Gudi Padwa 2022: જાણો કયા દિવસે ઉજવવામાં આવશે ગુડી પડવો, શું છે મહત્વ અને આ દિવસ સાથે જોડાયેલી ખાસ વાતો

મહારાષ્ટ્રમાં ગુડી પડવાના દિવસે પુરણ પોળી બનાવવામાં આવે છે. આ પવિત્ર તહેવાર પર લોકો અહીં કેરીનું સેવન કરવાનું શરૂ કરે છે. કેટલીક જગ્યાએ ગુડી પડવાના દિવસે લીમડાના પાન ખાવાની પણ પ્રથા છે.

Gudi Padwa 2022: જાણો કયા દિવસે ઉજવવામાં આવશે ગુડી પડવો, શું છે મહત્વ અને આ દિવસ સાથે જોડાયેલી ખાસ વાતો
Gudi Padwa 2022 (symbolic image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 12:49 PM

ખાસ કરીને મહારાષ્ટ્ર (Maharashtra), કર્ણાટક (Karnataka), ગોવા(Goa) અને આંધ્રપ્રદેશમાં ગુડી પડવા (Gudi Padwa 2022)નો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. તે ઉગાડી, છેટી ચંદ જેવા નામોથી પણ ઓળખાય છે. હિંદુ કેલેન્ડર મુજબ ચૈત્ર નવરાત્રિ ગુડી પડવાના દિવસથી શરૂ થાય છે અને હિંદુ નવું વર્ષ પણ આ દિવસથી શરૂ થાય છે. આ વખતે ગુડી પડવોનો તહેવાર 2 એપ્રિલ શનિવારના રોજ આવી રહ્યો છે. ગુડી પડવા વિશે બીજી ઘણી બાબતો પ્રચલિત છે. કહેવાય છે કે આ દિવસે બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરી હતી અને આ દિવસથી સત્યયુગની શરૂઆત થઈ હતી. એવું પણ માનવામાં આવે છે કે ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામ, નારાયણ અવતાર, ગુડી પડવાના દિવસે બાલીનો વધ કર્યો અને લોકોને તેના આતંકમાંથી મુક્ત કર્યા. અહીં જાણો ગુડી પડવા સાથે જોડાયેલી ખાસ વાતો.

ગુડી પડવાનો શુભ સમય

પ્રતિપદા તિથિ 01 એપ્રિલ, શુક્રવારે સવારે 11.53 કલાકથી શરૂ થશે અને બીજા દિવસે, 02 એપ્રિલ, શનિવારના રોજ 11.58 સુધી ચાલુ રહેશે. ઉદય તિથિ અનુસાર આ તહેવાર 02 એપ્રિલે ઉજવવામાં આવશે. આ દિવસે અમૃત સિદ્ધિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રચાઈ રહ્યો છે. આ બંને યોગ ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે.

ગુડી પડવાને લગતી ખાસ વાતો

  1.  ‘ગુડી’ શબ્દનો અર્થ થાય છે ‘વિજય ધ્વજ’ અને પાડવો એટલે પ્રતિપદાની તારીખ. આ દિવસે સવારે સ્નાન કર્યા બાદ મહિલાઓ વિજયના પ્રતિક તરીકે ઘરમાં સુંદર ગુડી લગાવે છે અને તેની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી ત્યાંની નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં ખુશીઓ આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે જ્યારે ભગવાન શ્રી રામે બાલીનો વધ કર્યો, ત્યારે લોકોએ ખુશીના રૂપમાં પોતાના ઘરોમાં રંગોળી બનાવી અને ઘરોમાં વિજય ધ્વજ ફરકાવી આને ગુડી કહે છે. ત્યારથી આ પ્રથા આજે પણ ચાલુ છે અને તેને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
  2. મહારાષ્ટ્રમાં ગુડી પડવાના દિવસે પુરણ પોળી બનાવવામાં આવે છે. આ પવિત્ર તહેવાર પર લોકો અહીં કેરીનું સેવન કરવાનું શરૂ કરે છે. કેટલીક જગ્યાએ ગુડી પડવાના દિવસે લીમડાના પાન ખાવાની પણ પ્રથા છે.
  3. હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
    કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
    ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
    હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
    ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
    રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
  4.  આ તહેવાર પર સૂર્ય ઉપાસનાનો પણ રીવાજ છે. લોકો સૂર્યની પૂજા કરે છે અને તેમને સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યની કામના કરે છે. ગુડી પડવાના દિવસે મરાઠી સ્ત્રીઓ 9 યાર્ડ લાંબી સાડી પહેરે છે, જ્યારે પુરુષો લાલ અથવા કેસરી પાઘડી સાથે કુર્તા-ધોતી અથવા પાયજામા પહેરે છે.
  5. એવું પણ માનવામાં આવે છે કે બહાદુર મરાઠા છત્રપતિ શિવાજીએ યુદ્ધ જીત્યા બાદ સૌથી પહેલા ગુડી પડવાનો તહેવાર ઉજવ્યો હતો. ત્યારથી મહારાષ્ટ્રમાં આ તહેવાર ઉજવવાની પરંપરા શરૂ થઈ. ગોવા અને કેરળમાં કોંકણી સમુદાય દ્વારા ગુડી પડવો સંવત્સરી પડવો તરીકે ઉજવવામાં આવે છે. તે કર્ણાટકમાં યુગાદી અને આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં ઉગાદી તરીકે ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો :Knowledge: પક્ષીઓ પર હવામાન પરિવર્તનની આઘાતજનક અસર, હવે સમય કરતાં 4 અઠવાડિયા વહેલા મૂકે છે ઈંડા

આ પણ વાંચો :Mann Ki Baat Live : ચૈત્રી નવરાત્રી, પરીક્ષા, જળ સંચય સહીતના મુદ્દા પર વડાપ્રધાન મોદી કરી શકે છે મન કી બાત

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">