AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BHAKTI: જો રાખશો આ સરળ બાબતોનું ધ્યાન, તો પનોતીની પીડાથી મુક્ત કરશે શનિ મહારાજ

શનિ, રાહુ અને કેતુ ક્રૂર ગ્રહો મનાય છે. તેમના પ્રભાવથી કોઈ જ છટકી શકતું નથી. એટલે આ ગ્રહોની ખરાબ અસરને દૂર કરવા માટે સૌ પ્રથમ તો કર્મની ખરાબીઓને જ સુધારવી જરૂરી છે.

BHAKTI: જો રાખશો આ સરળ બાબતોનું ધ્યાન, તો પનોતીની પીડાથી મુક્ત કરશે શનિ મહારાજ
સારાં કર્મથી પ્રસન્ન થશે શનિદેવ
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 07, 2021 | 10:04 AM
Share

કેટલાંક લોકો શનિની (shani) સાડાસાતી અથવા અઢી વર્ષની પનોતીથી ડરતા હોય છે. પણ, કહે છે કે જેને પનોતી ચાલતી હોય તેનું કર્મ જો શુદ્ધ હોય, તો શનિદેવ તેને ક્યારેય પરેશાન કરતા નથી. પરંતુ, તેનાથી વિપરીત જો કર્મ જ અશુદ્ધિ ભરેલાં હોય તો પછી ન્યાયના દેવ શનિની વક્રદૃષ્ટિથી તેને કોઈ બચાવી શકતું નથી. શનિ, રાહુ અને કેતુ ક્રૂર ગ્રહો મનાય છે. તેમના પ્રભાવથી કોઈ જ છટકી શકતું નથી. એટલે આ ગ્રહોની ખરાબ અસરને દૂર કરવા માટે સૌ પ્રથમ તો કર્મની ખરાબીઓને જ સુધારવી જરૂરી છે. આવો, આજે તે સંદર્ભમાં જ જાણકારી મેળવીએ.

શનિ અશુભ હોવાનો સંકેત માન્યતા એવી છે કે શનિની અશુભ અસરને કારણે ઘર અથવા ઘરનો કેટલોક ભાગ ધરાશાયી થાય છે, અથવા તેને નુકસાન થાય છે. ક્યારેક દેવા કે ઝઘડાને કારણે ઘર વેચાય છે. અંગો પરના વાળ ઝડપથી બહાર આવે છે. નખ નબળા પડી જાય છે. ઘરમાં અચાનક આગ લાગી શકે છે. સંપત્તિ કોઈ પણ રીતે નાશ પામે છે. અકાળે જ દાંત અને આંખની નબળાઈ અનુભવાય છે.

બદલો જીવનશૈલી ! 1. દાંત સાફ રાખો. 2. અસત્ય ન બોલો. 3. જો તમે કોઈ વ્યસન કરતા હોવ, તો તે બંધ કરો. 4. જુગાર રમશો નહીં. 5. ક્યારેય પિતા અને પુત્રનો અનાદર ન કરવો. 6. જીવનસાથી પ્રત્યે વફાદાર રહો. 7. નાસ્તિકતાથી અને નાસ્તિકતાના વિચારોથી દૂર રહો. 8. હંમેશાં માથું ઢાંકીને મંદિરમાં જાવ.

ઉપરોક્ત જણાવેલી બાબતો અત્યંત સરળ છે. આ સરળ બાબતો તન અને મન બંન્નેને શુદ્ધ કરે છે. કહે છે કે આ શુદ્ધ કર્મથી જ શનિદેવ પ્રસન્ન થાય છે. તો, સાથે જ કેટલાંક વિશેષ ઉપાય અજમાવીને શનિ મહારાજની વક્રદૃષ્ટિથી બચી શકાય છે.

સરળ ઉપાયથી શનિકૃપા 1. હનુમાન ચાલીસા દરરોજ વાંચો. 2. કાગડાને રોજ કંઈક ખવડાવો. 3. અંધ, વિકલાંગ, સેવકો અને સફાઇ કામદારોને ખુશ રાખો અને તેમને દાન આપો. 4. મધનું સેવન કરો, મધમાં કાળા તલ ભેળવી તેનું મંદિરમાં દાન કરો અથવા તે મધને હંમેશાં ઘરમાં રાખો. 5. તલ, અડદ, લોખંડ, તેલ, કાળા કપડાં અને પગરખાંનું દાન કરો. 6. શનિવારના દિવસે છાયા દાન કરવું. એક વાટકીમાં તેલ લઈ તેમાં પોતાની છાયા એટલે કે ચહેરો જોવો. ત્યારબાદ તે તેલનું દાન કરી દો. તેને છાયા દાન કહે છે.

ઉલ્લેખનીય છે કે આ બધાં ઉપચાર લૌકિક માન્યતાઓ પર આધારીત છે. પણ, કહે છે કે કર્મ શુદ્ધિ અને સરળ ઉપાયો થકી શનિદેવ પ્રસન્ન થાય છે. અને પછી ન્યાયના દેવતા શનિ તેમની વક્રદૃષ્ટિનો પ્રયોગ ટાળે છે. તેમજ વ્યક્તિને પનોતીમાં પણ રાહતની પ્રાપ્તિ કરાવે છે.

આ પણ વાંચોઃ Bhakti : જાણો દિવાસા પર થતાં એવરત જીવરત વ્રતનો મહિમા, આ વ્રત પૂર્ણ કરશે પરિવારના સુખની કામના !

આ પણ વાંચોઃ Photo : જાણો મહાભારતમાં વર્ણિત અર્જુનના વિવિધ નામ પાછળનું રહસ્ય

g clip-path="url(#clip0_868_265)">