Navratri 2021: નવરાત્રી એટલે આદ્યશક્તિના નવ રૂપની આરાધનાનો અવસર ! જાણો કયા દિવસે દેવીના કયા રૂપની કરશો ઉપાસના

શક્તિની ભક્તિનો અવસર એટલે નવરાત્રી ! નવરાત્રીના નવ દિવસ દેવીના અલગ અલગ નવ રૂપની આરાધના થાય છે. દેવીના અલગ અલગ સ્વરૂપ વ્યક્તિને અલગ અલગ ફળની પ્રાપ્તિ કરાવે છે.

Navratri 2021: નવરાત્રી એટલે આદ્યશક્તિના નવ રૂપની આરાધનાનો અવસર ! જાણો કયા દિવસે દેવીના કયા રૂપની કરશો ઉપાસના
નવરાત્રીમાં નવદુર્ગા પ્રદાન કરશે આશીર્વાદ
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Oct 04, 2021 | 12:47 PM

નવરાત્રી (Navratri) એટલે તો ગુજરાતીઓનો મનપસંદ તહેવાર. આવી ગઈ છે રૂડી નોરતાની રાત. એ નવલી નવરાત કે જેની તો સમગ્ર વર્ષ દરમિયાન ગુજરાતીઓ આતુરતાથી રાહ જોતા હોય છે. નવરાત્રી એટલે તો શક્તિની ભક્તિનો અવસર. નવરાત્રી એટલે તો જગદંબાની ઉપાસનાનો અવસર. નવરાત્રી એટલે તો જગતજનનીના ગુણલાં ગાવાનો અવસર અને ગરબે ઘુમવાનો અવસર. આપણે આદ્યશક્તિના અલગ અલગ 9 સ્વરૂપોનું નવરાત્રીમાં આવાહન કરતા હોઈએ છીએ. દેવીને રોજ ખાસ નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે તેમને ગમતા પુષ્પ અર્પણ કરવામાં આવે છે. પણ સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે નવરાત્રીમાં દેવીના કયા સ્વરૂપની કરશો આરાધના. આવો આજે જાણીએ કે કયા નોરતે દેવીનું કયુ સ્વરૂપ પૂજાય છે. અને શું છે નવદુર્ગાના નવ નામનું રહસ્ય.

દેવી શૈલપુત્રી નવરાત્રીના પ્રથમ દિવસે એટલે કે પહેલાં નોરતે આદ્યશક્તિના શૈલપુત્રી સ્વરૂપનું પૂજન થાય છે. શૈલ એટલે હિમાલય. પર્વતરાજ હિમાલયના પુત્રી હોઈ માતાના આ રૂપને શૈલપુત્રી કહે છે.

દેવી બ્રહ્મચારિણી બીજા નોરતે દેવીના બ્રહ્મચારિણી સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. માતાએ મહાદેવને પતિ રૂપે પામવા હજારો વર્ષ સુધી તપસ્યા કરી. તેમના એ આકરી તપસ્યા વાળા રૂપને માતાનું બ્રહ્મચારિણી રૂપ કહે છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

દેવી ચંદ્રઘંટા ત્રીજા નોરતે દેવીના ચંદ્રઘંટા સ્વરૂપની આરાધના કરાય છે. દેવીના આ સ્વરૂપની વિશેષતા જ એ છે કે દેવીના દસ હાથ છે, અને અસ્ત્ર શસ્ત્રથી સુસજ્જિત છે માતાનું આ રૂપ.

દેવી કુષ્માંડા નવરાત્રીના ચોથા દિવસે કુષ્માંડા સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. મા દુર્ગાએ આખાય બ્રહ્માંડની રચના કરી છે તેથી તેમનું એક નામ કુષ્માંડા પણ છે.

દેવી સ્કંદમાતા પાંચમા નોરતે શક્તિના સ્કંદમાતા સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. સ્કંદ એ શિવ અને પાર્વતીના પુત્ર કાર્તિકેયનું એક નામ છે. સ્કંદના માતા હોઈ દેવી સ્કંદમાતા કહેવાય છે.

દેવી કાત્યાયની છઠ્ઠા નોરતે જગદંબાના કાત્યાયની સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. સુવર્ણની જેમ ચમકતું દેવીનું ચતુર્ભુજ સ્વરૂપ એટલે માતા કાત્યાયનીનું રૂપ.

દેવી કાલરાત્રિ નવરાત્રીના સાતમા દિવસે જગતજનનીના કાલરાત્રિ રૂપની પૂજા કરવામાં આવે છે. આ સ્વરૂપ ચારભુજા ધારી અને ભક્તોની રક્ષા કરતું માનું સ્વરૂપ છે. તેમનું વાહન ગદર્ભ છે.

દેવી મહાગૌરી આઠમની તિથિ પર માતાના મહાગૌરી રૂપનું પૂજન કરવામાં આવે છે. દેવીના આ રૂપનું વાહન વૃષભ છે. દેવીનો વર્ણ અત્યંત ગોરો છે. અને તેમણે શ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે. જેને લીધે દેવી અત્યંત ગૌર વર્ણના ભાસે છે. અને તેના પરથી જ મા મહાગૌરી તરીકે પૂજાય છે.

દેવી સિદ્ધિદાત્રી છેલ્લા નોરતે સિદ્ધિની પ્રાપ્તિ કરાવતા માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. ચતુર્ભુજધારી મા સિદ્ધિદાત્રી કમળ પર બિરાજમાન જોવા મળે છે. પરંતુ, મૂળે તો તેમનું વાહન સિંહ છે. સૌની કામનાને પૂર્ણ કરનારુ સ્વરૂપ એટલે માતા સિદ્ધિદાત્રીનું સ્વરૂપ.

આ પણ વાંચો: સૌભાગ્ય અને સમૃદ્ધિ માટે નવરાત્રી પર ઘરે લવો આ 6 વસ્તુઓ

આ પણ વાંચો: સર્વ પિતૃ અમાસે ગજછાયા યોગનો શુભ સંયોગ, માત્ર 1 શ્રાદ્ધથી 12 વર્ષ સુધી પિતૃઓ રહેશે તૃપ્ત !

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">