Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarva Pitru Amavasya 2021: સર્વ પિતૃ અમાસે ગજછાયા યોગનો શુભ સંયોગ, માત્ર 1 શ્રાદ્ધથી 12 વર્ષ સુધી પિતૃઓ રહેશે તૃપ્ત !

સર્વ પિતૃ અમાસનું એક આગવું જ મહત્વ છે. તેમાં પણ આ વખતે અમાસે ગજછાયા યોગ સર્જાઈ રહ્યો છે. પિતૃતર્પણ માટે, પિંડદાન માટે કે નારાયણ નાગબલી જેવી વિધિ માટે આ યોગ સર્વોત્તમ છે.

Sarva Pitru Amavasya 2021: સર્વ પિતૃ અમાસે ગજછાયા યોગનો શુભ સંયોગ, માત્ર 1 શ્રાદ્ધથી 12 વર્ષ સુધી પિતૃઓ રહેશે તૃપ્ત !
ગજછાયા યોગમાં શ્રાદ્ધથી પિતૃઓ 12 વર્ષ માટે થશે તૃપ્ત !
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 11:25 AM

ધાર્મિક માન્યતા અનુસાર શ્રાદ્ધ વિધિ (Shraddha Vidhi) પિતૃઓને તો તારે જ છે. સાથે જ શ્રાદ્ધકર્મ કરનારને પણ તેના પુણ્ય ફળની પ્રાપ્તિ કરાવે છે. આમ તો દરેક અમાસ પિતૃઓને સમર્પિત છે. પરંતુ, ભાદરવા માસમાં આવતી અમાસ એટલે કે પિતૃપક્ષની અમાસની સવિશેષ મહત્તા છે. આ અમાસ સર્વ પિતૃ અમાસ (Sarva Pitru Amavasya) તરીકે ઓળખાય છે. કહે છે કે આ દિવસે કરેલું શ્રાદ્ધકર્મ જરૂરથી પિતૃઓ સુધી પહોંચે છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. ખાસ વાત તો એ છે કે આ વર્ષે આ અમાસ વિશેષ સંયોગ સાથે આવી રહી છે.

આ વર્ષે સર્વ પિતૃ અમાસ 6 ઓક્ટોબર, 2021 ને બુધવારના રોજ આવી રહી છે. બુધવારી અમાસનું એક આગવું જ મહત્વ છે અને તેમાં પણ આ વખતે અમાસના રોજ ગજછાયા યોગ સર્જાઈ રહ્યો છે. આ યોગને ગજચ્છાયા યોગ (Gajachchhaya Yoga) પણ કહે છે. માન્યતા અનુસાર પિતૃ તર્પણ માટે, પિંડદાન માટે કે નારાયણ નાગબલી જેવી વિધિ માટે આ યોગ સર્વોત્તમ છે. પુરાણાનાસુર જોઈએ તો ગજછાયા યોગમાં શ્રાદ્ધકર્મ કરવાથી પિતૃઓ 12 વર્ષ માટે તૃપ્ત થઈ જાય છે ! એટલે કે તેમની 12 વર્ષની ક્ષુધા એક જ દિવસના શ્રાદ્ધકર્મથી શાંત થઈ જાય છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોઈએ તો લગભગ 11 વર્ષ પૂર્વે 2010માં આ યોગ સર્જાયો હતો અને હવે પછી 8 વર્ષ બાદ એટલે કે 2029 માં આ યોગ સર્જાશે. એટલે કે પિતૃઓને તૃપ્ત કરવાનો આ શ્રેષ્ઠ અને દુર્લભ અવસર છે. સૂર્ય અને ચંદ્ર બંન્ને હસ્ત નક્ષત્રમાં હોય ત્યારે તેને ગજછાયા યોગ કહેવામાં આવે છે. મોટાભાગે પિતૃપક્ષ દરમિયાન જ આ યોગ સર્જાતો હોય છે. પણ, આ વખતે તે અમાસે હોઈ, તેનો વિશેષ મહિમા છે.

Air Coolers : ઉનાળામાં ઠંડી હવા આપશે આ 5 સસ્તા કુલર, કિંમત 5000 રૂપિયાથી ઓછી
કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?

જેમની મૃત્યુ તિથિ યાદ ન હોય તેવા તમામ પિતૃઓનું શ્રાદ્ધ સર્વ પિતૃ અમાસે કરવામાં આવે છે. આ દિવસે શ્રાદ્ધકર્મની સાથે શક્ય હોય તો બ્રહ્મ ભોજન કરાવવું. તેમજ જરૂરિયાતમંદોને દાન આપવું. સામાન્ય દિવસોમાં થતા દાન કરતા ગજછાયા યોગમાં થતું દાન અનેક ગણાં પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. આ દિવસે શ્રાદ્ધકર્મ કરવાથી પિતૃઓ તો તૃપ્ત થાય જ છે. સાથે જ શ્રાદ્ધકર્મ કરનારને પણ તેનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.

માન્યતા અનુસાર ગજછાયા યોગમાં સર્વ પિતૃ અમાસે જે વ્યક્તિ શ્રાદ્ધકર્મ કરે છે તેને દેવામાંથી મુક્તિ મળે છે. એટલું જ નહીં, તેના ઘરમાં સુખ-શાંતિ સદૈવને માટે સ્થિર થઈ જાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ પિતૃ પક્ષમાં પ્રાપ્ત કરો પિતૃઓની સાથે દેવી લક્ષ્મીના આશિર્વાદ ! એક સરળ ઉપાયથી દૂર થશે આપની આર્થિક પરેશાની

આ પણ વાંચોઃ માત્ર એક મંત્રના જાપથી પિતૃને થશે મોક્ષની પ્રાપ્તિ! જાણો પિતૃ મોક્ષ મંત્ર

31 માર્ચથી 3 એપ્રિલ સુધી આ જિલ્લામાં રહેશે વરસાદી માહોલ
31 માર્ચથી 3 એપ્રિલ સુધી આ જિલ્લામાં રહેશે વરસાદી માહોલ
આજથી ચૈત્ર મહિનાનો પ્રારંભ, શક્તિપીઠ સહિતના મંદિરોમાં લાગી ભક્તોની ભીડ
આજથી ચૈત્ર મહિનાનો પ્રારંભ, શક્તિપીઠ સહિતના મંદિરોમાં લાગી ભક્તોની ભીડ
મુસ્લિમોનો અત્યાચાર ભૂલવાનો નથી - પૂર્વ નાયબ CM નીતિન પટેલ
મુસ્લિમોનો અત્યાચાર ભૂલવાનો નથી - પૂર્વ નાયબ CM નીતિન પટેલ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અશ્લીલ હરકત કરતા 2 તબીબને કરાયા ટર્મિનેટ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અશ્લીલ હરકત કરતા 2 તબીબને કરાયા ટર્મિનેટ
મંજુસર GIDCમાં ટાઈલ્સનો પાઉડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
મંજુસર GIDCમાં ટાઈલ્સનો પાઉડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
Rajkot : ન્યારી ડેમ રોડ પર થયેલા અકસ્માત ચોંકાવનારા CCTV આવ્યા સામે
Rajkot : ન્યારી ડેમ રોડ પર થયેલા અકસ્માત ચોંકાવનારા CCTV આવ્યા સામે
Dwarka : ખંભાળિયામાં દારુની હેરાફેરી ઝડપાઈ
Dwarka : ખંભાળિયામાં દારુની હેરાફેરી ઝડપાઈ
ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠું
ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠું
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
g clip-path="url(#clip0_868_265)">