જાણો ક્યારે, કોને અને શા માટે દાન કરવું જોઈએ ? દાન કરવાથી થાય છે મનુષ્યનું કલ્યાણ

દાન કરવાથી મનુષ્યને પુણ્ય પ્રાપ્ત થાય છે. ગ્રહો દોષનું નિવારણ પણ થાય છે અને સાથે જ જાણે અજાણે જો નાનું-મોટું પાપ થયું હોય તો તે પાપોથી પણ મુક્તિ મળે છે.

જાણો ક્યારે, કોને અને શા માટે દાન કરવું જોઈએ ? દાન કરવાથી થાય છે મનુષ્યનું કલ્યાણ
દાન કરવાથી હંમેશા કલ્યાણ થાય છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 4:14 PM

સનાતન હિન્દુ પરંપરામાં ઘણા પ્રકારનાં દાન (Donation) અગે કહેવામાં આવ્યું છે, જે કરવાથી મનુષ્યને પુણ્ય પ્રાપ્ત થાય છે. દાન કરવાથી ગ્રહો દોષનું નિવારણ પણ થાય છે અને સાથે જ જાણે અજાણે જો નાનું-મોટું પાપ થયું હોય તો તે પાપોથી પણ મુક્તિ મળે છે. શાસ્ત્રોમાં દાનનો ઉપાય સામાન્ય જીવનમાં થતી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર કરવા જણાવવામાં આવ્યું છે, જેના આધારે ચમત્કારિક પરિણામો પ્રાપ્ત થાય છે. ચાલો આપણે જાણીએ જેને મહાદાન કહેવામાં આવે છે અને તે દાન કરવાથી કલ્યાણ થાય છે.

ગાયનું દાન

શાસ્ત્રોમાં ગાયનું દાન કરવું તેને મહાદાન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગાયનું દાન કરનાર વ્યક્તિના બધા પાપ બળીને ભષ્મ થાય છે અને તેને મોક્ષ પ્રાપ્ત થાય છે.

જાણો શું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ? કાચું કે ઉકાળેલું દૂધ
સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે

વિદ્યા દાન

તમામ પ્રકારના દાનમાં વિદ્યા દાનને પણ એક મહાદાન માનવામાં આવે છે. જો તમે કોઈ વિકલાંગ વ્યક્તિના શિક્ષણ માટેની વ્યવસ્થા કરો છો અથવા તેને મફતમાં ભણાવશો તો ચોક્કસ તમને પુણ્ય મળશે. સાથે જ માતા સરસ્વતી સહિતના તમામ દેવી-દેવતાઓ દ્વારા તમને હંમેશા આશીર્વાદ મળશે.

ભૂમિ દાન

જો તમે કોઈ શુભ હેતુ માટે અથવા કોઈ જરૂરિયાતમંદને જમીનનું દાન કરો છો, તો તમને અનંત ગણા પુણ્ય ફળની પ્રાપ્તિ થશે. શાસ્ત્રોમાં પણ તેને મહાદાન કહેવામાં આવ્યું છે.

દીપ દાન

દરરોજ દેવ-દેવીઓની પૂજા અર્ચના સમયે કરવામાં આવતા દીપ દાનનું ખૂબ મહત્વ છે. આ દાન વિદ્યાદાન જેટલું પુણ્યદાયી છે. શ્રાવણ માસમાં તમે દરરોજ ભગવાન શિવને દીપ દાન કરી ભગવાન શિવના આશીર્વાદ મેળવી શકો છો.

છાયા દાન

વિવિધ પ્રકારની દાનની જેમ, છાયા દાનનું વિશેષ મહત્વ છે. આ દાન મુખ્યત્વે શનિદેવ સાથે જોડાયેલું છે. આ માટે તમારે માટીના વાસણમાં સરસવનું તેલ નાખવું પડશે અને તેમાં તમારો પડછાયો જોયા પછી તે વ્યક્તિને દાન કરવું પડશે. આ ઉપાય કરવાથી શનિ સંબંધિત દોષો દૂર થાય છે.

આ વસ્તુઓનું દાન ન કરો

જીવનની બધી ચીજોના દાનથી પુણ્ય મળે છે અને તમે મુશ્કેલીઓથી છૂટકારો મેળવો છો, જ્યારે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી તમારું નુકસાન થઈ શકે છે. વાસી ખોરાક, ફાટેલા કપડાં, સાવરણી, છરી, કાતર વગેરે તીક્ષ્ણ વસ્તુઓનું દાન ક્યારેય ન કરો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">