરેન્દ્ર શાસ્ત્રી? કહ્યું, ફોન પર ચર્ચા થઈ !
Mosquitoes Bite: કયા લોકોને મચ્છર સૌથી વધારે કરડે છે અને કેમ? જાણો કારણ
ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ઉમરાહ માટે મક્કા પહોંચ્યો

આ પણ વાંચો : Navratri 2nd Day: આજે બીજું નોરતું, મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો પૂજા,વિધિ અને મંત્રો

ઉપાસના

માતાને શુદ્ધ જળ અને પંચામૃતથી સ્નાન કરાવો. વિવિધ પ્રકારના ફૂલ, અક્ષત, કુમકુમ, સિંદૂર ચઢાવો. કેસર અને દૂધમાંથી બનેલી મીઠાઈ અથવા ખીર ચઢાવો. માતાને સફેદ કમળ, લાલ હિબિસ્કસ અને ગુલાબની માળા અર્પણ કરો અને પ્રાર્થના કરતી વખતે મંત્રનો જાપ કરો. આ રીતે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવાથી હિંમતની સાથે  નમ્રતા વધે છે.

મંત્ર

“या देवी सर्वभूतेषु मां चंद्रघंटा रूपेण संस्थिता। नमस्तस्यै, नमस्तस्यै, नमस्तस्यै, नमो नमः।”

पिंडजप्रवरारूढा, चंडकोपास्त्रकैर्युता। प्रसादं तनुते मह्यं, चंद्रघंटेति विश्रुता।।

બીજ મંત્ર

ऐं श्रीं शक्तयै नम:।

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

1 થી 10ના આંકડા કેમ બનાવાયા તેનું લોજિક આ Videoથી સમજાયુ
1 થી 10ના આંકડા કેમ બનાવાયા તેનું લોજિક આ Videoથી સમજાયુ
પલાણા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો, જુઓ Video
પલાણા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો, જુઓ Video
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
ઘરમાં છુપાયેલા ખૂંખાર આરોપીઓને ઠાર કરવા પોલીસનુ Live એન્કાઉન્ટર
ઘરમાં છુપાયેલા ખૂંખાર આરોપીઓને ઠાર કરવા પોલીસનુ Live એન્કાઉન્ટર
મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના
મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના
મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરનાર 2 લોકોની અટકાયત
મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરનાર 2 લોકોની અટકાયત
હાલોલ નગરપાલિકામાં ભાજપને ક્લીન સ્વીપ, 36 બેઠક પર મળી જીત
હાલોલ નગરપાલિકામાં ભાજપને ક્લીન સ્વીપ, 36 બેઠક પર મળી જીત
અમિત શાહના મતવિસ્તાર માણસામાં ભાજપનો ભવ્ય વિજય
અમિત શાહના મતવિસ્તાર માણસામાં ભાજપનો ભવ્ય વિજય
પાટણની ચાણસ્મા બેઠક પર ભાજપના સસ્પેન્ડ ઉમેદવાર અપક્ષમાંથી જીત્યા
પાટણની ચાણસ્મા બેઠક પર ભાજપના સસ્પેન્ડ ઉમેદવાર અપક્ષમાંથી જીત્યા
જૂનાગઢમાં ભાજપને મોટો ઝટકો, મનપાની ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારની જીત
જૂનાગઢમાં ભાજપને મોટો ઝટકો, મનપાની ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારની જીત
g clip-path="url(#clip0_868_265)">