જાણો ક્યારે, કોને અને શા માટે દાન કરવું જોઈએ ? દાન કરવાથી થાય છે મનુષ્યનું કલ્યાણ

દાન કરવાથી મનુષ્યને પુણ્ય પ્રાપ્ત થાય છે. ગ્રહો દોષનું નિવારણ પણ થાય છે અને સાથે જ જાણે અજાણે જો નાનું-મોટું પાપ થયું હોય તો તે પાપોથી પણ મુક્તિ મળે છે.

જાણો ક્યારે, કોને અને શા માટે દાન કરવું જોઈએ ? દાન કરવાથી થાય છે મનુષ્યનું કલ્યાણ
દાન કરવાથી હંમેશા કલ્યાણ થાય છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 4:14 PM

સનાતન હિન્દુ પરંપરામાં ઘણા પ્રકારનાં દાન (Donation) અગે કહેવામાં આવ્યું છે, જે કરવાથી મનુષ્યને પુણ્ય પ્રાપ્ત થાય છે. દાન કરવાથી ગ્રહો દોષનું નિવારણ પણ થાય છે અને સાથે જ જાણે અજાણે જો નાનું-મોટું પાપ થયું હોય તો તે પાપોથી પણ મુક્તિ મળે છે. શાસ્ત્રોમાં દાનનો ઉપાય સામાન્ય જીવનમાં થતી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર કરવા જણાવવામાં આવ્યું છે, જેના આધારે ચમત્કારિક પરિણામો પ્રાપ્ત થાય છે. ચાલો આપણે જાણીએ જેને મહાદાન કહેવામાં આવે છે અને તે દાન કરવાથી કલ્યાણ થાય છે.

ગાયનું દાન

શાસ્ત્રોમાં ગાયનું દાન કરવું તેને મહાદાન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગાયનું દાન કરનાર વ્યક્તિના બધા પાપ બળીને ભષ્મ થાય છે અને તેને મોક્ષ પ્રાપ્ત થાય છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

વિદ્યા દાન

તમામ પ્રકારના દાનમાં વિદ્યા દાનને પણ એક મહાદાન માનવામાં આવે છે. જો તમે કોઈ વિકલાંગ વ્યક્તિના શિક્ષણ માટેની વ્યવસ્થા કરો છો અથવા તેને મફતમાં ભણાવશો તો ચોક્કસ તમને પુણ્ય મળશે. સાથે જ માતા સરસ્વતી સહિતના તમામ દેવી-દેવતાઓ દ્વારા તમને હંમેશા આશીર્વાદ મળશે.

ભૂમિ દાન

જો તમે કોઈ શુભ હેતુ માટે અથવા કોઈ જરૂરિયાતમંદને જમીનનું દાન કરો છો, તો તમને અનંત ગણા પુણ્ય ફળની પ્રાપ્તિ થશે. શાસ્ત્રોમાં પણ તેને મહાદાન કહેવામાં આવ્યું છે.

દીપ દાન

દરરોજ દેવ-દેવીઓની પૂજા અર્ચના સમયે કરવામાં આવતા દીપ દાનનું ખૂબ મહત્વ છે. આ દાન વિદ્યાદાન જેટલું પુણ્યદાયી છે. શ્રાવણ માસમાં તમે દરરોજ ભગવાન શિવને દીપ દાન કરી ભગવાન શિવના આશીર્વાદ મેળવી શકો છો.

છાયા દાન

વિવિધ પ્રકારની દાનની જેમ, છાયા દાનનું વિશેષ મહત્વ છે. આ દાન મુખ્યત્વે શનિદેવ સાથે જોડાયેલું છે. આ માટે તમારે માટીના વાસણમાં સરસવનું તેલ નાખવું પડશે અને તેમાં તમારો પડછાયો જોયા પછી તે વ્યક્તિને દાન કરવું પડશે. આ ઉપાય કરવાથી શનિ સંબંધિત દોષો દૂર થાય છે.

આ વસ્તુઓનું દાન ન કરો

જીવનની બધી ચીજોના દાનથી પુણ્ય મળે છે અને તમે મુશ્કેલીઓથી છૂટકારો મેળવો છો, જ્યારે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી તમારું નુકસાન થઈ શકે છે. વાસી ખોરાક, ફાટેલા કપડાં, સાવરણી, છરી, કાતર વગેરે તીક્ષ્ણ વસ્તુઓનું દાન ક્યારેય ન કરો.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">