AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભગવાન વિષ્ણુની પૂજા તુલસી વગર અધૂરી છે, ઘરમાં તુલસી રાખવાથી આવે છે સુખ અને સમૃદ્ધિ

તુલસીનો છોડ ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુની પૂજા તુલસી વિના અધૂરી માનવામાં આવે છે, જેને વિષ્ણુપ્રિયા પણ કહેવાય છે.

ભગવાન વિષ્ણુની પૂજા તુલસી વગર અધૂરી છે, ઘરમાં તુલસી રાખવાથી આવે છે સુખ અને સમૃદ્ધિ
તુલસી
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 4:28 PM
Share

સનાતન પરંપરામાં તુલસીનો (Tulsi) છોડ ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુની (Lord Vishnu) પૂજા તુલસી વિના અધૂરી માનવામાં આવે છે, જેને વિષ્ણુપ્રિયા પણ કહેવાય છે. એવું માનવામાં આવે છે કે તુલસીનો છોડ તમારા ઘરના તમામ દોષોને દૂર કરે છે. આ જ કારણ છે કે આટલી પવિત્રતા અને દિવ્યતા સાથે, આ છોડ ચોક્કસપણે દરેક હિન્દુ દ્વારા ઘરના આંગણા, બાલ્કની અને દરવાજા પાસે રાખે છે અને દરરોજ તેની પૂજા કરે છે.

જો તુલસીજીને ઘરથી બહાર જતા સમયે જોવામાં આવે તો કામ ચોક્કસપણે સફળ થાય છે. ચાલો આવા પવિત્ર છોડના અન્ય ફાયદાઓ વિશે વિગતવાર જાણીએ.

1. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે, ત્યાં હંમેશા પવિત્રતા રહે છે અને નકારાત્મકતા દૂર થાય છે.

2. તુલસીનો પવિત્ર છોડ ઘરના ઈશાન ખૂણામાં લગાવવો જોઈએ. ઘરની આ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી ધન અને સમૃદ્ધિ વધે છે.

3. ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે, દરરોજ તુલસીના છોડની સામે સાંજે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો.

4. જે દરરોજ તુલસીનો પ્રસાદ લે છે તેના પર શ્રી હરિની કૃપા વરસે છે. દરરોજ દહીં અને ખાંડ સાથે તુલસીના પાનનું સેવન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

5. મંગળવાર, રવિવાર, એકાદશી અને સૂર્ય તથા ચંદ્ર ગ્રહણ દરમિયાન તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ. આ દિવસે ન તો તુલસીનો છોડ લગાવો અને ન તો તેના પાન તોડો.

6. તુલસીનો છોડ ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત હોવાથી હંમેશા તેની પવિત્રતા જાળવી રાખો. તુલસીના છોડની આસપાસ નિયમિત સફાઈ કરો અને તેની બાજુમાં ચંપલ વગેરે રાખવાનું ટાળો.

7. એવું માનવામાં આવે છે કે તુલસીનો છોડ પહેલેથી જ તમારા ઘરમાં આવનારી આફતનો સંકેત આપે છે. એવું કહેવાય છે કે જ્યારે તમારા ઘરમાં રાખેલ તુલસીનો છોડ સુકાવા લાગે છે, તો સમજી લો કે જીવનમાં કોઈ સંકટ આવવાનું છે. આ સ્થિતિમાં, તરત જ તે છોડને દૂર કરો અને ત્યાં લીલો અને તંદુરસ્ત તુલસીનો છોડ લગાવો.

8. સુકાઈ ગયેલા તુલસીના છોડને કચરામાં ક્યારેય ફેંકશો નહીં, પરંતુ તેને જમીનની નીચે દાટી દો અથવા પવિત્ર નદીમાં પધરાવી દો.

આ પણ વાંચો : BHAKTI: જો રાખશો આ સરળ બાબતોનું ધ્યાન, તો પનોતીની પીડાથી મુક્ત કરશે શનિ મહારાજ

આ પણ વાંચો : Bhakti : જાણો દિવાસા પર થતાં એવરત જીવરત વ્રતનો મહિમા, આ વ્રત પૂર્ણ કરશે પરિવારના સુખની કામના !

વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
g clip-path="url(#clip0_868_265)">