AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો ક્યારે, કોને અને શા માટે દાન કરવું જોઈએ ? દાન કરવાથી થાય છે મનુષ્યનું કલ્યાણ

દાન કરવાથી મનુષ્યને પુણ્ય પ્રાપ્ત થાય છે. ગ્રહો દોષનું નિવારણ પણ થાય છે અને સાથે જ જાણે અજાણે જો નાનું-મોટું પાપ થયું હોય તો તે પાપોથી પણ મુક્તિ મળે છે.

જાણો ક્યારે, કોને અને શા માટે દાન કરવું જોઈએ ? દાન કરવાથી થાય છે મનુષ્યનું કલ્યાણ
દાન કરવાથી હંમેશા કલ્યાણ થાય છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 4:14 PM
Share

સનાતન હિન્દુ પરંપરામાં ઘણા પ્રકારનાં દાન (Donation) અગે કહેવામાં આવ્યું છે, જે કરવાથી મનુષ્યને પુણ્ય પ્રાપ્ત થાય છે. દાન કરવાથી ગ્રહો દોષનું નિવારણ પણ થાય છે અને સાથે જ જાણે અજાણે જો નાનું-મોટું પાપ થયું હોય તો તે પાપોથી પણ મુક્તિ મળે છે. શાસ્ત્રોમાં દાનનો ઉપાય સામાન્ય જીવનમાં થતી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર કરવા જણાવવામાં આવ્યું છે, જેના આધારે ચમત્કારિક પરિણામો પ્રાપ્ત થાય છે. ચાલો આપણે જાણીએ જેને મહાદાન કહેવામાં આવે છે અને તે દાન કરવાથી કલ્યાણ થાય છે.

ગાયનું દાન

શાસ્ત્રોમાં ગાયનું દાન કરવું તેને મહાદાન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગાયનું દાન કરનાર વ્યક્તિના બધા પાપ બળીને ભષ્મ થાય છે અને તેને મોક્ષ પ્રાપ્ત થાય છે.

વિદ્યા દાન

તમામ પ્રકારના દાનમાં વિદ્યા દાનને પણ એક મહાદાન માનવામાં આવે છે. જો તમે કોઈ વિકલાંગ વ્યક્તિના શિક્ષણ માટેની વ્યવસ્થા કરો છો અથવા તેને મફતમાં ભણાવશો તો ચોક્કસ તમને પુણ્ય મળશે. સાથે જ માતા સરસ્વતી સહિતના તમામ દેવી-દેવતાઓ દ્વારા તમને હંમેશા આશીર્વાદ મળશે.

ભૂમિ દાન

જો તમે કોઈ શુભ હેતુ માટે અથવા કોઈ જરૂરિયાતમંદને જમીનનું દાન કરો છો, તો તમને અનંત ગણા પુણ્ય ફળની પ્રાપ્તિ થશે. શાસ્ત્રોમાં પણ તેને મહાદાન કહેવામાં આવ્યું છે.

દીપ દાન

દરરોજ દેવ-દેવીઓની પૂજા અર્ચના સમયે કરવામાં આવતા દીપ દાનનું ખૂબ મહત્વ છે. આ દાન વિદ્યાદાન જેટલું પુણ્યદાયી છે. શ્રાવણ માસમાં તમે દરરોજ ભગવાન શિવને દીપ દાન કરી ભગવાન શિવના આશીર્વાદ મેળવી શકો છો.

છાયા દાન

વિવિધ પ્રકારની દાનની જેમ, છાયા દાનનું વિશેષ મહત્વ છે. આ દાન મુખ્યત્વે શનિદેવ સાથે જોડાયેલું છે. આ માટે તમારે માટીના વાસણમાં સરસવનું તેલ નાખવું પડશે અને તેમાં તમારો પડછાયો જોયા પછી તે વ્યક્તિને દાન કરવું પડશે. આ ઉપાય કરવાથી શનિ સંબંધિત દોષો દૂર થાય છે.

આ વસ્તુઓનું દાન ન કરો

જીવનની બધી ચીજોના દાનથી પુણ્ય મળે છે અને તમે મુશ્કેલીઓથી છૂટકારો મેળવો છો, જ્યારે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી તમારું નુકસાન થઈ શકે છે. વાસી ખોરાક, ફાટેલા કપડાં, સાવરણી, છરી, કાતર વગેરે તીક્ષ્ણ વસ્તુઓનું દાન ક્યારેય ન કરો.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">