AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શારીરિક અને માનસિક પીડાથી મુક્તિ અપાવશે હનુમાન બાહુક! જાણો કેવી રીતે થઈ રચના ?

કહે છે કે આસ્થા સાથે અને વિધિ વિધાનથી હનુમાન બાહુકનો પાઠ કરવાથી હનુમાનજી વ્યક્તિને સમસ્ત પીડાઓમાંથી મુક્તિ અપાવે છે. સાથે જ જો જીવનમાં કોઈ કાર્ય રોકાઈ ગયું હોય તો તે કાર્યમાં સફળતા મળે છે. કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો તે પણ હનુમાન બાહુકથી પૂર્ણ થાય છે.

શારીરિક અને માનસિક પીડાથી મુક્તિ અપાવશે હનુમાન બાહુક! જાણો કેવી રીતે થઈ રચના ?
Lord Hanumanji
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 05, 2022 | 6:20 AM
Share

નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા ।।

માન્યતા અનુસાર હનુમાનજી તો તેમના ભક્તોને રોગથી મુક્તિની પ્રાપ્તિ કરાવનારા છે. પણ, શું તમે એ જાણો છો કે ખાસ રોગ મુક્તિ અર્થે જ હનુમાનજીની એક સ્તુતિની રચના થઈ છે ! જી હાં, આજે અમારે વાત કરવી છે કે હનુમાન બાહુક વિશે. કે જેના પઠન દ્વારા હનુમાનજી ભક્તને શારીરિક પીડાથી મુક્તિ અપાવતા હોવાની માન્યતા છે.

ઘણાં ઓછા લોકોને એ વાતની જાણકારી છે કે હનુમાન ચાલીસા અને બજરંગ બાણની જેમ જ હનુમાન બાહુકની રચના પણ ગોસ્વામી તુલસીદાસજીએ જ કરી છે. કહે છે કે આ હનુમાન બાહુકના પાઠ કરવાથી વ્યક્તિના દરેક પ્રકારના શારીરિક અને માનસિક કષ્ટ દૂર થાય છે. ત્યારે આવો આજે જાણીએ કે આ હનુમાન બાહુકની રચના થઈ કેવી રીતે?

કેવી રીતે થઈ રચના?

સંત તુલસીદાસજી એ શ્રીરામ અને હનુમાનજીના પરમ ભક્ત હતા. તેમણે જ હનુમાન ચાલીસા, બજરંગ બાણ અને રામચરિત માનસની રચના કરી હતી. કહે છે કે કળિયુગના કારણે તુલસીદાસજીની ભુજાઓમાં અત્યંત પીડા ઉદ્ભવી. તે બીમાર થઇ ગયા. શરીરમાં કીડા પણ પડી રહ્યા હતા. પરંતુ, પીડાભર્યા અવાજમાં તેમણે હનુમાનજીના નામનું સ્મરણ કરવાનું ચાલુ કર્યું. તેમની આ પીડા જોઇને હનુમાનજી ભક્ત માટે પ્રગટ થયા.

હનુમાનજીએ તેમના ભક્તને કેટલાક શબ્દો સંભળાવ્યા. તે શબ્દોનો તુલસીદાસજીએ જાપ કર્યો અને જોતજોતામાં તે સારા થવા લાગ્યા ! કહે છે કે આ જાપ એ વાસ્તવમાં હનુમાન બાહુકનો જ પાઠ હતો. કે જેના કારણે તુલસીદાસજીના દરેક પ્રકારના શારીરિક કષ્ટ દૂર થઈ ગયા.

શું છે માહાત્મ્ય ?

હનુમાન બાહુકના 44 ચરણોનો પાઠ કરનાર વ્યક્તિના શારીરિક અને માનસિક એમ દરેક પ્રકારના કષ્ટ દૂર થઈ જવાની માન્યતા છે. કહે છે કે આસ્થા સાથે અને વિધિ વિધાનથી આ પાઠ કરવાથી હનુમાનજી વ્યક્તિને સમસ્ત પીડાઓમાંથી મુક્તિ અપાવે છે. સાથે જ જો જીવનમાં કોઇ કાર્ય રોકાઇ ગયું હોય તો તે કાર્યમાં સફળતા મળે છે. કોઇ ઇચ્છા અધૂરી રહી ગઈ હોય તો તે પણ પૂર્ણ થાય છે. આ બધા કાર્યોમાં હનુમાન બાહુકના પાઠ લાભદાયી સિદ્ધ થાય છે.

ફળદાયી પઠનવિધિ

જો આપને ગઠિયો વા, માથાનો દુઃખાવો, ગળાના રોગ, સાંધાના દુઃખાવા જેવા રોગ હોય તો શુભ મુહૂર્ત જોઈ જળનું એક પાત્ર ભરીને હનુમાનજી સન્મુખ મૂકવું. ત્યારબાદ હનુમાન બાહુકનો પાઠ કરવો અને પછી તે જળ પી જવું. આવું સળંગ 26 કે 21 દિવસો સુધી કરવું. કહે છે કે આ વિધિથી પ્રસન્ન થઈ હનુમાનજી શરીરની સમસ્ત પીડાઓમાંથી મુક્તિ મળી જાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ જો આ ખાસ બાબતોને ધ્યાનમાં રાખીને કરશો હનુમાન ચાલીસાના પાઠ, તો પવનસુત નહીં કરે નિરાશ !

આ પણ વાંચોઃ તમારા જીવનના તમામ કષ્ટો હરશે હનુમાનજીને અર્પણ કરેલી આ વસ્તુઓ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">