AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garuda Purana : જાણો કયા પાપ કર્મ માટે મનુષ્યને નર્કમાં કઈ સજા મળે છે !

ગરુડ પુરાણમાં સાચા અને ખોટા કર્મો સમજાવવામાં આવ્યા છે અને તેમના આધારે એવું કહેવામાં આવ્યું છે કે કયા પાપ માટે વ્યક્તિને મૃત્યુ પછી કઇ સજા મળે છે.

Garuda Purana : જાણો કયા પાપ કર્મ માટે મનુષ્યને નર્કમાં કઈ સજા મળે છે !
Garuda Purana
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 1:48 PM
Share

સનાતન ધર્મમાં ગરુડ પુરાણને (Garuda Purana) મહાપુરાણ નામ આપવામાં આવ્યું છે. તેના માધ્યમથી લોકોને ખરાબ કર્મોને છોડી જીવનને ઉત્તમ જીવન બનાવવા માટે ધર્મના માર્ગે ચાલવાનો સંદેશ આપવામાં આવ્યો છે. ગરુડ પુરાણમાં સાચા અને ખોટા કર્મો પણ સમજાવવામાં આવ્યા છે અને તેમના આધારે એવું કહેવામાં આવ્યું છે કે કયા પાપ માટે વ્યક્તિને મૃત્યુ પછી કઇ સજા મળે છે. ગરુડ પુરાણમાં (Garuda Purana) એવું કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી કર્મોના આધારે સ્વર્ગ અને નર્ક મળે છે.

1. એવું માનવામાં આવે છે કે જેઓ બીજાના પૈસા લૂંટી લે છે, યમદૂત તેમને દોરડાથી બાંધીને નર્કમાં એટલો બધો માર મારે છે કે તે બેભાન થઈ જાય. ભાનમાં આવ્યા બાદ તેને ફરીથી મારવામાં આવે છે.

2. જે લોકો તેમના વડીલોનું અપમાન કરે છે અથવા તેમને ઘરની બહાર ધકેલી દે છે, તે પાપીઓને નર્કની આગમાં નાખવામાં આવે છે. તેના શરીરની ત્વચા દૂર ન થાય ત્યાં સુધી આમ કરવામાં આવે છે.

3. જે લોકો પોતાના સ્વાર્થ માટે નિર્દોષ જીવોને મારી નાખે છે, તેઓને નરકમાં ખૂબ કડક સજા મળે છે. આવા લોકોને એક મોટા પાત્રમાં ગરમ ​​તેલ કરી તેમાં તળવામાં આવે છે.

4. પતિ અને પત્ની જે એકબીજાની પરિસ્થિતિનો લાભ લે છે, તેઓ એકબીજાના પૈસાનો લાભ લઈ શકે ત્યાં સુધી જ તેમની સાથે રહે છે, આવા લોકોને નર્કમાં ગરમ ​​લોખંડના સળિયાથી માર મારવામાં આવે છે.

5. જે લોકો પોતાની ખુશી માટે બીજાની ખુશી છીનવી લે છે. તેમની સંપત્તિ પડાવી લેવામાં આવે છે, આવા લોકોને સાપથી ભરેલા કૂવામાં ધકેલી દેવામાં આવે છે.

6. જેઓ તેમના પતિ અથવા પત્ની સિવાય બીજા કોઈ સાથે શારીરિક સંબંધો ધરાવે છે, તેમના શરીરના અંગોમાં સળગતું લોઢુ નાખવામાં આવે છે અને તેને ખૂબ માર મારવામાં આવે છે.

7. એવા લોકો જે પ્રાણીઓની બલિ આપ્યા બાદ તેના માંસનું સેવન કરે છે, આવા લોકોને નર્કમાં લાવવામાં આવે છે અને પ્રાણીઓની વચ્ચે છોડી દેવામાં આવે છે. તે બધા પ્રાણીઓ તેમને ફાડી ખાય છે.

8. જે પુરુષો મહિલાઓ પર બળાત્કાર કરે છે અથવા મહિલાઓને છેતરી સંબંધ બાંધી છોડી દે છે. તેને નર્કમાં પ્રાણી ગણવામાં આવે છે અને તેને મળ-મૂત્રથી ભરેલા કૂવામાં ફેંકી દેવામાં આવે છે.

9. જે લોકો તેમના પદનો દુરૂપયોગ કરીને નિર્દોષ લોકો પર અત્યાચાર કરે છે, તેને વૈતરણી નદીનો ભોગ બનવું પડે છે. આ નદીમાં માનવનો મૃત દેહ, ખોપરી, હાડપિંજર અને લોહી વગેરે જેવી ગંદી વસ્તુઓ પડેલી હોય છે.

10. જે લોકો બળજબરીથી સીધા સાદા લોકોને સતાવે છે, તેને એવા કૂવામાં ફેંકી દેવામાં આવે છે, જેમાં ઘણા ખતરનાક પ્રાણીઓ અને સાપ હોય છે.

આ પણ વાંચો : જાણો ક્યારે, કોને અને શા માટે દાન કરવું જોઈએ ? દાન કરવાથી થાય છે મનુષ્યનું કલ્યાણ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">