AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો ક્યારે, કોને અને શા માટે દાન કરવું જોઈએ ? દાન કરવાથી થાય છે મનુષ્યનું કલ્યાણ

દાન કરવાથી મનુષ્યને પુણ્ય પ્રાપ્ત થાય છે. ગ્રહો દોષનું નિવારણ પણ થાય છે અને સાથે જ જાણે અજાણે જો નાનું-મોટું પાપ થયું હોય તો તે પાપોથી પણ મુક્તિ મળે છે.

જાણો ક્યારે, કોને અને શા માટે દાન કરવું જોઈએ ? દાન કરવાથી થાય છે મનુષ્યનું કલ્યાણ
દાન કરવાથી હંમેશા કલ્યાણ થાય છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 4:14 PM
Share

સનાતન હિન્દુ પરંપરામાં ઘણા પ્રકારનાં દાન (Donation) અગે કહેવામાં આવ્યું છે, જે કરવાથી મનુષ્યને પુણ્ય પ્રાપ્ત થાય છે. દાન કરવાથી ગ્રહો દોષનું નિવારણ પણ થાય છે અને સાથે જ જાણે અજાણે જો નાનું-મોટું પાપ થયું હોય તો તે પાપોથી પણ મુક્તિ મળે છે. શાસ્ત્રોમાં દાનનો ઉપાય સામાન્ય જીવનમાં થતી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર કરવા જણાવવામાં આવ્યું છે, જેના આધારે ચમત્કારિક પરિણામો પ્રાપ્ત થાય છે. ચાલો આપણે જાણીએ જેને મહાદાન કહેવામાં આવે છે અને તે દાન કરવાથી કલ્યાણ થાય છે.

ગાયનું દાન

શાસ્ત્રોમાં ગાયનું દાન કરવું તેને મહાદાન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગાયનું દાન કરનાર વ્યક્તિના બધા પાપ બળીને ભષ્મ થાય છે અને તેને મોક્ષ પ્રાપ્ત થાય છે.

વિદ્યા દાન

તમામ પ્રકારના દાનમાં વિદ્યા દાનને પણ એક મહાદાન માનવામાં આવે છે. જો તમે કોઈ વિકલાંગ વ્યક્તિના શિક્ષણ માટેની વ્યવસ્થા કરો છો અથવા તેને મફતમાં ભણાવશો તો ચોક્કસ તમને પુણ્ય મળશે. સાથે જ માતા સરસ્વતી સહિતના તમામ દેવી-દેવતાઓ દ્વારા તમને હંમેશા આશીર્વાદ મળશે.

ભૂમિ દાન

જો તમે કોઈ શુભ હેતુ માટે અથવા કોઈ જરૂરિયાતમંદને જમીનનું દાન કરો છો, તો તમને અનંત ગણા પુણ્ય ફળની પ્રાપ્તિ થશે. શાસ્ત્રોમાં પણ તેને મહાદાન કહેવામાં આવ્યું છે.

દીપ દાન

દરરોજ દેવ-દેવીઓની પૂજા અર્ચના સમયે કરવામાં આવતા દીપ દાનનું ખૂબ મહત્વ છે. આ દાન વિદ્યાદાન જેટલું પુણ્યદાયી છે. શ્રાવણ માસમાં તમે દરરોજ ભગવાન શિવને દીપ દાન કરી ભગવાન શિવના આશીર્વાદ મેળવી શકો છો.

છાયા દાન

વિવિધ પ્રકારની દાનની જેમ, છાયા દાનનું વિશેષ મહત્વ છે. આ દાન મુખ્યત્વે શનિદેવ સાથે જોડાયેલું છે. આ માટે તમારે માટીના વાસણમાં સરસવનું તેલ નાખવું પડશે અને તેમાં તમારો પડછાયો જોયા પછી તે વ્યક્તિને દાન કરવું પડશે. આ ઉપાય કરવાથી શનિ સંબંધિત દોષો દૂર થાય છે.

આ વસ્તુઓનું દાન ન કરો

જીવનની બધી ચીજોના દાનથી પુણ્ય મળે છે અને તમે મુશ્કેલીઓથી છૂટકારો મેળવો છો, જ્યારે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી તમારું નુકસાન થઈ શકે છે. વાસી ખોરાક, ફાટેલા કપડાં, સાવરણી, છરી, કાતર વગેરે તીક્ષ્ણ વસ્તુઓનું દાન ક્યારેય ન કરો.

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">