AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભગવાન વિષ્ણુની પૂજા તુલસી વગર અધૂરી છે, ઘરમાં તુલસી રાખવાથી આવે છે સુખ અને સમૃદ્ધિ

તુલસીનો છોડ ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુની પૂજા તુલસી વિના અધૂરી માનવામાં આવે છે, જેને વિષ્ણુપ્રિયા પણ કહેવાય છે.

ભગવાન વિષ્ણુની પૂજા તુલસી વગર અધૂરી છે, ઘરમાં તુલસી રાખવાથી આવે છે સુખ અને સમૃદ્ધિ
તુલસી
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 4:28 PM
Share

સનાતન પરંપરામાં તુલસીનો (Tulsi) છોડ ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુની (Lord Vishnu) પૂજા તુલસી વિના અધૂરી માનવામાં આવે છે, જેને વિષ્ણુપ્રિયા પણ કહેવાય છે. એવું માનવામાં આવે છે કે તુલસીનો છોડ તમારા ઘરના તમામ દોષોને દૂર કરે છે. આ જ કારણ છે કે આટલી પવિત્રતા અને દિવ્યતા સાથે, આ છોડ ચોક્કસપણે દરેક હિન્દુ દ્વારા ઘરના આંગણા, બાલ્કની અને દરવાજા પાસે રાખે છે અને દરરોજ તેની પૂજા કરે છે.

જો તુલસીજીને ઘરથી બહાર જતા સમયે જોવામાં આવે તો કામ ચોક્કસપણે સફળ થાય છે. ચાલો આવા પવિત્ર છોડના અન્ય ફાયદાઓ વિશે વિગતવાર જાણીએ.

1. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે, ત્યાં હંમેશા પવિત્રતા રહે છે અને નકારાત્મકતા દૂર થાય છે.

2. તુલસીનો પવિત્ર છોડ ઘરના ઈશાન ખૂણામાં લગાવવો જોઈએ. ઘરની આ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી ધન અને સમૃદ્ધિ વધે છે.

3. ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે, દરરોજ તુલસીના છોડની સામે સાંજે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો.

4. જે દરરોજ તુલસીનો પ્રસાદ લે છે તેના પર શ્રી હરિની કૃપા વરસે છે. દરરોજ દહીં અને ખાંડ સાથે તુલસીના પાનનું સેવન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

5. મંગળવાર, રવિવાર, એકાદશી અને સૂર્ય તથા ચંદ્ર ગ્રહણ દરમિયાન તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ. આ દિવસે ન તો તુલસીનો છોડ લગાવો અને ન તો તેના પાન તોડો.

6. તુલસીનો છોડ ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત હોવાથી હંમેશા તેની પવિત્રતા જાળવી રાખો. તુલસીના છોડની આસપાસ નિયમિત સફાઈ કરો અને તેની બાજુમાં ચંપલ વગેરે રાખવાનું ટાળો.

7. એવું માનવામાં આવે છે કે તુલસીનો છોડ પહેલેથી જ તમારા ઘરમાં આવનારી આફતનો સંકેત આપે છે. એવું કહેવાય છે કે જ્યારે તમારા ઘરમાં રાખેલ તુલસીનો છોડ સુકાવા લાગે છે, તો સમજી લો કે જીવનમાં કોઈ સંકટ આવવાનું છે. આ સ્થિતિમાં, તરત જ તે છોડને દૂર કરો અને ત્યાં લીલો અને તંદુરસ્ત તુલસીનો છોડ લગાવો.

8. સુકાઈ ગયેલા તુલસીના છોડને કચરામાં ક્યારેય ફેંકશો નહીં, પરંતુ તેને જમીનની નીચે દાટી દો અથવા પવિત્ર નદીમાં પધરાવી દો.

આ પણ વાંચો : BHAKTI: જો રાખશો આ સરળ બાબતોનું ધ્યાન, તો પનોતીની પીડાથી મુક્ત કરશે શનિ મહારાજ

આ પણ વાંચો : Bhakti : જાણો દિવાસા પર થતાં એવરત જીવરત વ્રતનો મહિમા, આ વ્રત પૂર્ણ કરશે પરિવારના સુખની કામના !

રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
g clip-path="url(#clip0_868_265)">